આપ ઉમેદવારોની 10મી લિસ્ટ જાહેર , જોઈલો તમારા ત્યાંથી કોણ છે ઉમેદવાર ?


  • Published By :
  • Published Date : 2022-11-05 13:27:36


આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી એક્શન મોડમાં આવી ગયું છે. કાલે આપએ પોતાનો CM ચેહરો જાહેર કર્યો . ઇસુદાન ગઢવી આપના CM પદના ઉમેદવાર છે . ત્યારે આજે આપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાના છે અત્યાર સુધી 9 લિસ્ટ જાહેર કરી દીધા છે જેમાં 128 ઉમેદવારો જાહેર થયા છે ત્યારે આજે 1 વાગે પત્રકાર પરિષદ યોજી 10મી લિસ્ટ જાહેર કરશે . હવે આ લિસ્ટમાં કોના નામ હશે ?

કાલે આપનો CM ચેહરો જાહેર થયા બાદ આપમાં કેટલાય આંતરિક વિખવાદ પણ જોવા મળ્યા જેમાં એક મોટો જટકો હતો ઇન્દ્રનીલ રાજગુરુનું રાજીનામું અને કોંગ્રેસમાં ઘર વાપસી હવે આજે કોના નામ જાહેર થશે અને આજે કેટલા વિવાદો સામે આવશે એ થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે 

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમો પણ કરી રહ્યા છે . કેટલાક રોડ શો પણ કરવાના છે અને આજે લિસ્ટ જાહેર થાય છે 

આમ આદમી પાર્ટી એ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં આજે  વધુ ૨૧ ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને  અત્યાર સુધી કુલ ૧૩૯ ઉમેદવાર જાહેર કર્યા.છે . આજેના લિસ્ટમાં આ નામ છે સામેલ 

૧ વાવ થી ડોક્ટર ભીમ પટેલ

૨ ઠક્કરબાપાનગર થી સંજય મોરી

૩ બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત

૪ દસ્કોઈ થી કિરન પટેલ

૫ ધોળકા થી જાત્તુબા ગોલ

૬ ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ


૭ વિરમગામ થી કુંવરજી ઠાકોર

૮ માણાવદર થી કરશન બાપુ ભદ્રકા

૯ ધારી થી કાંતિભાઈ સતાસિયા

૧૦ સાવરકુંડલા થી ભરત નાકરની

૧૧ મહુવા અમરેલી થી અશોક જોલિય

૧૨ તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

૧૩ ગઢડા થી રમેશ પરમાર

૧૪ ખંભાત થી ભરતસિંહ ચાવડા

૧૫ સોજીત્રા થી મનુભાઈ ઠાકોર

૧૬ લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા

૧૭ પાદરા થી જયદીપસિંહ ચૌહાણ

૧૮ વાગરા થી જયરાજ સિંઘ

૧૯ અંકલેશ્વર થી અંકુર પટેલ

૨૦ માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા

૨૧ સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.