જે BJPના MPએ લોકસભામાં BSP સાંસદ દાનિશ અલીને ઉગ્રવાદી કહ્યા હતા તે નેતા ટ્વિટર પર થઈ રહ્યા છે ટ્રેન્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 11:51:11

સંસદને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં સાંસદો દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે રાજકારણ ગરમાતું હોય છે. પાર્ટીનું પ્રતિનિધિત્વ નેતાઓ તેમજ સાંસદો કરતા હોય છે. પાર્ટીની વિચારધારાનું પણ પ્રતિનિધિત્વ સાંસદો તેમજ પક્ષ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ કરતા હોય છે. ત્યારે નવી સંસદ ભવનમાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી જેને કારણે હોબાળો મચી ગયો હતો. ત્યારે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે  "रमेश_बिधूडी_जिंदाबाद" ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન છે થાય કે લોકો કેવી રીતે લખી શકે જિંદાબાદ કહી શકે? લોકો કેવી રીતે તેમનું સમર્થન કરી શકે?  


સંસદમાં થઈ હતી ઉગ્ર બોલાચાલી! 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સંસદમાં ગઈકાલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. દરમિયાન, ગઈકાલે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતાની ચર્ચા થઈ રહી હતી ત્યારે ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી હોબાળો મચી ગયો હતો. બિધૂડીના નિવેદન બાદ સ્પીકર ઓમ બિરલાએ પણ તેમને ચેતવણી આપવી પડી હતી.


સાંસદે દાનિશને ઉગ્રવાદી કહેતા થયો હોબાળો 


ચંદ્રયાન 3 ની સફળતા અંગે ચર્ચા કરતી વખતે રમેશ બિધૂડીએ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કહી હતી. પોતાનું ભાષણ આપતાં તેમણે કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા આ ઉપરાંત તેમણે અન્ય ઘણી વાંધાજનક વાતો કહી હતી.


ઓમ બિરલાએ ચેતવણી આપી, રાજનાથે ખેદ વ્યક્ત કર્યો


લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં ભાજપના સાંસદ રમેશ બિધુડીની વાંધાજનક ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી છે અને જો ભવિષ્યમાં આવી વર્તણૂકનું પુનરાવર્તન થશે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. બિધુડી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ તરત જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં ખેદ વ્યક્ત કર્યો હતો.


વિપક્ષે કડક કાર્યવાહીની માંગ કરી  


BSP સાંસદ કુંવર દાનિશ અલી પર બિધુડીની ટિપ્પણીથી સંસદમાં હોબાળો થયો અને વિપક્ષી નેતાઓએ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી. તે જ સમયે, કોંગ્રેસે પણ બિધુડીની ટિપ્પણી પર પીએમ મોદી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું પીએમ મોદી હવે આ અંગે કાંઈ કહેશે?


ઓમર અબ્દુલ્લાએ કહ્યું- ભાજપનું સત્ય સામે આવ્યું 


નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ રમેશ બિધુડીના ઉગ્રવાદી અંગેના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આ શબ્દોનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો છે, હું સમજી શકતો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરી શકે છે? આ દર્શાવે છે કે તેઓ મુસ્લિમો વિશે શું વિચારે છે.


બિધુડી જે બોલી રહ્યા છે તે જ ભાજપનો બદઈરાદો છેઃ જયરામ રમેશ


કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે પણ રમેશ બિધુડીના નિવેદનની નિંદા કરી છે. જયરામે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે માફી માંગી છે, પરંતુ તે પૂરતું નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સંસદની અંદર કે બહાર આ ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. આ માત્ર દાનિશ અલીનું જ નહીં પરંતુ આપણા બધાનું અપમાન છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.