ભાજપ પાસે ગણાવવા કામ નથી કે કમાને રાજનીતિમાં લાવ્યા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 18:53:56


ચૂંટણી આવી છે ભાઈ! નેતાઓ પોતાના મોઢેથી ઝેર ઓકશે. જ્યારે નેતાઓ પાસે ગણાવવા માટે પોતાના કામ નથી હોતા ત્યારે લોકોને શિક્ષણ-સ્વાસ્થ્ય જેવા જીનવ જરૂરી મુદ્દાઓથી ભટકાવવા માટે હિંદુ-મુસ્લીમની રાજનીતિ કરતા હોય છે. જે નેતા લોકોને જેટલો લોકોને ભટકાવી શકે તે એટલો મહાન કહેવાય છે. પણ અત્યારે ભાજપના એક નેતાએ બફાટ કર્યો છે તેનાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે અને લોકોમાં પણ રોષ ફેલાઈ ગયો છે. 


ભાજપના નેતાએ કમાના નામનો ઉપયોગ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે માટે લોકોને લુભાવવા માટે ત્રણેય પક્ષો પોતપોતાની રીતે પ્રયાસે લાગ્યા છે. ભાજપ પોતાની કામગીરીનું ગૌરવ લેવા માટે ગૌરવ યાત્રા કરી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે રાહુલને ગાંધી કમો કહ્યું છે. તેમણે લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે કમો... કમો... કમો ક્યાંથી ક્યાં નિકળ્યો છે. ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. રાહુલ ગાંધી ગરીબી હટાવવાની વાતો કરે છે અને 40 હજાર રૂપિયાની ટીશર્ટ પહેરીને આવે છે. 


ભાજપના નિવેદન પર કોંગ્રેસની શું પ્રતિક્રિયા?

મનીષ દોષીએ જમાવટ પર સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, બીજા રાજ્યોમાંથી ભાજપના નેતાઓ અને RSSવાળા રાહુલ ગાંધીની યાત્રાથી બઘવાઈ ગયા છે. હકિકતમાં તો ભાજપવાળા બેરોજગારી આસમાને લાવ્યા છે. ભાજપ પેપર ફૂટે છે તેનું ગૌરવ લેવા નિકળ્યા છે. 1600 રૂપિયાનો તેલનો ડબ્બો 3 હજારનો ડબ્બો થઈ ગયો છે. શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે. ગુજરાતમાં ભાજપે શિક્ષણને વેપાર કરી નાખ્યો છે. રાહુલ ગાંધીને કમો કહ્યું તે ભાજપની હલકી માનસીકતા દર્શાવે છે. કમો તો સામાન્ય પરિવારનો દિકરો છે. દિવ્યાંગ છોકરો છે. કમાને કિર્તિદાને આગળ લાવ્યા છે. ભાજપ પાસે તો કહેવા જેવું કંઈ નથી માટે ગમે તેવી વાત કરે છે. 2022ની ચૂંટણી ભાજપની વિદાય યાત્રા છે. જનતા તો રાહુલ ગાંધીનું  સ્વાગત કરી રહ્યા છે. ભાજપ પાસે મહિલાઓ વિદ્યાર્થીઓ જવાબ માગી રહી છે. ભાજપ પાસે મુદ્દાઓ નથી. 27 વર્ષના શાસનમાં ભાજપે 3 લાખ કરોડનું દેવું કરી દીધું છે. બાળક જન્મ લેય તો 56 હજારના દેવા સાથે જન્મ લેય છે. આ છે ભાજપનું શાસન, 27 વર્ષમાં કોઈ કામ નથી કર્યું માટે આવી રીતે ભોળા કમાનું નામ લઈ લોકોને મુદ્દાઓથી ભટકાવી રહ્યા છે. 


આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, કમો ભગવાનનું માણસ છે. કમો એક ભોળો માણસ છે. કમાને કોઈના પ્રત્યે દ્વેષ નથી. સીધા માણસની સીધા માણસ સાથે તુલના કરી તો તે એક સારી બાબત છે. 


ખેર, રાહુલ ગાંધીને શું કહેવું ના કહેવું તે રાજકીય પાર્ટીનો પોતાનો વિષય હોઈ શકે પરંતુ કમાને રાજનીતિમાં લઈ આવવો કેટલું યોગ્ય? ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય બીજી કોઈ પાર્ટી હોય પરંતુ રાજનીતિ કરવી હોય અને ગણાવવા જ હોય તો પોતાના કામ ગણાવવા જોઈએ. આમ લોકોને મુદ્દાઓથી ભટકાવવા માટે કમાના નામનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય કહેવાય? ચૂંટણી નજીક આવશે ત્યારે આનાથી પણ ખરાબ પ્રકારની શૈલીનો ઉપયોગ નેતાઓના મોઢેથી સાંભળવા મળે તેમાં કોઈ નવાઈની વાત નથી. 


 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"