TET-TATના ઉમેદવારોએ કહાણી રૂપે વ્યક્ત કરી વ્યથા! જે લખ્યું છે તે કદાચ દરેક ઉમેદવાર પોતાની સાથે કનેક્ટ કરી શકશે...!


  • Published By :
  • Published Date : 2023-09-08 17:26:51

પોતાની પીડાને વ્યક્ત કરવા માટે અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ માધ્યમો TET-TATના ઉમેદવારો અપનાવી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે જઈ સરકારને રજૂઆત કરવાની કોશિશ કરી હતી તો કોઈ વખત અનેક પત્ર લઈ પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક કહાની રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદના રજૂ કરી છે. 


ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે કરાર આધારિત ભરતીનો વિરોધ 

ગુજરાતના ભાવિ શિક્ષકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.અલગ અલગ માધ્યમોથી ઉમેદવારો સરકાર સમક્ષ પોતાની વાતને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના જીવનના અનેક વર્ષો તેમણે શિક્ષક બનવાની તૈયારીમાં કાઢી દીધા પરંતુ જ્યારે ભરતીની વાત આવી ત્યારે ઉમેદવારો નાખુશ થઈ ગયા. 


વેદના વ્યક્ત કરવા ઉમેદવારોએ લખી કહાણી! 

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની વાતને રજૂ કરવા માટે અનેક વખત જમાવટની ઓફિસે પણ ઉમેદવારો આવ્યા છે. રજૂઆત કરતા કરતા તેમની આંખો દર્દથી છલકાઈ જતી હતી. ત્યારે હવે એક લખાણ સામે આવ્યું છે જેમાં તેમનું દર્દ વ્યક્ત થઈ રહ્યું છે. એક ભાવિ શિક્ષકની કહાણી છે જેમણે અનેક ડિગ્રીઓ હાંસલ કરી છે. કહાણી રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદનાને રજૂ કરી છે. કહાણીની શરૂઆતમાં લખ્યું છે કે 


चलो आज एक कहानी लिखते हैं,

हर एक शिक्षक की जुबानी लिखते हैं.



આખી જે કહાણી લખવામાં આવી છે તેમાં અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ રાજનીતિમાં કોઈ પરીક્ષા નથી લેવામાં આવતી? તમે પણ આવો પરીક્ષા આપી 11 મહિનાના કરાર પર. ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે જે, તે જ લાવે છે શિક્ષણમાં 11 મહિનાના કરારને.... તે સિવાય પણ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. 


શું સરકારના નિર્ણયને બદલવામાં ઉમેદવારો સફળ થશે? 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. 11 મહિનાની કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવા ગયેલા ઉમેદવારોને શિક્ષક દિવસે જ દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું. પોલીસ દ્વારા તેમની જે રીતે અટકાયત કરવામાં આવી હતી તેને લઈ ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન સરકારના નિર્ણયને બદલવામાં સફળ થાય છે કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી યોજના યથાવત રહે છે તે જોવું રહ્યું.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.