અમદાવાદની હવા પણ બની રહી છે પ્રદૂષિત, લોકોને પડતી શ્વાસ લેવામાં તકલીફ


  • Published By :
  • Published Date : 2023-02-20 11:45:05

દિવસેને દિવસે એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની હવાનું સ્તર સતત ઘટી રહ્યું છે તો અમદાવાદ પણ આ માર્ગ પર અગ્રેસર છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. એક્યુઆઈ 150ને પાર મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયો છે. પીરાણા પાસે સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું હતું. ચાંદખેડામાં 142 એક્યુઆઈ, રાયખંડમાં 221 એક્યુઆઈ, બોપલમાં 159 એક્યુઆઈ નોંધાયું છે. શહેરમાં વધતું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યો છે.


એર ક્વોલિટી ઘટતા વધ્યું પ્રદૂષણ 

અમદાવાદ શહેરનું પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. પ્રદૂષણ વધતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ ચિંતા જનક સપાટી પર પહોંચ્યો છે. અમદાવાદનું એક્યુઆઈ 232 પર પહોંચ્યું છે. સૌથી વધુ ખતરનાક હવા પીરાણાની છે. પીરાણાનું એક્યુઆઈ 345 આસપાસ નોંધાયું છે. તો નવરંગપુરા વિસ્તારનું એક્યુઆઈ 190 નોંધાયું છે. ચાંદખેડાનું એક્યુઆઈ 252 નોંધાયું છે. 


અમદાવાદની હવા બની ઝેરી 

સામાન્ય રીતે એક્યુઆઈનો આંકડો 200ની નીચે રહેવો જોઈએ. જો 200ની ઉપર આંકડો જાય તો હવાની ક્વોલિટી poor ગણાય. 300ને પાર આંકડો જાય તો very poorની સ્થિતિ ગણવામાં આવે છે. અમદાવાદની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. વાહનોને કારણે હવામાં પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. શિયાળાના સમયે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર વધારે અસર થતી હોય છે. ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતના ચાર શહેરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. રાજકોટમાં 115 એક્યુઆર નોંધાયો છે. સુરતનું એક્યુઆર 100 નોંધાયું છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.