8 ડિસેમ્બરે ગુજરાતમાં ઝાડું આવશે, તેવો આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે


  • Published By :
  • Published Date : 2022-11-03 14:06:58

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે જ્યારે બાકી રહેલી બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં જીત મેળવવા કમરકસી છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

 


પરિવર્તન નક્કી છે - આમ આદમી પાર્ટી

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટીએ પ્રચાર કરવામાં કોઈ કસર નથી રાખી. ત્યારે ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે 8 ડિસેમ્બરે ઝાડુ આવશે, પરિવર્તન લાવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવું તેમને લાગી રહ્યું છે. 

મિશન 2022: ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ-રણનીતિ ઘડશે | The BJP will  formulate a roadmap strategy for the Assembly elections

ભાજપે પણ જીતનો આશાવાદ કર્યો છે વ્યક્ત

આ અગાઉ જીતનો આશાવાદ ભાજપે પણ વ્યક્ત કર્યો હતો. ભાજપે કહ્યું કે ગુજરાતમાં કમળ ખીલશે તો આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે ગુજરાતમાં ઝાડુ આવશે. ત્યારે મતદારો કોની તાજપોશી કરશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"