TET-TATના ઉમેદવારોએ કહાણી રૂપે વ્યક્ત કરી વ્યથા! જે લખ્યું છે તે કદાચ દરેક ઉમેદવાર પોતાની સાથે કનેક્ટ કરી શકશે...!


  • Published By :
  • Published Date : 2023-09-08 17:26:51

પોતાની પીડાને વ્યક્ત કરવા માટે અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ માધ્યમો TET-TATના ઉમેદવારો અપનાવી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે જઈ સરકારને રજૂઆત કરવાની કોશિશ કરી હતી તો કોઈ વખત અનેક પત્ર લઈ પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક કહાની રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદના રજૂ કરી છે. 


ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે કરાર આધારિત ભરતીનો વિરોધ 

ગુજરાતના ભાવિ શિક્ષકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.અલગ અલગ માધ્યમોથી ઉમેદવારો સરકાર સમક્ષ પોતાની વાતને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના જીવનના અનેક વર્ષો તેમણે શિક્ષક બનવાની તૈયારીમાં કાઢી દીધા પરંતુ જ્યારે ભરતીની વાત આવી ત્યારે ઉમેદવારો નાખુશ થઈ ગયા. 


વેદના વ્યક્ત કરવા ઉમેદવારોએ લખી કહાણી! 

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની વાતને રજૂ કરવા માટે અનેક વખત જમાવટની ઓફિસે પણ ઉમેદવારો આવ્યા છે. રજૂઆત કરતા કરતા તેમની આંખો દર્દથી છલકાઈ જતી હતી. ત્યારે હવે એક લખાણ સામે આવ્યું છે જેમાં તેમનું દર્દ વ્યક્ત થઈ રહ્યું છે. એક ભાવિ શિક્ષકની કહાણી છે જેમણે અનેક ડિગ્રીઓ હાંસલ કરી છે. કહાણી રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદનાને રજૂ કરી છે. કહાણીની શરૂઆતમાં લખ્યું છે કે 


चलो आज एक कहानी लिखते हैं,

हर एक शिक्षक की जुबानी लिखते हैं.



આખી જે કહાણી લખવામાં આવી છે તેમાં અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ રાજનીતિમાં કોઈ પરીક્ષા નથી લેવામાં આવતી? તમે પણ આવો પરીક્ષા આપી 11 મહિનાના કરાર પર. ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે જે, તે જ લાવે છે શિક્ષણમાં 11 મહિનાના કરારને.... તે સિવાય પણ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. 


શું સરકારના નિર્ણયને બદલવામાં ઉમેદવારો સફળ થશે? 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. 11 મહિનાની કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવા ગયેલા ઉમેદવારોને શિક્ષક દિવસે જ દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું. પોલીસ દ્વારા તેમની જે રીતે અટકાયત કરવામાં આવી હતી તેને લઈ ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન સરકારના નિર્ણયને બદલવામાં સફળ થાય છે કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી યોજના યથાવત રહે છે તે જોવું રહ્યું.  




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.