આપ ઉમેદવારોની 10મી લિસ્ટ જાહેર , જોઈલો તમારા ત્યાંથી કોણ છે ઉમેદવાર ?


  • Published By :
  • Published Date : 2022-11-05 13:27:36


આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી એક્શન મોડમાં આવી ગયું છે. કાલે આપએ પોતાનો CM ચેહરો જાહેર કર્યો . ઇસુદાન ગઢવી આપના CM પદના ઉમેદવાર છે . ત્યારે આજે આપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાના છે અત્યાર સુધી 9 લિસ્ટ જાહેર કરી દીધા છે જેમાં 128 ઉમેદવારો જાહેર થયા છે ત્યારે આજે 1 વાગે પત્રકાર પરિષદ યોજી 10મી લિસ્ટ જાહેર કરશે . હવે આ લિસ્ટમાં કોના નામ હશે ?

કાલે આપનો CM ચેહરો જાહેર થયા બાદ આપમાં કેટલાય આંતરિક વિખવાદ પણ જોવા મળ્યા જેમાં એક મોટો જટકો હતો ઇન્દ્રનીલ રાજગુરુનું રાજીનામું અને કોંગ્રેસમાં ઘર વાપસી હવે આજે કોના નામ જાહેર થશે અને આજે કેટલા વિવાદો સામે આવશે એ થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે 

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમો પણ કરી રહ્યા છે . કેટલાક રોડ શો પણ કરવાના છે અને આજે લિસ્ટ જાહેર થાય છે 

આમ આદમી પાર્ટી એ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં આજે  વધુ ૨૧ ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને  અત્યાર સુધી કુલ ૧૩૯ ઉમેદવાર જાહેર કર્યા.છે . આજેના લિસ્ટમાં આ નામ છે સામેલ 

૧ વાવ થી ડોક્ટર ભીમ પટેલ

૨ ઠક્કરબાપાનગર થી સંજય મોરી

૩ બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત

૪ દસ્કોઈ થી કિરન પટેલ

૫ ધોળકા થી જાત્તુબા ગોલ

૬ ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ


૭ વિરમગામ થી કુંવરજી ઠાકોર

૮ માણાવદર થી કરશન બાપુ ભદ્રકા

૯ ધારી થી કાંતિભાઈ સતાસિયા

૧૦ સાવરકુંડલા થી ભરત નાકરની

૧૧ મહુવા અમરેલી થી અશોક જોલિય

૧૨ તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

૧૩ ગઢડા થી રમેશ પરમાર

૧૪ ખંભાત થી ભરતસિંહ ચાવડા

૧૫ સોજીત્રા થી મનુભાઈ ઠાકોર

૧૬ લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા

૧૭ પાદરા થી જયદીપસિંહ ચૌહાણ

૧૮ વાગરા થી જયરાજ સિંઘ

૧૯ અંકલેશ્વર થી અંકુર પટેલ

૨૦ માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા

૨૧ સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.