અમદાવાદની હવા પણ બની રહી છે પ્રદૂષિત, લોકોને પડતી શ્વાસ લેવામાં તકલીફ


  • Published By :
  • Published Date : 2023-02-20 11:45:05

દિવસેને દિવસે એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની હવાનું સ્તર સતત ઘટી રહ્યું છે તો અમદાવાદ પણ આ માર્ગ પર અગ્રેસર છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. એક્યુઆઈ 150ને પાર મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયો છે. પીરાણા પાસે સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું હતું. ચાંદખેડામાં 142 એક્યુઆઈ, રાયખંડમાં 221 એક્યુઆઈ, બોપલમાં 159 એક્યુઆઈ નોંધાયું છે. શહેરમાં વધતું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યો છે.


એર ક્વોલિટી ઘટતા વધ્યું પ્રદૂષણ 

અમદાવાદ શહેરનું પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. પ્રદૂષણ વધતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ ચિંતા જનક સપાટી પર પહોંચ્યો છે. અમદાવાદનું એક્યુઆઈ 232 પર પહોંચ્યું છે. સૌથી વધુ ખતરનાક હવા પીરાણાની છે. પીરાણાનું એક્યુઆઈ 345 આસપાસ નોંધાયું છે. તો નવરંગપુરા વિસ્તારનું એક્યુઆઈ 190 નોંધાયું છે. ચાંદખેડાનું એક્યુઆઈ 252 નોંધાયું છે. 


અમદાવાદની હવા બની ઝેરી 

સામાન્ય રીતે એક્યુઆઈનો આંકડો 200ની નીચે રહેવો જોઈએ. જો 200ની ઉપર આંકડો જાય તો હવાની ક્વોલિટી poor ગણાય. 300ને પાર આંકડો જાય તો very poorની સ્થિતિ ગણવામાં આવે છે. અમદાવાદની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. વાહનોને કારણે હવામાં પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. શિયાળાના સમયે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર વધારે અસર થતી હોય છે. ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતના ચાર શહેરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. રાજકોટમાં 115 એક્યુઆર નોંધાયો છે. સુરતનું એક્યુઆર 100 નોંધાયું છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.