TET-TATના ઉમેદવારોએ કહાણી રૂપે વ્યક્ત કરી વ્યથા! જે લખ્યું છે તે કદાચ દરેક ઉમેદવાર પોતાની સાથે કનેક્ટ કરી શકશે...!


  • Published By :
  • Published Date : 2023-09-08 17:26:51

પોતાની પીડાને વ્યક્ત કરવા માટે અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ માધ્યમો TET-TATના ઉમેદવારો અપનાવી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે જઈ સરકારને રજૂઆત કરવાની કોશિશ કરી હતી તો કોઈ વખત અનેક પત્ર લઈ પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક કહાની રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદના રજૂ કરી છે. 


ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે કરાર આધારિત ભરતીનો વિરોધ 

ગુજરાતના ભાવિ શિક્ષકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.અલગ અલગ માધ્યમોથી ઉમેદવારો સરકાર સમક્ષ પોતાની વાતને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના જીવનના અનેક વર્ષો તેમણે શિક્ષક બનવાની તૈયારીમાં કાઢી દીધા પરંતુ જ્યારે ભરતીની વાત આવી ત્યારે ઉમેદવારો નાખુશ થઈ ગયા. 


વેદના વ્યક્ત કરવા ઉમેદવારોએ લખી કહાણી! 

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની વાતને રજૂ કરવા માટે અનેક વખત જમાવટની ઓફિસે પણ ઉમેદવારો આવ્યા છે. રજૂઆત કરતા કરતા તેમની આંખો દર્દથી છલકાઈ જતી હતી. ત્યારે હવે એક લખાણ સામે આવ્યું છે જેમાં તેમનું દર્દ વ્યક્ત થઈ રહ્યું છે. એક ભાવિ શિક્ષકની કહાણી છે જેમણે અનેક ડિગ્રીઓ હાંસલ કરી છે. કહાણી રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદનાને રજૂ કરી છે. કહાણીની શરૂઆતમાં લખ્યું છે કે 


चलो आज एक कहानी लिखते हैं,

हर एक शिक्षक की जुबानी लिखते हैं.



આખી જે કહાણી લખવામાં આવી છે તેમાં અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ રાજનીતિમાં કોઈ પરીક્ષા નથી લેવામાં આવતી? તમે પણ આવો પરીક્ષા આપી 11 મહિનાના કરાર પર. ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે જે, તે જ લાવે છે શિક્ષણમાં 11 મહિનાના કરારને.... તે સિવાય પણ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. 


શું સરકારના નિર્ણયને બદલવામાં ઉમેદવારો સફળ થશે? 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. 11 મહિનાની કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવા ગયેલા ઉમેદવારોને શિક્ષક દિવસે જ દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું. પોલીસ દ્વારા તેમની જે રીતે અટકાયત કરવામાં આવી હતી તેને લઈ ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન સરકારના નિર્ણયને બદલવામાં સફળ થાય છે કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી યોજના યથાવત રહે છે તે જોવું રહ્યું.  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.