Unaના તોડકાંડ પછી ACBએ જે વચેટિયાને પકડ્યો એની પાસેથી મળેલી માહિતી સાંભળીને મગજ કામ નહીં કરે!


  • Published By :
  • Published Date : 2024-01-11 13:26:45

આખાય રાજ્યની પોલીસને બદનામ કરતો કિસ્સો આપણે સૌ જાણીયે છીએ કે ઉના પોલીસ સ્ટેશનના પૂર્વ PI ગોસ્વામી અને તેની ટીમ દ્વારા લોકોના કેવી રીતે તોડ કરવામાં આવતા હતા. આ તોડકાંડના કારણે PIનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ પીઆઈના વધુ કથિત કારસ્તાનનો ખુલાસો થયો છે. 

ખાખીના વેશમાં કામ કરતા ગુંડા!

પોલીસ એટલે ચોરોને પકડે અને તેને જેલમાં પુરે એ આપણને બધાને ખબર છે પણ જો પોલીસ જ ચોર અને લૂંટારુ જેવી હરકતો કરવા લાગે તો વિશ્વાસ કોના પર કરવો? ACBએ 30 ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું. જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નીલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતાં તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય. જી હા,,, ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રીતસર પ્રવાસીઓને લૂંટતા હતા. જો કે ACBએ પુરાવાના આધારે પીઆઈ એન. કે. ગોસ્વામી અને ASI નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે. જેને લઈને પીઆઈનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે


વાહન રોકી પોલીસે તોડ કર્યા હોવાના આક્ષેપ!

ગુજરાત પોલીસની છાપ ખરાબ કરનાર PI ગોસ્વામીનો વધુ એક કથિત કારસ્તાન સામે આવ્યો છે.કેટલીક તોડબાજ પોલીસ આપણો તોડ એટલા માટે કરતી હોય છે કારણકે કોઈ વ્યક્તિ વાંકમાં હોય પરંતુ જે વ્યક્તિનો કોઈ વાંક જ ના હોય અને તેનું વાહન રોકી પોલીસ તેનો તોડ કરી લે તેવી ઘટના સામે આવી છે. જેમાં કથિત રીતે 20 હજાર રૂપિયાનો પોલીસે તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.