પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયકની વાતચીતનો ઓડિયો થયો વાયરલ, Gyansahayak ઉમેદવારોને પગાર ન મળતા કર્યો ફોન? સાંભળો વાયરલ ક્લીપને


  • Published By :
  • Published Date : 2024-04-11 16:06:47

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે... અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના આધારે ચાલે છે, એટલે ત્યાં એક જ શિક્ષક છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા આંદોલન કરવામાં આવ્યા. આ બધા વચ્ચે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ જ્ઞાનસહાયક ફોન પર વાત કરી રહ્યા છે અને બીજી તરફ પ્રફુલ પાનસેરિયા છે.. ઓડિયો ક્લીપમાં જ્ઞાનસહાયક પગાર ક્યારે મળશે તે સવાલ પૂછી રહ્યા છે...

અનેક વખત જોયા છે એવા દ્રશ્યો જેમાં.... 

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટનો મુદ્દો અનેક વખત વિધાનસભામાં પણ ગુંજ્યો છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું, ગાંધીનગર ખાતે પ્રદર્શન કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ઉમેદવારોને અટકાવાઈ દેવાતા.. એવા દ્રશ્યો પણ આપણે જોયા છે જેમાં ઉમેદવાર અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થતું હોય. 


વાતચીતનો ઓડિયો વાયરલ  

ટેટ ટાટ પાસ ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભાવિ સુરક્ષિત નથી તે વિદ્યાર્થીઓના ભાવિને કેવી રીતે સુરક્ષિત કરી શકે? જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયક વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત છે. જ્ઞાનસહાયક પ્રફુલ પાનસેરિયાને પૂછી રહ્યા છે કે પગાર ક્યારે કરવામાં આવશે...?    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.