ભાજપ પાસે ગણાવવા કામ નથી કે કમાને રાજનીતિમાં લાવ્યા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 18:53:56


ચૂંટણી આવી છે ભાઈ! નેતાઓ પોતાના મોઢેથી ઝેર ઓકશે. જ્યારે નેતાઓ પાસે ગણાવવા માટે પોતાના કામ નથી હોતા ત્યારે લોકોને શિક્ષણ-સ્વાસ્થ્ય જેવા જીનવ જરૂરી મુદ્દાઓથી ભટકાવવા માટે હિંદુ-મુસ્લીમની રાજનીતિ કરતા હોય છે. જે નેતા લોકોને જેટલો લોકોને ભટકાવી શકે તે એટલો મહાન કહેવાય છે. પણ અત્યારે ભાજપના એક નેતાએ બફાટ કર્યો છે તેનાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે અને લોકોમાં પણ રોષ ફેલાઈ ગયો છે. 


ભાજપના નેતાએ કમાના નામનો ઉપયોગ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે માટે લોકોને લુભાવવા માટે ત્રણેય પક્ષો પોતપોતાની રીતે પ્રયાસે લાગ્યા છે. ભાજપ પોતાની કામગીરીનું ગૌરવ લેવા માટે ગૌરવ યાત્રા કરી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે રાહુલને ગાંધી કમો કહ્યું છે. તેમણે લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે કમો... કમો... કમો ક્યાંથી ક્યાં નિકળ્યો છે. ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. રાહુલ ગાંધી ગરીબી હટાવવાની વાતો કરે છે અને 40 હજાર રૂપિયાની ટીશર્ટ પહેરીને આવે છે. 


ભાજપના નિવેદન પર કોંગ્રેસની શું પ્રતિક્રિયા?

મનીષ દોષીએ જમાવટ પર સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, બીજા રાજ્યોમાંથી ભાજપના નેતાઓ અને RSSવાળા રાહુલ ગાંધીની યાત્રાથી બઘવાઈ ગયા છે. હકિકતમાં તો ભાજપવાળા બેરોજગારી આસમાને લાવ્યા છે. ભાજપ પેપર ફૂટે છે તેનું ગૌરવ લેવા નિકળ્યા છે. 1600 રૂપિયાનો તેલનો ડબ્બો 3 હજારનો ડબ્બો થઈ ગયો છે. શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે. ગુજરાતમાં ભાજપે શિક્ષણને વેપાર કરી નાખ્યો છે. રાહુલ ગાંધીને કમો કહ્યું તે ભાજપની હલકી માનસીકતા દર્શાવે છે. કમો તો સામાન્ય પરિવારનો દિકરો છે. દિવ્યાંગ છોકરો છે. કમાને કિર્તિદાને આગળ લાવ્યા છે. ભાજપ પાસે તો કહેવા જેવું કંઈ નથી માટે ગમે તેવી વાત કરે છે. 2022ની ચૂંટણી ભાજપની વિદાય યાત્રા છે. જનતા તો રાહુલ ગાંધીનું  સ્વાગત કરી રહ્યા છે. ભાજપ પાસે મહિલાઓ વિદ્યાર્થીઓ જવાબ માગી રહી છે. ભાજપ પાસે મુદ્દાઓ નથી. 27 વર્ષના શાસનમાં ભાજપે 3 લાખ કરોડનું દેવું કરી દીધું છે. બાળક જન્મ લેય તો 56 હજારના દેવા સાથે જન્મ લેય છે. આ છે ભાજપનું શાસન, 27 વર્ષમાં કોઈ કામ નથી કર્યું માટે આવી રીતે ભોળા કમાનું નામ લઈ લોકોને મુદ્દાઓથી ભટકાવી રહ્યા છે. 


આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, કમો ભગવાનનું માણસ છે. કમો એક ભોળો માણસ છે. કમાને કોઈના પ્રત્યે દ્વેષ નથી. સીધા માણસની સીધા માણસ સાથે તુલના કરી તો તે એક સારી બાબત છે. 


ખેર, રાહુલ ગાંધીને શું કહેવું ના કહેવું તે રાજકીય પાર્ટીનો પોતાનો વિષય હોઈ શકે પરંતુ કમાને રાજનીતિમાં લઈ આવવો કેટલું યોગ્ય? ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય બીજી કોઈ પાર્ટી હોય પરંતુ રાજનીતિ કરવી હોય અને ગણાવવા જ હોય તો પોતાના કામ ગણાવવા જોઈએ. આમ લોકોને મુદ્દાઓથી ભટકાવવા માટે કમાના નામનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય કહેવાય? ચૂંટણી નજીક આવશે ત્યારે આનાથી પણ ખરાબ પ્રકારની શૈલીનો ઉપયોગ નેતાઓના મોઢેથી સાંભળવા મળે તેમાં કોઈ નવાઈની વાત નથી. 


 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.