હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં


  • Published By :
  • Published Date : 2022-11-04 13:09:57

હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં 


15 લોકોથી ભરેલી એક બોટ નદીમાં ડૂબી હોવાના સમાચાર છે. બોટમા સવાર 15 લોકો મુળ સુરત જિલ્લાના હોવાનુ સામે આવ્યુ છે જેમાથી 2ના મોત થયા છે. આ ઘટના મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બની હતી. સુરતનાં 15 લોકો ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા અને તે દરમિયાન તેઓ નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા.

કહેવામા આવી રહ્યુ છે કે આ દરમિયાન જ બોટ નદીમાં ડૂબી ગઇ હતી. આ પછી ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી 13 લોકોને બચાવી લીધા પણ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષને બચાવી શકાયા નહી. માતા પુત્રનું પાણીમા ડૂબવાને કારણે મોત થયુ છે. ઘટનાની જાણ થતા પરિવારમા શોક છવાયો છે.

આ અગાઉ પણ મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી ખાઈ ડૂબી જતા બોટમા સવાર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 2 લોકો કાળના મુખમા સમાઈ ગયા હતા. આ ઘટના પાછળ બોટ તૂટેલી અને જર્જરિત બોટ સાથે સાથે ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનુ સામે આવ્યુ હતુ.

આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.