આપ ઉમેદવારોની 10મી લિસ્ટ જાહેર , જોઈલો તમારા ત્યાંથી કોણ છે ઉમેદવાર ?


  • Published By :
  • Published Date : 2022-11-05 13:27:36


આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી એક્શન મોડમાં આવી ગયું છે. કાલે આપએ પોતાનો CM ચેહરો જાહેર કર્યો . ઇસુદાન ગઢવી આપના CM પદના ઉમેદવાર છે . ત્યારે આજે આપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાના છે અત્યાર સુધી 9 લિસ્ટ જાહેર કરી દીધા છે જેમાં 128 ઉમેદવારો જાહેર થયા છે ત્યારે આજે 1 વાગે પત્રકાર પરિષદ યોજી 10મી લિસ્ટ જાહેર કરશે . હવે આ લિસ્ટમાં કોના નામ હશે ?

કાલે આપનો CM ચેહરો જાહેર થયા બાદ આપમાં કેટલાય આંતરિક વિખવાદ પણ જોવા મળ્યા જેમાં એક મોટો જટકો હતો ઇન્દ્રનીલ રાજગુરુનું રાજીનામું અને કોંગ્રેસમાં ઘર વાપસી હવે આજે કોના નામ જાહેર થશે અને આજે કેટલા વિવાદો સામે આવશે એ થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે 

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમો પણ કરી રહ્યા છે . કેટલાક રોડ શો પણ કરવાના છે અને આજે લિસ્ટ જાહેર થાય છે 

આમ આદમી પાર્ટી એ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં આજે  વધુ ૨૧ ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને  અત્યાર સુધી કુલ ૧૩૯ ઉમેદવાર જાહેર કર્યા.છે . આજેના લિસ્ટમાં આ નામ છે સામેલ 

૧ વાવ થી ડોક્ટર ભીમ પટેલ

૨ ઠક્કરબાપાનગર થી સંજય મોરી

૩ બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત

૪ દસ્કોઈ થી કિરન પટેલ

૫ ધોળકા થી જાત્તુબા ગોલ

૬ ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ


૭ વિરમગામ થી કુંવરજી ઠાકોર

૮ માણાવદર થી કરશન બાપુ ભદ્રકા

૯ ધારી થી કાંતિભાઈ સતાસિયા

૧૦ સાવરકુંડલા થી ભરત નાકરની

૧૧ મહુવા અમરેલી થી અશોક જોલિય

૧૨ તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

૧૩ ગઢડા થી રમેશ પરમાર

૧૪ ખંભાત થી ભરતસિંહ ચાવડા

૧૫ સોજીત્રા થી મનુભાઈ ઠાકોર

૧૬ લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા

૧૭ પાદરા થી જયદીપસિંહ ચૌહાણ

૧૮ વાગરા થી જયરાજ સિંઘ

૧૯ અંકલેશ્વર થી અંકુર પટેલ

૨૦ માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા

૨૧ સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.