ભાજપ પાસે ગણાવવા કામ નથી કે કમાને રાજનીતિમાં લાવ્યા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 18:53:56


ચૂંટણી આવી છે ભાઈ! નેતાઓ પોતાના મોઢેથી ઝેર ઓકશે. જ્યારે નેતાઓ પાસે ગણાવવા માટે પોતાના કામ નથી હોતા ત્યારે લોકોને શિક્ષણ-સ્વાસ્થ્ય જેવા જીનવ જરૂરી મુદ્દાઓથી ભટકાવવા માટે હિંદુ-મુસ્લીમની રાજનીતિ કરતા હોય છે. જે નેતા લોકોને જેટલો લોકોને ભટકાવી શકે તે એટલો મહાન કહેવાય છે. પણ અત્યારે ભાજપના એક નેતાએ બફાટ કર્યો છે તેનાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે અને લોકોમાં પણ રોષ ફેલાઈ ગયો છે. 


ભાજપના નેતાએ કમાના નામનો ઉપયોગ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે માટે લોકોને લુભાવવા માટે ત્રણેય પક્ષો પોતપોતાની રીતે પ્રયાસે લાગ્યા છે. ભાજપ પોતાની કામગીરીનું ગૌરવ લેવા માટે ગૌરવ યાત્રા કરી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે રાહુલને ગાંધી કમો કહ્યું છે. તેમણે લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે કમો... કમો... કમો ક્યાંથી ક્યાં નિકળ્યો છે. ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. રાહુલ ગાંધી ગરીબી હટાવવાની વાતો કરે છે અને 40 હજાર રૂપિયાની ટીશર્ટ પહેરીને આવે છે. 


ભાજપના નિવેદન પર કોંગ્રેસની શું પ્રતિક્રિયા?

મનીષ દોષીએ જમાવટ પર સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, બીજા રાજ્યોમાંથી ભાજપના નેતાઓ અને RSSવાળા રાહુલ ગાંધીની યાત્રાથી બઘવાઈ ગયા છે. હકિકતમાં તો ભાજપવાળા બેરોજગારી આસમાને લાવ્યા છે. ભાજપ પેપર ફૂટે છે તેનું ગૌરવ લેવા નિકળ્યા છે. 1600 રૂપિયાનો તેલનો ડબ્બો 3 હજારનો ડબ્બો થઈ ગયો છે. શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે. ગુજરાતમાં ભાજપે શિક્ષણને વેપાર કરી નાખ્યો છે. રાહુલ ગાંધીને કમો કહ્યું તે ભાજપની હલકી માનસીકતા દર્શાવે છે. કમો તો સામાન્ય પરિવારનો દિકરો છે. દિવ્યાંગ છોકરો છે. કમાને કિર્તિદાને આગળ લાવ્યા છે. ભાજપ પાસે તો કહેવા જેવું કંઈ નથી માટે ગમે તેવી વાત કરે છે. 2022ની ચૂંટણી ભાજપની વિદાય યાત્રા છે. જનતા તો રાહુલ ગાંધીનું  સ્વાગત કરી રહ્યા છે. ભાજપ પાસે મહિલાઓ વિદ્યાર્થીઓ જવાબ માગી રહી છે. ભાજપ પાસે મુદ્દાઓ નથી. 27 વર્ષના શાસનમાં ભાજપે 3 લાખ કરોડનું દેવું કરી દીધું છે. બાળક જન્મ લેય તો 56 હજારના દેવા સાથે જન્મ લેય છે. આ છે ભાજપનું શાસન, 27 વર્ષમાં કોઈ કામ નથી કર્યું માટે આવી રીતે ભોળા કમાનું નામ લઈ લોકોને મુદ્દાઓથી ભટકાવી રહ્યા છે. 


આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, કમો ભગવાનનું માણસ છે. કમો એક ભોળો માણસ છે. કમાને કોઈના પ્રત્યે દ્વેષ નથી. સીધા માણસની સીધા માણસ સાથે તુલના કરી તો તે એક સારી બાબત છે. 


ખેર, રાહુલ ગાંધીને શું કહેવું ના કહેવું તે રાજકીય પાર્ટીનો પોતાનો વિષય હોઈ શકે પરંતુ કમાને રાજનીતિમાં લઈ આવવો કેટલું યોગ્ય? ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય બીજી કોઈ પાર્ટી હોય પરંતુ રાજનીતિ કરવી હોય અને ગણાવવા જ હોય તો પોતાના કામ ગણાવવા જોઈએ. આમ લોકોને મુદ્દાઓથી ભટકાવવા માટે કમાના નામનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય કહેવાય? ચૂંટણી નજીક આવશે ત્યારે આનાથી પણ ખરાબ પ્રકારની શૈલીનો ઉપયોગ નેતાઓના મોઢેથી સાંભળવા મળે તેમાં કોઈ નવાઈની વાત નથી. 


 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.