હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં


  • Published By :
  • Published Date : 2022-11-04 13:09:57

હોડી નદીમાં ડુબી ગઈ, સુરતના 15 લોકો હતા હોડીમાં 


15 લોકોથી ભરેલી એક બોટ નદીમાં ડૂબી હોવાના સમાચાર છે. બોટમા સવાર 15 લોકો મુળ સુરત જિલ્લાના હોવાનુ સામે આવ્યુ છે જેમાથી 2ના મોત થયા છે. આ ઘટના મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બની હતી. સુરતનાં 15 લોકો ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા અને તે દરમિયાન તેઓ નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા.

કહેવામા આવી રહ્યુ છે કે આ દરમિયાન જ બોટ નદીમાં ડૂબી ગઇ હતી. આ પછી ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી 13 લોકોને બચાવી લીધા પણ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષને બચાવી શકાયા નહી. માતા પુત્રનું પાણીમા ડૂબવાને કારણે મોત થયુ છે. ઘટનાની જાણ થતા પરિવારમા શોક છવાયો છે.

આ અગાઉ પણ મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી ખાઈ ડૂબી જતા બોટમા સવાર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 2 લોકો કાળના મુખમા સમાઈ ગયા હતા. આ ઘટના પાછળ બોટ તૂટેલી અને જર્જરિત બોટ સાથે સાથે ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનુ સામે આવ્યુ હતુ.

આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.