Parimal Nathwani દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર'નું થયું વિમોચન.. પુસ્તકમાં છે સિંહોની સુંદર તસવીરો..


  • Published By :
  • Published Date : 2024-08-03 15:51:18

વર્ષ 2017માં પરિમલ નથવાણી દ્વારા લખવામાં આવેલી ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત બુક પ્રકાશિત થઈ હતી.. આ પુસ્તકમાં સિંહોના અનેક ફોટા હતા.. ત્યારે તેમની વધુ એક પુસ્તકનું લોન્ચિંગ થયું છે. પરિમલ નથવાણીએ ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' લખ્યું છે. આ પુસ્તકમાં સિંહોની અનેક સુંદર તસવીરોને સ્થાન આપવામાં આવ્યું છે.  

  


કોલ ઓફ ધ ગીર પુસ્તકનું કર્યું લોન્ચિંગ 

ગીરના જંગલમાં રહેતા સિંહો આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. સિંહોને જોવાની અનુભુતિ જ અલગ હોય છે.. અનેક સિંહ પ્રેમી હોય છે જે ઘરમાં સિંહનો ફોટો રાખતા હોય છે. સિંહની તસવીરો રાખવી ગમતી હોય છે. સિંહો વિશે જાણવું ગમતું હોય છે વગેરે વગેરે... સિંહોની પુસ્તક લાવવી ગમતી હોય છે. ત્યારે પરિમલ નથવાણીએ પોતાની બીજી બુક લખી છે જેનું લોન્ચિંગ રાખવામાં આવ્યું હતું. ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પરિમલ નથવાણીએ બીજી કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર લખ્યું છે.. આ પુસ્તકમાં સિંહો વિશે વાત કરવામાં આવી છે ઉપરાંત સુંદર સુંદર તસવીરો સિંહની છે.. 


પીએમ મોદીને પુસ્તક આપી હતી ભેટ

કોલ ઓફ ધ ગીર પુસ્તકની કોપી પરિમલ નથવાણીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી હતી. 31મી તારીખે આ બુકનું લોન્ચિંગ હતું.. આ કાર્યક્રમ દરમિયાન અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે. બરડો ડુંગરને સિંહોના રહેઠાણ માટે વિકસાવવું જોઈએ.. આ વિષયને લઈ તેમણે પીએમ સાથે તેમજ કેન્દ્રીય પર્યાયવરણ મંત્રી તેમજ ગુજરાતના પર્યાયવરણ મંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. 

સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે, બરડો ડુંગર પર નવું રહેઠાણ વિકસાવવું જોઈએ : પરિમલ નથવાણી


સિંહોની દુર્લભ તસવીરો મૂકવામાં આવી છે પુસ્તકમાં 

પરિમલ નથવાણીની આ પુસ્તકમાં લખાણ કરતા તસવીરો વધારે છે.. આ પુસ્તકમાં  સિંહોની દુર્લભ કહી શકાય એવી તસવીરો છે જેવી કે ઝાડ પર ચઢતા સિંહોની, એક બીજા સાથે મસ્તી કરતા, વ્હાલ કરતા સિંહોની, સિંહોના બચ્ચાઓની વગેરે વગેરે,, આ પુસ્તકમાં ના માત્ર સિંહોની પરંતુ ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા દેખાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પુસ્તક જોયા બાદ સિંહ માટેનો પ્રેમ જાગી જશે..     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.