નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે 36મી નેશનલ ગેમ્સની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:44:17

અમદાવાદ ખાતે યોજાનારી 36મા નેશનલ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં યોજાનારી આ ગેમ્સને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા અનેક એકેડેમીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બર થી 10 આક્ટોબર સુધી યોજાનારી આ ગેમ્સ ગુજરાત રાજ્યના 8 સ્થળો પર યોજાવાની છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતની જગ્યાઓ પર આ ગેમ્સનું આયોજન થવાનું છે.

36th National Games of India 2022: Dates, Venue, Host, List of sports, Logo  and moreNarendra Modi Stadium in Motera: 10 INSIDE PICS that will blow your mind

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ગેમ્સના થશે શ્રી ગણેશ

પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થવાનો છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ ગેમ્સની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રમત ગમત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગેમ્સના ઉદ્ધાટનના પ્રસંગે વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓ પણ હાજરી આપવાના છે.

નવી પેઠીને મળશે પ્રોત્સાહન

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટસ એસોસિએશન, સ્પોર્ટ્સ કલ્બ અને સ્પોર્ટ્સ એકેડેમીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી રમતોને નજરો-નજર જોવાની તક આજની યુવા પેઠીને મળશે. વેબસાઈટ દ્વારા રમતવીરો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વડાપ્રધાન હમેશા રમત-ગમતને પ્રોત્સાહન આપે છે ત્યારે ગુજરાતના રમતવીરો પણ પ્રોત્સાહિત થઈ ખેલ-કુદ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.