ગુજરાતમાં ઠંડીનું વધશે પ્રમાણ, આગામી દિવસોમાં ઘટશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-21 09:27:10

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી ફરી એક વખત ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે છે. 

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે. 21 તારીખ સુધી ઠંડી ઘટશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. જ્યારે 25થી 27 જાન્યુઆરીથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીથી મળી આંશિક રાહત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક બે દિવસથી ઠંડીથી રાહત મળી હતી પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. શીતલહેરનો અનુભવ ફરી એક વખત ગુજરાતવાસીઓને થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે બે દિવસ ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત કોલ્ડવેવનો અહેસાસ થવાનો છે. એક તરફ સરકાર કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી રહી છે અને લોકો ને કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરી રહી છે અને બીજી તરફ ધોરાજીનાં ખેડૂતોને હાલ કડકડતી ઠંડીમાં એમના ખેતરમાં રાત્રે વીજ પુરવઠો મળતો હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારએ વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારનું આ વચન જાણે પોકળ સાબિત થઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી 

બેથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટવાથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સાથે સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સવારે અને રાત્રીના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં 25 જાન્યુઆરી બાદ તાપમાનમાં ઘટાડો આવશે. હાલ ઠંડીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. ઉપરાંત જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.