ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! Kutchના Gandhidhamના આ અડ્ડામાં દેશી દારૂની તો રેલમછેલ છે!


  • Published By :
  • Published Date : 2024-03-29 16:50:47

ગુજરાતમાં દારૂબંધી છે તે વાક્ય જ્યારે લખીએ અથવા તો કહીએ છીએ ત્યારે હસવું આવે છે... કારણ કે આપણી સમક્ષ દારૂના અડ્ડાના અનેક વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. માત્ર જગ્યા બદલાય છે... અમે જ્યારે વિસ્તાર લખીએ કે વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે ત્યારે લોકો કમેન્ટમાં કહેતા હોય છે કે આવા અડ્ડા તો અનેક જગ્યાઓ પર ચાલે છે. ત્યારે દેશી દારૂના અડ્ડાનો વીડિયો કચ્છના ગાંધીધામથી સામે આવ્યો છે. ખુલ્લામાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે કદાચ પોલીસની રહેમ નજર હેઠળ!

આવા દેશી દારૂના અડ્ડા અનેક જગ્યાઓ પર ધમધમી રહ્યા છે....!

કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો જેમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર પણ છે. અડ્ડા પર ના માત્ર દારૂ મળી રહ્યો છે પરંતુ તેની સાથે ચવાણું પણ આપવામાં આવે છે. આ વીડિયો ભલે ગાંધીધામનો હોય પરંતુ આખા ગુજરાતમાં આવા દેશી દારૂના અડ્ડા જોવા મળતા હોય છે. અવાર નવાર આપણી સામે આવા વીડિયો આવતા હોય છે જે દારૂબંધી કાયદાનો અમલ કેટલો થાય છે તે બતાવતા હોય છે...       

 

   

પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોય છે દેશી દારૂના અડ્ડા!   

અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચો મારે છે... ગુજરાત માટે જ્યારે ડ્રાય સ્ટેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દીમાગમાં આવે કે જો ડ્રાય સ્ટેટમાં આટલો બધો દારૂ વેચાતો હોય તો પછી આ કાયદાનો મતલબ શું? ગુજરાતના અનેક ભાગોમાં, અનેક નહીં મુખ્યત્વે ભાગોમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય. ખુલ્લામાં દારૂ વેચાતો હોય અને તો પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.. પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે કારણ કે અનેક વખત પોલીસને ખબર હોવા છતાંય કોઈ પગલા નથી લેવામાં આવતા. પગલા એટલા માટે નથી લેવામાં આવતા કારણ કે અડ્ડા પરથી પોલીસ સ્ટેશનમાં હપ્તો પહોંચે છે..! જો કાર્યવાહી કરવામાં આવે તો હપ્તાઓ બંધ થઈ જાય અને ભ્રષ્ટાચાર બંધ થઈ જાય..!   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.