પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયકની વાતચીતનો ઓડિયો થયો વાયરલ, Gyansahayak ઉમેદવારોને પગાર ન મળતા કર્યો ફોન? સાંભળો વાયરલ ક્લીપને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 16:06:47

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે... અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના આધારે ચાલે છે, એટલે ત્યાં એક જ શિક્ષક છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા આંદોલન કરવામાં આવ્યા. આ બધા વચ્ચે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ જ્ઞાનસહાયક ફોન પર વાત કરી રહ્યા છે અને બીજી તરફ પ્રફુલ પાનસેરિયા છે.. ઓડિયો ક્લીપમાં જ્ઞાનસહાયક પગાર ક્યારે મળશે તે સવાલ પૂછી રહ્યા છે...

અનેક વખત જોયા છે એવા દ્રશ્યો જેમાં.... 

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટનો મુદ્દો અનેક વખત વિધાનસભામાં પણ ગુંજ્યો છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું, ગાંધીનગર ખાતે પ્રદર્શન કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ઉમેદવારોને અટકાવાઈ દેવાતા.. એવા દ્રશ્યો પણ આપણે જોયા છે જેમાં ઉમેદવાર અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થતું હોય. 


વાતચીતનો ઓડિયો વાયરલ  

ટેટ ટાટ પાસ ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભાવિ સુરક્ષિત નથી તે વિદ્યાર્થીઓના ભાવિને કેવી રીતે સુરક્ષિત કરી શકે? જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયક વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત છે. જ્ઞાનસહાયક પ્રફુલ પાનસેરિયાને પૂછી રહ્યા છે કે પગાર ક્યારે કરવામાં આવશે...?    




રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે જ્યારે કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે.. અમેઠીમાં સ્મૃતિ ઈરાની છે ભાજપના ઉમેદવાર.

પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..