પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયકની વાતચીતનો ઓડિયો થયો વાયરલ, Gyansahayak ઉમેદવારોને પગાર ન મળતા કર્યો ફોન? સાંભળો વાયરલ ક્લીપને


  • Published By :
  • Published Date : 2024-04-11 16:06:47

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે... અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના આધારે ચાલે છે, એટલે ત્યાં એક જ શિક્ષક છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા આંદોલન કરવામાં આવ્યા. આ બધા વચ્ચે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ જ્ઞાનસહાયક ફોન પર વાત કરી રહ્યા છે અને બીજી તરફ પ્રફુલ પાનસેરિયા છે.. ઓડિયો ક્લીપમાં જ્ઞાનસહાયક પગાર ક્યારે મળશે તે સવાલ પૂછી રહ્યા છે...

અનેક વખત જોયા છે એવા દ્રશ્યો જેમાં.... 

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટનો મુદ્દો અનેક વખત વિધાનસભામાં પણ ગુંજ્યો છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું, ગાંધીનગર ખાતે પ્રદર્શન કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ઉમેદવારોને અટકાવાઈ દેવાતા.. એવા દ્રશ્યો પણ આપણે જોયા છે જેમાં ઉમેદવાર અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થતું હોય. 


વાતચીતનો ઓડિયો વાયરલ  

ટેટ ટાટ પાસ ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભાવિ સુરક્ષિત નથી તે વિદ્યાર્થીઓના ભાવિને કેવી રીતે સુરક્ષિત કરી શકે? જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયક વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત છે. જ્ઞાનસહાયક પ્રફુલ પાનસેરિયાને પૂછી રહ્યા છે કે પગાર ક્યારે કરવામાં આવશે...?    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.