Jamnagarમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો ચરમસીમા પર! PoonamBen Madamને કરવો પડ્યો વિરોધનો સામનો, જામજોધપુર બાદ હવે ધ્રોલમાં વિરોધ, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 13:04:56

આપણે સાંભળ્યું છે કે કરે કોઈ અને ભરે કોઈ.. મતલબ કોઈના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે..આ વાત જામનગરમાં જાણે સાચી સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે... ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ અને સૌથી વધારે વિરોધ જામનગરમાં જોવા મળી રહ્યો છે.. પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજના લોકોએ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં વિરોધ કર્યો હતો..ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યા હતા. 

પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

એક તરફ ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે... જેટલો વિરોધ કદાચ પરષોત્તમ રૂપાલાનો નહીં થયો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે.. થોડા સમયથી જામનગરથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સભા સ્થળ પર ક્ષત્રિય સમાજના લોકો પહોંચી રહ્યા છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.. 


પૂનમબેન માડમના રોડ-શોમાં થયો વિરોધ 

જામનગરમાં પૂનમબેન માડમને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.. ધ્રોલમાં યોજાયેલી સભામાં અનેક ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. મળતી માહિતી અનુસાર 100થી વધારે યુવાનોની અટકાયત કરવામાં આવી છે.. 



યુવાનોએ લગાવ્યા હાય હાયના નારા...!

પોલીસ દ્વારા ચૂસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ તો પણ પૂનમબેન માડમની ગાડી સુધી ક્ષત્રિય સમાજના યુવાનો આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.. ક્ષત્રિય સમાજના યુવાનોએ 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યા હતા.  નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો.



જમાવટની ટીમ કચ્છના એક એવા આશ્રય સ્થાન આપતા રૈન બસૈરા શેલ્ટર હોમ પહોંચી હતી જેનું નામ હતું મા બાપનું ઘર.. જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે જે લોકો પાસે ઘરનો આસરો નથી હોતો, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રખડતા, ભટકતા લોકો હોય છે તે લોકોને સાચવે છે...

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..

ગઈકાલે પીએમ મોદીએ વારાણસીની લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ દાવેદારી નોંધાવી હતી.. ઉમેદવારોએ એફિડેવિટ કરવી પડતી હોય છે જેમાં તેમની પાસે કેટલી મિલકત છે, કેટલું સોનું છે તે સહિતની વિગતો આપવાની રહે છે. પીએમ બન્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..