નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે 36મી નેશનલ ગેમ્સની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:44:17

અમદાવાદ ખાતે યોજાનારી 36મા નેશનલ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં યોજાનારી આ ગેમ્સને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા અનેક એકેડેમીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બર થી 10 આક્ટોબર સુધી યોજાનારી આ ગેમ્સ ગુજરાત રાજ્યના 8 સ્થળો પર યોજાવાની છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતની જગ્યાઓ પર આ ગેમ્સનું આયોજન થવાનું છે.

36th National Games of India 2022: Dates, Venue, Host, List of sports, Logo  and moreNarendra Modi Stadium in Motera: 10 INSIDE PICS that will blow your mind

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ગેમ્સના થશે શ્રી ગણેશ

પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થવાનો છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ ગેમ્સની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રમત ગમત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગેમ્સના ઉદ્ધાટનના પ્રસંગે વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓ પણ હાજરી આપવાના છે.

નવી પેઠીને મળશે પ્રોત્સાહન

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટસ એસોસિએશન, સ્પોર્ટ્સ કલ્બ અને સ્પોર્ટ્સ એકેડેમીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી રમતોને નજરો-નજર જોવાની તક આજની યુવા પેઠીને મળશે. વેબસાઈટ દ્વારા રમતવીરો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વડાપ્રધાન હમેશા રમત-ગમતને પ્રોત્સાહન આપે છે ત્યારે ગુજરાતના રમતવીરો પણ પ્રોત્સાહિત થઈ ખેલ-કુદ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.