આપ ઉમેદવારોની 10મી લિસ્ટ જાહેર , જોઈલો તમારા ત્યાંથી કોણ છે ઉમેદવાર ?


  • Published By :
  • Published Date : 2022-11-05 13:27:36


આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી એક્શન મોડમાં આવી ગયું છે. કાલે આપએ પોતાનો CM ચેહરો જાહેર કર્યો . ઇસુદાન ગઢવી આપના CM પદના ઉમેદવાર છે . ત્યારે આજે આપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાના છે અત્યાર સુધી 9 લિસ્ટ જાહેર કરી દીધા છે જેમાં 128 ઉમેદવારો જાહેર થયા છે ત્યારે આજે 1 વાગે પત્રકાર પરિષદ યોજી 10મી લિસ્ટ જાહેર કરશે . હવે આ લિસ્ટમાં કોના નામ હશે ?

કાલે આપનો CM ચેહરો જાહેર થયા બાદ આપમાં કેટલાય આંતરિક વિખવાદ પણ જોવા મળ્યા જેમાં એક મોટો જટકો હતો ઇન્દ્રનીલ રાજગુરુનું રાજીનામું અને કોંગ્રેસમાં ઘર વાપસી હવે આજે કોના નામ જાહેર થશે અને આજે કેટલા વિવાદો સામે આવશે એ થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે 

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમો પણ કરી રહ્યા છે . કેટલાક રોડ શો પણ કરવાના છે અને આજે લિસ્ટ જાહેર થાય છે 

આમ આદમી પાર્ટી એ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં આજે  વધુ ૨૧ ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને  અત્યાર સુધી કુલ ૧૩૯ ઉમેદવાર જાહેર કર્યા.છે . આજેના લિસ્ટમાં આ નામ છે સામેલ 

૧ વાવ થી ડોક્ટર ભીમ પટેલ

૨ ઠક્કરબાપાનગર થી સંજય મોરી

૩ બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત

૪ દસ્કોઈ થી કિરન પટેલ

૫ ધોળકા થી જાત્તુબા ગોલ

૬ ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ


૭ વિરમગામ થી કુંવરજી ઠાકોર

૮ માણાવદર થી કરશન બાપુ ભદ્રકા

૯ ધારી થી કાંતિભાઈ સતાસિયા

૧૦ સાવરકુંડલા થી ભરત નાકરની

૧૧ મહુવા અમરેલી થી અશોક જોલિય

૧૨ તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

૧૩ ગઢડા થી રમેશ પરમાર

૧૪ ખંભાત થી ભરતસિંહ ચાવડા

૧૫ સોજીત્રા થી મનુભાઈ ઠાકોર

૧૬ લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા

૧૭ પાદરા થી જયદીપસિંહ ચૌહાણ

૧૮ વાગરા થી જયરાજ સિંઘ

૧૯ અંકલેશ્વર થી અંકુર પટેલ

૨૦ માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા

૨૧ સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.