Unaના તોડકાંડ પછી ACBએ જે વચેટિયાને પકડ્યો એની પાસેથી મળેલી માહિતી સાંભળીને મગજ કામ નહીં કરે!


  • Published By :
  • Published Date : 2024-01-11 13:26:45

આખાય રાજ્યની પોલીસને બદનામ કરતો કિસ્સો આપણે સૌ જાણીયે છીએ કે ઉના પોલીસ સ્ટેશનના પૂર્વ PI ગોસ્વામી અને તેની ટીમ દ્વારા લોકોના કેવી રીતે તોડ કરવામાં આવતા હતા. આ તોડકાંડના કારણે PIનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ પીઆઈના વધુ કથિત કારસ્તાનનો ખુલાસો થયો છે. 

ખાખીના વેશમાં કામ કરતા ગુંડા!

પોલીસ એટલે ચોરોને પકડે અને તેને જેલમાં પુરે એ આપણને બધાને ખબર છે પણ જો પોલીસ જ ચોર અને લૂંટારુ જેવી હરકતો કરવા લાગે તો વિશ્વાસ કોના પર કરવો? ACBએ 30 ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું. જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નીલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતાં તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય. જી હા,,, ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રીતસર પ્રવાસીઓને લૂંટતા હતા. જો કે ACBએ પુરાવાના આધારે પીઆઈ એન. કે. ગોસ્વામી અને ASI નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે. જેને લઈને પીઆઈનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે


વાહન રોકી પોલીસે તોડ કર્યા હોવાના આક્ષેપ!

ગુજરાત પોલીસની છાપ ખરાબ કરનાર PI ગોસ્વામીનો વધુ એક કથિત કારસ્તાન સામે આવ્યો છે.કેટલીક તોડબાજ પોલીસ આપણો તોડ એટલા માટે કરતી હોય છે કારણકે કોઈ વ્યક્તિ વાંકમાં હોય પરંતુ જે વ્યક્તિનો કોઈ વાંક જ ના હોય અને તેનું વાહન રોકી પોલીસ તેનો તોડ કરી લે તેવી ઘટના સામે આવી છે. જેમાં કથિત રીતે 20 હજાર રૂપિયાનો પોલીસે તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.