હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં


  • Published By :
  • Published Date : 2022-11-04 13:09:57

હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં 


15 લોકોથી ભરેલી એક બોટ નદીમાં ડૂબી હોવાના સમાચાર છે. બોટમા સવાર 15 લોકો મુળ સુરત જિલ્લાના હોવાનુ સામે આવ્યુ છે જેમાથી 2ના મોત થયા છે. આ ઘટના મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બની હતી. સુરતનાં 15 લોકો ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા અને તે દરમિયાન તેઓ નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા.

કહેવામા આવી રહ્યુ છે કે આ દરમિયાન જ બોટ નદીમાં ડૂબી ગઇ હતી. આ પછી ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી 13 લોકોને બચાવી લીધા પણ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષને બચાવી શકાયા નહી. માતા પુત્રનું પાણીમા ડૂબવાને કારણે મોત થયુ છે. ઘટનાની જાણ થતા પરિવારમા શોક છવાયો છે.

આ અગાઉ પણ મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી ખાઈ ડૂબી જતા બોટમા સવાર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 2 લોકો કાળના મુખમા સમાઈ ગયા હતા. આ ઘટના પાછળ બોટ તૂટેલી અને જર્જરિત બોટ સાથે સાથે ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનુ સામે આવ્યુ હતુ.

આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.