Loksabha Electionની તારીખને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થઈ શકે છે લોકસભા ચૂંટણીના તારીખોની જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-03-05 14:39:19

2024 રાજકીય રીતે ઘણું મહત્વનું વર્ષ માનવામાં આવે છે. અનેક દેશોમાં ચૂંટણી યોજાઈ અને અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે. ભારતમાં પણ આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. 14-15 માર્ચ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે કે 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. 


દર પાંચ વર્ષે આપણે ઉજવણીએ છીએ લોકશાહીનો પર્વ!

તહેવારો સામાન્ય રીતે દર વર્ષે આવતા હોય છે. પરંતુ લોકશાહીનો પર્વ પાંચ વર્ષે એક વાર આવે છે. પાંચ વર્ષે લોકોને એ અધિકાર મળે છે કે તે પોતાના જનપ્રતિનિધીને પસંદ કરી શકે. પાંચ વર્ષે લોક મતદાતાઓ મતદાન કરે છે અને દેશમાં સરકાર બને છે. 2019માં આપણે લોકશાહી પર્વ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ આપણે લોકશાહીનો પર્વ ઉજવવાના છીએ. આ વર્ષે લોકસભા ચૂંટણીનું આયોજન થવાનું છે. 


સાત તબક્કામાં થઈ શકે છે ચૂંટણીનું આયોજન 

ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોની મુલાકાત ચૂંટણી પંચની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાંની મુલાકાત ચૂંટણી પંચે લીધી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે એ બધા વચ્ચે એવી માહિતી સામે આવી કે 14-15 માર્ચની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી સંભાવનાઓ છે.     




૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.