પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયકની વાતચીતનો ઓડિયો થયો વાયરલ, Gyansahayak ઉમેદવારોને પગાર ન મળતા કર્યો ફોન? સાંભળો વાયરલ ક્લીપને


  • Published By :
  • Published Date : 2024-04-11 16:06:47

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે... અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના આધારે ચાલે છે, એટલે ત્યાં એક જ શિક્ષક છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા આંદોલન કરવામાં આવ્યા. આ બધા વચ્ચે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ જ્ઞાનસહાયક ફોન પર વાત કરી રહ્યા છે અને બીજી તરફ પ્રફુલ પાનસેરિયા છે.. ઓડિયો ક્લીપમાં જ્ઞાનસહાયક પગાર ક્યારે મળશે તે સવાલ પૂછી રહ્યા છે...

અનેક વખત જોયા છે એવા દ્રશ્યો જેમાં.... 

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટનો મુદ્દો અનેક વખત વિધાનસભામાં પણ ગુંજ્યો છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું, ગાંધીનગર ખાતે પ્રદર્શન કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ઉમેદવારોને અટકાવાઈ દેવાતા.. એવા દ્રશ્યો પણ આપણે જોયા છે જેમાં ઉમેદવાર અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થતું હોય. 


વાતચીતનો ઓડિયો વાયરલ  

ટેટ ટાટ પાસ ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભાવિ સુરક્ષિત નથી તે વિદ્યાર્થીઓના ભાવિને કેવી રીતે સુરક્ષિત કરી શકે? જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયક વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત છે. જ્ઞાનસહાયક પ્રફુલ પાનસેરિયાને પૂછી રહ્યા છે કે પગાર ક્યારે કરવામાં આવશે...?    




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .