ભાજપના નેતાએ કહ્યું, મંદિર બનાવું હોય તો ભાજપને મત આપો અને મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:53

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે પાટણમાં ભાજપના નેતાએ નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મંદિર બનાવવાના હકમાં હોય તેઓ ભાજપને વોટ આપે અને જે મસ્જિદ બનાવાના હકમાં હોય તે કોંગ્રેસને વોટ આપે.

  

મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? - ભાજપના નેતા  

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરેક પાર્ટીના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત થયા છે. પ્રચાર દરમિયાન એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. અનેક વખત પોતાના ભાષણમાં હિંદુ-મુસ્લિમ લઈ આવતા હોય છે. ત્યારે પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે નિવેદન આપતા કહ્યું કે મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? બોલો ભાઈ, જો તમારે મંદિર બનાવું હોય તો ભાજપને વોટ આપજો અને જો મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપજો. આ રેલી પાટણના ઉમેદવાર રાજુલ દેસાઈનો પ્રચાર કરવા આ રેલી યોજાઈ હતી. 

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું  સ્વાગત છે | TV9 Gujarati

અનેક વિવાદીત નિવેદન થઈ રહ્યા છે વાયરલ 

ચૂંટણી સમયે આવા અનેક વિવાદીત નિવેદનો સામે આવતા હોય છે. થોડા દિવસો પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મહાદેવને અને અલ્લાહને એક ગણાવ્યા હતા. જેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું. ત્યારે આ વખતે આ નિવેદનને કારણે પણ વિવાદ સર્જાઈ શકે છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.