Loksabha Electionની તારીખને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થઈ શકે છે લોકસભા ચૂંટણીના તારીખોની જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-03-05 14:39:19

2024 રાજકીય રીતે ઘણું મહત્વનું વર્ષ માનવામાં આવે છે. અનેક દેશોમાં ચૂંટણી યોજાઈ અને અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે. ભારતમાં પણ આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. 14-15 માર્ચ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે કે 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. 


દર પાંચ વર્ષે આપણે ઉજવણીએ છીએ લોકશાહીનો પર્વ!

તહેવારો સામાન્ય રીતે દર વર્ષે આવતા હોય છે. પરંતુ લોકશાહીનો પર્વ પાંચ વર્ષે એક વાર આવે છે. પાંચ વર્ષે લોકોને એ અધિકાર મળે છે કે તે પોતાના જનપ્રતિનિધીને પસંદ કરી શકે. પાંચ વર્ષે લોક મતદાતાઓ મતદાન કરે છે અને દેશમાં સરકાર બને છે. 2019માં આપણે લોકશાહી પર્વ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ આપણે લોકશાહીનો પર્વ ઉજવવાના છીએ. આ વર્ષે લોકસભા ચૂંટણીનું આયોજન થવાનું છે. 


સાત તબક્કામાં થઈ શકે છે ચૂંટણીનું આયોજન 

ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોની મુલાકાત ચૂંટણી પંચની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાંની મુલાકાત ચૂંટણી પંચે લીધી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે એ બધા વચ્ચે એવી માહિતી સામે આવી કે 14-15 માર્ચની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી સંભાવનાઓ છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.