ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! Kutchના Gandhidhamના આ અડ્ડામાં દેશી દારૂની તો રેલમછેલ છે!


  • Published By :
  • Published Date : 2024-03-29 16:50:47

ગુજરાતમાં દારૂબંધી છે તે વાક્ય જ્યારે લખીએ અથવા તો કહીએ છીએ ત્યારે હસવું આવે છે... કારણ કે આપણી સમક્ષ દારૂના અડ્ડાના અનેક વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. માત્ર જગ્યા બદલાય છે... અમે જ્યારે વિસ્તાર લખીએ કે વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે ત્યારે લોકો કમેન્ટમાં કહેતા હોય છે કે આવા અડ્ડા તો અનેક જગ્યાઓ પર ચાલે છે. ત્યારે દેશી દારૂના અડ્ડાનો વીડિયો કચ્છના ગાંધીધામથી સામે આવ્યો છે. ખુલ્લામાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે કદાચ પોલીસની રહેમ નજર હેઠળ!

આવા દેશી દારૂના અડ્ડા અનેક જગ્યાઓ પર ધમધમી રહ્યા છે....!

કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો જેમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર પણ છે. અડ્ડા પર ના માત્ર દારૂ મળી રહ્યો છે પરંતુ તેની સાથે ચવાણું પણ આપવામાં આવે છે. આ વીડિયો ભલે ગાંધીધામનો હોય પરંતુ આખા ગુજરાતમાં આવા દેશી દારૂના અડ્ડા જોવા મળતા હોય છે. અવાર નવાર આપણી સામે આવા વીડિયો આવતા હોય છે જે દારૂબંધી કાયદાનો અમલ કેટલો થાય છે તે બતાવતા હોય છે...       

 

   

પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોય છે દેશી દારૂના અડ્ડા!   

અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચો મારે છે... ગુજરાત માટે જ્યારે ડ્રાય સ્ટેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દીમાગમાં આવે કે જો ડ્રાય સ્ટેટમાં આટલો બધો દારૂ વેચાતો હોય તો પછી આ કાયદાનો મતલબ શું? ગુજરાતના અનેક ભાગોમાં, અનેક નહીં મુખ્યત્વે ભાગોમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય. ખુલ્લામાં દારૂ વેચાતો હોય અને તો પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.. પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે કારણ કે અનેક વખત પોલીસને ખબર હોવા છતાંય કોઈ પગલા નથી લેવામાં આવતા. પગલા એટલા માટે નથી લેવામાં આવતા કારણ કે અડ્ડા પરથી પોલીસ સ્ટેશનમાં હપ્તો પહોંચે છે..! જો કાર્યવાહી કરવામાં આવે તો હપ્તાઓ બંધ થઈ જાય અને ભ્રષ્ટાચાર બંધ થઈ જાય..!   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.