ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ, સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું, અંબાલાલ પટેલે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-16 17:28:06

રાજ્યમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર સ્પષ્ટ અનુભવાય છે. વહેલી સવારે અને સાંજના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિ છેલ્લા 15 દિવસથી વર્તાઈ રહી છે, પરંતુ રવિવારે દિવાળીના દિવસથી દિવસ દરમિયાનનું તાપમાન પણ ઘટ્યું હોવાથી ઠંડીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.


22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, હવે ધીમે-ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધવા લાગશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવશે. 22 નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. ધીમે-ધીમે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટવા લાગશે. અલનીનોની અસર પણ રહેશે. 22 ડિસેમ્બર પછી ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. જેના કારણે ભારે ઠંડી પડશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં 5 ફેબુઆરીથી ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાનું શરૂ થશે.


હજુ ઠંડી વધશે


હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે આ વર્ષે હાંડથીજાવતી ઠંડી પડે તેવું અનુમાન છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, આથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થયા છે, જેના કારણે લઘુતમ તાપમાન ગગડી રહ્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ગગડીને 13 ડીગ્રી નોંધાયું છે. જોકે ઠંડા પવનો જ્યાં પણ સ્થિર થાય છે એ વિસ્તારનું તાપમાન નીચું આવે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ ચાલુ વર્ષે શિયાળાની ઋતુ પર પણ અલ-નીનોની અસર જોવા મળી રહી છે.


સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું


રાજ્યમાં ઠંડીની સ્થિતી પર એક નજર કરીએ તો એક સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું છે. જોકે રાજ્યમાં સૌથી વઘુ ઠંડી નલિયામાં અનુભવાય છે.એક સપ્તાહમાં નલિયાનું લઘુત્તમ તાપમાન 5 ડીગ્રી ઘટ્યું છે, તેથી નલિયાનું લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 17 ડીગ્રી નોંધાયું છે. અન્ય શહેરનું તાપમાન પણ ઘટીને 17થી 22 ડીગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાજના જણાવ્યા પ્રમાણે દિવાળીના દિવસથી દિવસ દરમિયાન તાપમાન ઘટ્યું છે. હાલમાં દિવસ દરમિયાન 29થી 31 ડીગ્રી તાપમાન રહે છે, જ્યારે સાંજ પછી 17થી 18 ડીગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા ઘણા દિવસોથી સાંજનું તાપમાન 18 ડીગ્રી આસપાસ યથાવત્ રહ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.