ગુજરાતમાં ઠંડીનું વધશે પ્રમાણ, આગામી દિવસોમાં ઘટશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-21 09:27:10

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી ફરી એક વખત ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે છે. 

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે. 21 તારીખ સુધી ઠંડી ઘટશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. જ્યારે 25થી 27 જાન્યુઆરીથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીથી મળી આંશિક રાહત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક બે દિવસથી ઠંડીથી રાહત મળી હતી પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. શીતલહેરનો અનુભવ ફરી એક વખત ગુજરાતવાસીઓને થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે બે દિવસ ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત કોલ્ડવેવનો અહેસાસ થવાનો છે. એક તરફ સરકાર કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી રહી છે અને લોકો ને કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરી રહી છે અને બીજી તરફ ધોરાજીનાં ખેડૂતોને હાલ કડકડતી ઠંડીમાં એમના ખેતરમાં રાત્રે વીજ પુરવઠો મળતો હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારએ વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારનું આ વચન જાણે પોકળ સાબિત થઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી 

બેથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટવાથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સાથે સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સવારે અને રાત્રીના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં 25 જાન્યુઆરી બાદ તાપમાનમાં ઘટાડો આવશે. હાલ ઠંડીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. ઉપરાંત જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.