દારૂબંધીના ફરી ઉડ્યા ધજાગરા! Jamawatના દર્શકે એક વીડિયો મોકલ્યો જે જોઈને તમે પણ કહેશો કે, આ તો રોજ જોઈએ જ છીએ!


  • Published By :
  • Published Date : 2024-02-01 10:35:21

ગુજરાતમાં દારૂબંધી કાયદાનો અમલ કેવું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત જમાવટની ટીમ દ્વારા દારૂબંધી કાયદાનું કેટલું પાલન થાય છે તે બતાવ્યું છે. ત્યારે જમાવટના દર્શકે અમને એક વીડિયો મોકલ્યો છે. આ વીડિયોમાં તમને કડવી વાસ્તવિકતા જોવા મળશે. કે ગુજરાતમાં માત્ર ગિફ્ટ સિટીમાં જ દારૂ નથી મળતો પરંતુ અનેક જગ્યાઓ પર દારૂ મળે છે!

જમાવટના દર્શકે મોકલ્યો વીડિયો!

અમારા એક દર્શક અમદાવાદમાં નશાબંધીની કચેરી આગળથી જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે તેમણે વીડિયો ઉતાર્યો. બે દિવસ પહેલા જ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ ફન્કશન યોજાયો હતો જેમાં કલાકારોએ સરસ મોજથી દારૂ પીધો હતો. તો આ વીડિયો ઉતારનાર અમારા દર્શકને કદાચ એમ લાગ્યું કે ખાલી ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે. બીજે તો ક્યાંય મળતો જ નથી. તો એમને આ અમદાવાદમાં જોયું તો વીડિયો ઉતાર્યો અને અમને મોકલ્યો....એટલે કે અમારે આ વીડિયોને લઈને ખાસ પ્રશ્નો નથી પૂછવા. અમને કોઈના પર આક્રોશ નથી ગુસ્સો નથી પણ નરી વાસ્તવિકતાના ખોટા દેખાડા કરતા લોકો માટે અમે આ વીડિયો બતાવી રહ્યા છીએ. 


અમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો અનેક વખત ભટકાય છે!

જ્યારે અમદાવાદ જેવા શહેરના રસ્તા પર નીકળીએ તો દર ચાર રસ્તે આવા લોકો ભટકાતા હોય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો દર બે મિનિટે આવા દારૂ પીને લોકો ફરતા જોવા મળે તો પછી આપણે એમ કેવી રીતે માની લઈએ કે માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે અને પીવાય છે. મોંઘો દારૂ ગિફ્ટ સિટીમાં અને સસ્તો દારૂ બહાર જાહેરમાં વેચાય છે...આ હકીકત છે ગુજરાતની... દારૂબંધી બાબતે માધ્યમો પણ ચૂપ છે. કદાચ કારણ એ પણ હોઈ શકે કે જેમ અમે દારૂબંધીની બૂમો પાડી પાડીને થાકી ગયા છીએ એમ એ પણ થાકી ગયા હોય. 


દારૂબંધીના નામે નાટક કેમ? 

અમને, તમને, આપણને બધાને ખબર જ છે કે અહીં દારૂ મળે છે. પણ અમારા કહેવાનો મતલબ એ છે કે જો મળે છે તો એવું કહોને કે મળે છે. એવું તો તમે કહી નથી શકવાના તો પછી દારૂબંધીના નામે નાટક કેમ.. હકીકત વાસ્તવિકતા બીજી કંઈક હોય સિસ્ટમ કંઈક અલગ કેહતી હોય. આવું બધું કેમ ક્યાં સુધી ચાલશે. આ તો એવું થયું કે આ નેતાઓ અને અધિકારીઓ આપણને મૂર્ખ સમજે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.