8 ડિસેમ્બરે ગુજરાતમાં ઝાડું આવશે, તેવો આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે


  • Published By :
  • Published Date : 2022-11-03 14:06:58

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે જ્યારે બાકી રહેલી બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં જીત મેળવવા કમરકસી છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

 


પરિવર્તન નક્કી છે - આમ આદમી પાર્ટી

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટીએ પ્રચાર કરવામાં કોઈ કસર નથી રાખી. ત્યારે ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે 8 ડિસેમ્બરે ઝાડુ આવશે, પરિવર્તન લાવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવું તેમને લાગી રહ્યું છે. 

મિશન 2022: ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ-રણનીતિ ઘડશે | The BJP will  formulate a roadmap strategy for the Assembly elections

ભાજપે પણ જીતનો આશાવાદ કર્યો છે વ્યક્ત

આ અગાઉ જીતનો આશાવાદ ભાજપે પણ વ્યક્ત કર્યો હતો. ભાજપે કહ્યું કે ગુજરાતમાં કમળ ખીલશે તો આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે ગુજરાતમાં ઝાડુ આવશે. ત્યારે મતદારો કોની તાજપોશી કરશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.