Jamnagarમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો ચરમસીમા પર! PoonamBen Madamને કરવો પડ્યો વિરોધનો સામનો, જામજોધપુર બાદ હવે ધ્રોલમાં વિરોધ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-29 13:04:56

આપણે સાંભળ્યું છે કે કરે કોઈ અને ભરે કોઈ.. મતલબ કોઈના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે..આ વાત જામનગરમાં જાણે સાચી સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે... ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ અને સૌથી વધારે વિરોધ જામનગરમાં જોવા મળી રહ્યો છે.. પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજના લોકોએ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં વિરોધ કર્યો હતો..ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યા હતા. 

પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

એક તરફ ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે... જેટલો વિરોધ કદાચ પરષોત્તમ રૂપાલાનો નહીં થયો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે.. થોડા સમયથી જામનગરથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સભા સ્થળ પર ક્ષત્રિય સમાજના લોકો પહોંચી રહ્યા છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.. 


પૂનમબેન માડમના રોડ-શોમાં થયો વિરોધ 

જામનગરમાં પૂનમબેન માડમને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.. ધ્રોલમાં યોજાયેલી સભામાં અનેક ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. મળતી માહિતી અનુસાર 100થી વધારે યુવાનોની અટકાયત કરવામાં આવી છે.. 



યુવાનોએ લગાવ્યા હાય હાયના નારા...!

પોલીસ દ્વારા ચૂસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ તો પણ પૂનમબેન માડમની ગાડી સુધી ક્ષત્રિય સમાજના યુવાનો આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.. ક્ષત્રિય સમાજના યુવાનોએ 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યા હતા.  નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.