Jamnagarમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો ચરમસીમા પર! PoonamBen Madamને કરવો પડ્યો વિરોધનો સામનો, જામજોધપુર બાદ હવે ધ્રોલમાં વિરોધ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-29 13:04:56

આપણે સાંભળ્યું છે કે કરે કોઈ અને ભરે કોઈ.. મતલબ કોઈના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે..આ વાત જામનગરમાં જાણે સાચી સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે... ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ અને સૌથી વધારે વિરોધ જામનગરમાં જોવા મળી રહ્યો છે.. પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજના લોકોએ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં વિરોધ કર્યો હતો..ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યા હતા. 

પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

એક તરફ ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે... જેટલો વિરોધ કદાચ પરષોત્તમ રૂપાલાનો નહીં થયો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે.. થોડા સમયથી જામનગરથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સભા સ્થળ પર ક્ષત્રિય સમાજના લોકો પહોંચી રહ્યા છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.. 


પૂનમબેન માડમના રોડ-શોમાં થયો વિરોધ 

જામનગરમાં પૂનમબેન માડમને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.. ધ્રોલમાં યોજાયેલી સભામાં અનેક ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. મળતી માહિતી અનુસાર 100થી વધારે યુવાનોની અટકાયત કરવામાં આવી છે.. 



યુવાનોએ લગાવ્યા હાય હાયના નારા...!

પોલીસ દ્વારા ચૂસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ તો પણ પૂનમબેન માડમની ગાડી સુધી ક્ષત્રિય સમાજના યુવાનો આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.. ક્ષત્રિય સમાજના યુવાનોએ 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યા હતા.  નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે