Jamnagarમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો ચરમસીમા પર! PoonamBen Madamને કરવો પડ્યો વિરોધનો સામનો, જામજોધપુર બાદ હવે ધ્રોલમાં વિરોધ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-29 13:04:56

આપણે સાંભળ્યું છે કે કરે કોઈ અને ભરે કોઈ.. મતલબ કોઈના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે..આ વાત જામનગરમાં જાણે સાચી સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે... ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ અને સૌથી વધારે વિરોધ જામનગરમાં જોવા મળી રહ્યો છે.. પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજના લોકોએ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં વિરોધ કર્યો હતો..ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યા હતા. 

પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

એક તરફ ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે... જેટલો વિરોધ કદાચ પરષોત્તમ રૂપાલાનો નહીં થયો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે.. થોડા સમયથી જામનગરથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સભા સ્થળ પર ક્ષત્રિય સમાજના લોકો પહોંચી રહ્યા છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.. 


પૂનમબેન માડમના રોડ-શોમાં થયો વિરોધ 

જામનગરમાં પૂનમબેન માડમને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.. ધ્રોલમાં યોજાયેલી સભામાં અનેક ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. મળતી માહિતી અનુસાર 100થી વધારે યુવાનોની અટકાયત કરવામાં આવી છે.. 



યુવાનોએ લગાવ્યા હાય હાયના નારા...!

પોલીસ દ્વારા ચૂસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ તો પણ પૂનમબેન માડમની ગાડી સુધી ક્ષત્રિય સમાજના યુવાનો આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.. ક્ષત્રિય સમાજના યુવાનોએ 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યા હતા.  નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે