TRB જવાનોની વધતી ફરિયાદને લઈ Ahmedabad Police Commissionerનો આદેશ, TRB જવાનોની કામગીરી પર આ રીતે રખાશે નજર


  • Published By :
  • Published Date : 2023-11-30 09:35:37

ભારત-પાકિસ્તાન મેચ વખતે એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ટીઆરબી જવાને દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક સાથે તોડપાણી કર્યા હતા. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનો વાહનચાલકો પાસેથી તોડપાણી કરી પૈસા પડાવતા હોય છે તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે ચલણ ના ફાટે તે માટે સેટિંગ કર્યા હશે.ત્યારે ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં  આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.   

ટીઆરબી જવાનની ફરજ અને સત્તા કેટલી તેની અપાઈ જાણકારી 

ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે શહેરના વિવિધ પોઈન્ટ પર ટીઆરબી જવાન તેમજ ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત ટીઆરબી જવાનો તેમજ ટ્રાફિક પોલીસ તોડપાણી કરતા હોય તેવા સમાચારો સામે આવતા રહે છે. રસ્તા પર જ્યારે આપણને રોકવામાં આવે છે ત્યારે આપણે ડરી જતા હોઈએ છીએ. ડરને કારણે લોકો તોડપાણી કરી લેતા હોય છે તેવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. ત્યારે ટીઆરબી જવાનોની ફરજ શું છે તેમની પાસે કેટલી સત્તા હોય છે તે અંગે લોકો જાગૃત થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા અનેક વખત ટ્વિટ કરવામાં આવે છે. તોડપાણી અંગેની ફરિયાદો સામે આવતા પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. 

GS Malik Took Charge As New Police Commissioner Of Ahmedababad Know Who Is  He | Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે  જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

ટીઆરબી જવાનોને મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો – Revoi.in

આકસ્મિક રીતે ચેકિંગ કરવા કરાયો આદેશ!   

પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસની ગતિવિધી, તેમના કામ કરવાની પદ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યક્તા છે. જેથી આ માટે ટીઆરબી અને ટ્રાફિક વિભાગની સ્ટાફ પર સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઈઝરી અધિકારીઓને મહિનામાં એકવાર સિવિલ ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.   



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.