ભાજપના નેતાએ કહ્યું, મંદિર બનાવું હોય તો ભાજપને મત આપો અને મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:53

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે પાટણમાં ભાજપના નેતાએ નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મંદિર બનાવવાના હકમાં હોય તેઓ ભાજપને વોટ આપે અને જે મસ્જિદ બનાવાના હકમાં હોય તે કોંગ્રેસને વોટ આપે.

  

મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? - ભાજપના નેતા  

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરેક પાર્ટીના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત થયા છે. પ્રચાર દરમિયાન એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. અનેક વખત પોતાના ભાષણમાં હિંદુ-મુસ્લિમ લઈ આવતા હોય છે. ત્યારે પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે નિવેદન આપતા કહ્યું કે મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? બોલો ભાઈ, જો તમારે મંદિર બનાવું હોય તો ભાજપને વોટ આપજો અને જો મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપજો. આ રેલી પાટણના ઉમેદવાર રાજુલ દેસાઈનો પ્રચાર કરવા આ રેલી યોજાઈ હતી. 

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું  સ્વાગત છે | TV9 Gujarati

અનેક વિવાદીત નિવેદન થઈ રહ્યા છે વાયરલ 

ચૂંટણી સમયે આવા અનેક વિવાદીત નિવેદનો સામે આવતા હોય છે. થોડા દિવસો પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મહાદેવને અને અલ્લાહને એક ગણાવ્યા હતા. જેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું. ત્યારે આ વખતે આ નિવેદનને કારણે પણ વિવાદ સર્જાઈ શકે છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.