8 ડિસેમ્બરે ગુજરાતમાં ઝાડું આવશે, તેવો આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે


  • Published By :
  • Published Date : 2022-11-03 14:06:58

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે જ્યારે બાકી રહેલી બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં જીત મેળવવા કમરકસી છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

 


પરિવર્તન નક્કી છે - આમ આદમી પાર્ટી

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટીએ પ્રચાર કરવામાં કોઈ કસર નથી રાખી. ત્યારે ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે 8 ડિસેમ્બરે ઝાડુ આવશે, પરિવર્તન લાવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવું તેમને લાગી રહ્યું છે. 

મિશન 2022: ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ-રણનીતિ ઘડશે | The BJP will  formulate a roadmap strategy for the Assembly elections

ભાજપે પણ જીતનો આશાવાદ કર્યો છે વ્યક્ત

આ અગાઉ જીતનો આશાવાદ ભાજપે પણ વ્યક્ત કર્યો હતો. ભાજપે કહ્યું કે ગુજરાતમાં કમળ ખીલશે તો આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે ગુજરાતમાં ઝાડુ આવશે. ત્યારે મતદારો કોની તાજપોશી કરશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.