Unaના તોડકાંડ પછી ACBએ જે વચેટિયાને પકડ્યો એની પાસેથી મળેલી માહિતી સાંભળીને મગજ કામ નહીં કરે!


  • Published By :
  • Published Date : 2024-01-11 13:26:45

આખાય રાજ્યની પોલીસને બદનામ કરતો કિસ્સો આપણે સૌ જાણીયે છીએ કે ઉના પોલીસ સ્ટેશનના પૂર્વ PI ગોસ્વામી અને તેની ટીમ દ્વારા લોકોના કેવી રીતે તોડ કરવામાં આવતા હતા. આ તોડકાંડના કારણે PIનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ પીઆઈના વધુ કથિત કારસ્તાનનો ખુલાસો થયો છે. 

ખાખીના વેશમાં કામ કરતા ગુંડા!

પોલીસ એટલે ચોરોને પકડે અને તેને જેલમાં પુરે એ આપણને બધાને ખબર છે પણ જો પોલીસ જ ચોર અને લૂંટારુ જેવી હરકતો કરવા લાગે તો વિશ્વાસ કોના પર કરવો? ACBએ 30 ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું. જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નીલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતાં તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય. જી હા,,, ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રીતસર પ્રવાસીઓને લૂંટતા હતા. જો કે ACBએ પુરાવાના આધારે પીઆઈ એન. કે. ગોસ્વામી અને ASI નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે. જેને લઈને પીઆઈનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે


વાહન રોકી પોલીસે તોડ કર્યા હોવાના આક્ષેપ!

ગુજરાત પોલીસની છાપ ખરાબ કરનાર PI ગોસ્વામીનો વધુ એક કથિત કારસ્તાન સામે આવ્યો છે.કેટલીક તોડબાજ પોલીસ આપણો તોડ એટલા માટે કરતી હોય છે કારણકે કોઈ વ્યક્તિ વાંકમાં હોય પરંતુ જે વ્યક્તિનો કોઈ વાંક જ ના હોય અને તેનું વાહન રોકી પોલીસ તેનો તોડ કરી લે તેવી ઘટના સામે આવી છે. જેમાં કથિત રીતે 20 હજાર રૂપિયાનો પોલીસે તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.