Loksabha Electionની તારીખને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થઈ શકે છે લોકસભા ચૂંટણીના તારીખોની જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-03-05 14:39:19

2024 રાજકીય રીતે ઘણું મહત્વનું વર્ષ માનવામાં આવે છે. અનેક દેશોમાં ચૂંટણી યોજાઈ અને અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે. ભારતમાં પણ આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. 14-15 માર્ચ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે કે 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. 


દર પાંચ વર્ષે આપણે ઉજવણીએ છીએ લોકશાહીનો પર્વ!

તહેવારો સામાન્ય રીતે દર વર્ષે આવતા હોય છે. પરંતુ લોકશાહીનો પર્વ પાંચ વર્ષે એક વાર આવે છે. પાંચ વર્ષે લોકોને એ અધિકાર મળે છે કે તે પોતાના જનપ્રતિનિધીને પસંદ કરી શકે. પાંચ વર્ષે લોક મતદાતાઓ મતદાન કરે છે અને દેશમાં સરકાર બને છે. 2019માં આપણે લોકશાહી પર્વ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ આપણે લોકશાહીનો પર્વ ઉજવવાના છીએ. આ વર્ષે લોકસભા ચૂંટણીનું આયોજન થવાનું છે. 


સાત તબક્કામાં થઈ શકે છે ચૂંટણીનું આયોજન 

ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોની મુલાકાત ચૂંટણી પંચની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાંની મુલાકાત ચૂંટણી પંચે લીધી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે એ બધા વચ્ચે એવી માહિતી સામે આવી કે 14-15 માર્ચની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી સંભાવનાઓ છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.