દારૂબંધીના ફરી ઉડ્યા ધજાગરા! Jamawatના દર્શકે એક વીડિયો મોકલ્યો જે જોઈને તમે પણ કહેશો કે, આ તો રોજ જોઈએ જ છીએ!


  • Published By :
  • Published Date : 2024-02-01 10:35:21

ગુજરાતમાં દારૂબંધી કાયદાનો અમલ કેવું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત જમાવટની ટીમ દ્વારા દારૂબંધી કાયદાનું કેટલું પાલન થાય છે તે બતાવ્યું છે. ત્યારે જમાવટના દર્શકે અમને એક વીડિયો મોકલ્યો છે. આ વીડિયોમાં તમને કડવી વાસ્તવિકતા જોવા મળશે. કે ગુજરાતમાં માત્ર ગિફ્ટ સિટીમાં જ દારૂ નથી મળતો પરંતુ અનેક જગ્યાઓ પર દારૂ મળે છે!

જમાવટના દર્શકે મોકલ્યો વીડિયો!

અમારા એક દર્શક અમદાવાદમાં નશાબંધીની કચેરી આગળથી જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે તેમણે વીડિયો ઉતાર્યો. બે દિવસ પહેલા જ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ ફન્કશન યોજાયો હતો જેમાં કલાકારોએ સરસ મોજથી દારૂ પીધો હતો. તો આ વીડિયો ઉતારનાર અમારા દર્શકને કદાચ એમ લાગ્યું કે ખાલી ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે. બીજે તો ક્યાંય મળતો જ નથી. તો એમને આ અમદાવાદમાં જોયું તો વીડિયો ઉતાર્યો અને અમને મોકલ્યો....એટલે કે અમારે આ વીડિયોને લઈને ખાસ પ્રશ્નો નથી પૂછવા. અમને કોઈના પર આક્રોશ નથી ગુસ્સો નથી પણ નરી વાસ્તવિકતાના ખોટા દેખાડા કરતા લોકો માટે અમે આ વીડિયો બતાવી રહ્યા છીએ. 


અમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો અનેક વખત ભટકાય છે!

જ્યારે અમદાવાદ જેવા શહેરના રસ્તા પર નીકળીએ તો દર ચાર રસ્તે આવા લોકો ભટકાતા હોય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો દર બે મિનિટે આવા દારૂ પીને લોકો ફરતા જોવા મળે તો પછી આપણે એમ કેવી રીતે માની લઈએ કે માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે અને પીવાય છે. મોંઘો દારૂ ગિફ્ટ સિટીમાં અને સસ્તો દારૂ બહાર જાહેરમાં વેચાય છે...આ હકીકત છે ગુજરાતની... દારૂબંધી બાબતે માધ્યમો પણ ચૂપ છે. કદાચ કારણ એ પણ હોઈ શકે કે જેમ અમે દારૂબંધીની બૂમો પાડી પાડીને થાકી ગયા છીએ એમ એ પણ થાકી ગયા હોય. 


દારૂબંધીના નામે નાટક કેમ? 

અમને, તમને, આપણને બધાને ખબર જ છે કે અહીં દારૂ મળે છે. પણ અમારા કહેવાનો મતલબ એ છે કે જો મળે છે તો એવું કહોને કે મળે છે. એવું તો તમે કહી નથી શકવાના તો પછી દારૂબંધીના નામે નાટક કેમ.. હકીકત વાસ્તવિકતા બીજી કંઈક હોય સિસ્ટમ કંઈક અલગ કેહતી હોય. આવું બધું કેમ ક્યાં સુધી ચાલશે. આ તો એવું થયું કે આ નેતાઓ અને અધિકારીઓ આપણને મૂર્ખ સમજે છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"