જ્ઞાતિવાદને લઈ ભાજપના નેતા જ કરી ટ્વિટ, લખ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા જ્ઞાતિ જોઈને મતદારો મત આપે છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-07 12:41:52

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના નેતાએ જ્ઞાતિ વાદને લઈ ચૂંટણી પૂર્વે ટ્વિટ કરી છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વિટ કરતા કહ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. તેમની આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી - ડો. ભરત 

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં સરકાર બનાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. દર વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી જતો હોય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે. ફરિયાદ કરવાનો અધિકાર લોકોએ ગુમાવી દીધો છે કેમ કે તે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી.

 

ભાજપના જે નેતાએ જ્ઞાતિવાદને લઈ ટ્વિટ કરી છે તેમણે અમરેલી અને લાઠી વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરી છે. ચૂંટણી પહેલા એમ પણ જ્ઞાતિવાદનો મુદ્દો ઉઠતો હોય છે. ત્યારે જ્ઞાતિવાદને લઈ ભરત કાનાબારની ટ્વિટને લઈ પાર્ટીમાં તેમનો વિરોધ થઈ શકે છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ફોલો કરે છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદને લઈ તેમણે પ્રહાર કર્યા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે.

           

 A ટીમ તો ભાજપ જ છે - ભાજપ નેતા

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહ્યું છે.  આમ આદમી પાર્ટી પર અનેક વખત પ્રહાર થયા છે. ભરત કાનાબરે ટ્વિટ કરતા લખ્યું કે આપ કહે છે કે કોંગ્રેસ ભાજપની B ટીમ છે. કોંગ્રેસ કહે છે આપ ભાજપની B ટીમ છે. બી ટીમ જે હોય તે પણ A ટીમ તો ભાજપ જ છે.   


સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.