TRB જવાનોની વધતી ફરિયાદને લઈ Ahmedabad Police Commissionerનો આદેશ, TRB જવાનોની કામગીરી પર આ રીતે રખાશે નજર


  • Published By :
  • Published Date : 2023-11-30 09:35:37

ભારત-પાકિસ્તાન મેચ વખતે એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ટીઆરબી જવાને દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક સાથે તોડપાણી કર્યા હતા. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનો વાહનચાલકો પાસેથી તોડપાણી કરી પૈસા પડાવતા હોય છે તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે ચલણ ના ફાટે તે માટે સેટિંગ કર્યા હશે.ત્યારે ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં  આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.   

ટીઆરબી જવાનની ફરજ અને સત્તા કેટલી તેની અપાઈ જાણકારી 

ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે શહેરના વિવિધ પોઈન્ટ પર ટીઆરબી જવાન તેમજ ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત ટીઆરબી જવાનો તેમજ ટ્રાફિક પોલીસ તોડપાણી કરતા હોય તેવા સમાચારો સામે આવતા રહે છે. રસ્તા પર જ્યારે આપણને રોકવામાં આવે છે ત્યારે આપણે ડરી જતા હોઈએ છીએ. ડરને કારણે લોકો તોડપાણી કરી લેતા હોય છે તેવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. ત્યારે ટીઆરબી જવાનોની ફરજ શું છે તેમની પાસે કેટલી સત્તા હોય છે તે અંગે લોકો જાગૃત થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા અનેક વખત ટ્વિટ કરવામાં આવે છે. તોડપાણી અંગેની ફરિયાદો સામે આવતા પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. 

GS Malik Took Charge As New Police Commissioner Of Ahmedababad Know Who Is  He | Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે  જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

ટીઆરબી જવાનોને મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો – Revoi.in

આકસ્મિક રીતે ચેકિંગ કરવા કરાયો આદેશ!   

પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસની ગતિવિધી, તેમના કામ કરવાની પદ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યક્તા છે. જેથી આ માટે ટીઆરબી અને ટ્રાફિક વિભાગની સ્ટાફ પર સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઈઝરી અધિકારીઓને મહિનામાં એકવાર સિવિલ ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.