ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! Kutchના Gandhidhamના આ અડ્ડામાં દેશી દારૂની તો રેલમછેલ છે!


  • Published By :
  • Published Date : 2024-03-29 16:50:47

ગુજરાતમાં દારૂબંધી છે તે વાક્ય જ્યારે લખીએ અથવા તો કહીએ છીએ ત્યારે હસવું આવે છે... કારણ કે આપણી સમક્ષ દારૂના અડ્ડાના અનેક વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. માત્ર જગ્યા બદલાય છે... અમે જ્યારે વિસ્તાર લખીએ કે વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે ત્યારે લોકો કમેન્ટમાં કહેતા હોય છે કે આવા અડ્ડા તો અનેક જગ્યાઓ પર ચાલે છે. ત્યારે દેશી દારૂના અડ્ડાનો વીડિયો કચ્છના ગાંધીધામથી સામે આવ્યો છે. ખુલ્લામાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે કદાચ પોલીસની રહેમ નજર હેઠળ!

આવા દેશી દારૂના અડ્ડા અનેક જગ્યાઓ પર ધમધમી રહ્યા છે....!

કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો જેમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર પણ છે. અડ્ડા પર ના માત્ર દારૂ મળી રહ્યો છે પરંતુ તેની સાથે ચવાણું પણ આપવામાં આવે છે. આ વીડિયો ભલે ગાંધીધામનો હોય પરંતુ આખા ગુજરાતમાં આવા દેશી દારૂના અડ્ડા જોવા મળતા હોય છે. અવાર નવાર આપણી સામે આવા વીડિયો આવતા હોય છે જે દારૂબંધી કાયદાનો અમલ કેટલો થાય છે તે બતાવતા હોય છે...       

 

   

પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોય છે દેશી દારૂના અડ્ડા!   

અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચો મારે છે... ગુજરાત માટે જ્યારે ડ્રાય સ્ટેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દીમાગમાં આવે કે જો ડ્રાય સ્ટેટમાં આટલો બધો દારૂ વેચાતો હોય તો પછી આ કાયદાનો મતલબ શું? ગુજરાતના અનેક ભાગોમાં, અનેક નહીં મુખ્યત્વે ભાગોમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય. ખુલ્લામાં દારૂ વેચાતો હોય અને તો પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.. પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે કારણ કે અનેક વખત પોલીસને ખબર હોવા છતાંય કોઈ પગલા નથી લેવામાં આવતા. પગલા એટલા માટે નથી લેવામાં આવતા કારણ કે અડ્ડા પરથી પોલીસ સ્ટેશનમાં હપ્તો પહોંચે છે..! જો કાર્યવાહી કરવામાં આવે તો હપ્તાઓ બંધ થઈ જાય અને ભ્રષ્ટાચાર બંધ થઈ જાય..!   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.