Parimal Nathwani દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર'નું થયું વિમોચન.. પુસ્તકમાં છે સિંહોની સુંદર તસવીરો..


  • Published By :
  • Published Date : 2024-08-03 15:51:18

વર્ષ 2017માં પરિમલ નથવાણી દ્વારા લખવામાં આવેલી ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત બુક પ્રકાશિત થઈ હતી.. આ પુસ્તકમાં સિંહોના અનેક ફોટા હતા.. ત્યારે તેમની વધુ એક પુસ્તકનું લોન્ચિંગ થયું છે. પરિમલ નથવાણીએ ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' લખ્યું છે. આ પુસ્તકમાં સિંહોની અનેક સુંદર તસવીરોને સ્થાન આપવામાં આવ્યું છે.  

  


કોલ ઓફ ધ ગીર પુસ્તકનું કર્યું લોન્ચિંગ 

ગીરના જંગલમાં રહેતા સિંહો આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. સિંહોને જોવાની અનુભુતિ જ અલગ હોય છે.. અનેક સિંહ પ્રેમી હોય છે જે ઘરમાં સિંહનો ફોટો રાખતા હોય છે. સિંહની તસવીરો રાખવી ગમતી હોય છે. સિંહો વિશે જાણવું ગમતું હોય છે વગેરે વગેરે... સિંહોની પુસ્તક લાવવી ગમતી હોય છે. ત્યારે પરિમલ નથવાણીએ પોતાની બીજી બુક લખી છે જેનું લોન્ચિંગ રાખવામાં આવ્યું હતું. ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પરિમલ નથવાણીએ બીજી કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર લખ્યું છે.. આ પુસ્તકમાં સિંહો વિશે વાત કરવામાં આવી છે ઉપરાંત સુંદર સુંદર તસવીરો સિંહની છે.. 


પીએમ મોદીને પુસ્તક આપી હતી ભેટ

કોલ ઓફ ધ ગીર પુસ્તકની કોપી પરિમલ નથવાણીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી હતી. 31મી તારીખે આ બુકનું લોન્ચિંગ હતું.. આ કાર્યક્રમ દરમિયાન અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે. બરડો ડુંગરને સિંહોના રહેઠાણ માટે વિકસાવવું જોઈએ.. આ વિષયને લઈ તેમણે પીએમ સાથે તેમજ કેન્દ્રીય પર્યાયવરણ મંત્રી તેમજ ગુજરાતના પર્યાયવરણ મંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. 

સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે, બરડો ડુંગર પર નવું રહેઠાણ વિકસાવવું જોઈએ : પરિમલ નથવાણી


સિંહોની દુર્લભ તસવીરો મૂકવામાં આવી છે પુસ્તકમાં 

પરિમલ નથવાણીની આ પુસ્તકમાં લખાણ કરતા તસવીરો વધારે છે.. આ પુસ્તકમાં  સિંહોની દુર્લભ કહી શકાય એવી તસવીરો છે જેવી કે ઝાડ પર ચઢતા સિંહોની, એક બીજા સાથે મસ્તી કરતા, વ્હાલ કરતા સિંહોની, સિંહોના બચ્ચાઓની વગેરે વગેરે,, આ પુસ્તકમાં ના માત્ર સિંહોની પરંતુ ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા દેખાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પુસ્તક જોયા બાદ સિંહ માટેનો પ્રેમ જાગી જશે..     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.