8 ડિસેમ્બરે ગુજરાતમાં ઝાડું આવશે, તેવો આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે


  • Published By :
  • Published Date : 2022-11-03 14:06:58

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે જ્યારે બાકી રહેલી બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં જીત મેળવવા કમરકસી છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

 


પરિવર્તન નક્કી છે - આમ આદમી પાર્ટી

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટીએ પ્રચાર કરવામાં કોઈ કસર નથી રાખી. ત્યારે ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે 8 ડિસેમ્બરે ઝાડુ આવશે, પરિવર્તન લાવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવું તેમને લાગી રહ્યું છે. 

મિશન 2022: ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ-રણનીતિ ઘડશે | The BJP will  formulate a roadmap strategy for the Assembly elections

ભાજપે પણ જીતનો આશાવાદ કર્યો છે વ્યક્ત

આ અગાઉ જીતનો આશાવાદ ભાજપે પણ વ્યક્ત કર્યો હતો. ભાજપે કહ્યું કે ગુજરાતમાં કમળ ખીલશે તો આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે ગુજરાતમાં ઝાડુ આવશે. ત્યારે મતદારો કોની તાજપોશી કરશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે