અમદાવાદની હવા પણ બની રહી છે પ્રદૂષિત, લોકોને પડતી શ્વાસ લેવામાં તકલીફ


  • Published By :
  • Published Date : 2023-02-20 11:45:05

દિવસેને દિવસે એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની હવાનું સ્તર સતત ઘટી રહ્યું છે તો અમદાવાદ પણ આ માર્ગ પર અગ્રેસર છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. એક્યુઆઈ 150ને પાર મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયો છે. પીરાણા પાસે સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું હતું. ચાંદખેડામાં 142 એક્યુઆઈ, રાયખંડમાં 221 એક્યુઆઈ, બોપલમાં 159 એક્યુઆઈ નોંધાયું છે. શહેરમાં વધતું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યો છે.


એર ક્વોલિટી ઘટતા વધ્યું પ્રદૂષણ 

અમદાવાદ શહેરનું પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. પ્રદૂષણ વધતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ ચિંતા જનક સપાટી પર પહોંચ્યો છે. અમદાવાદનું એક્યુઆઈ 232 પર પહોંચ્યું છે. સૌથી વધુ ખતરનાક હવા પીરાણાની છે. પીરાણાનું એક્યુઆઈ 345 આસપાસ નોંધાયું છે. તો નવરંગપુરા વિસ્તારનું એક્યુઆઈ 190 નોંધાયું છે. ચાંદખેડાનું એક્યુઆઈ 252 નોંધાયું છે. 


અમદાવાદની હવા બની ઝેરી 

સામાન્ય રીતે એક્યુઆઈનો આંકડો 200ની નીચે રહેવો જોઈએ. જો 200ની ઉપર આંકડો જાય તો હવાની ક્વોલિટી poor ગણાય. 300ને પાર આંકડો જાય તો very poorની સ્થિતિ ગણવામાં આવે છે. અમદાવાદની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. વાહનોને કારણે હવામાં પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. શિયાળાના સમયે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર વધારે અસર થતી હોય છે. ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતના ચાર શહેરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. રાજકોટમાં 115 એક્યુઆર નોંધાયો છે. સુરતનું એક્યુઆર 100 નોંધાયું છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.