રાજકોટથી સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો! લવ જેહાદની ચર્ચા વચ્ચે યુવતીએ માતા પિતા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-12 11:27:54

દેશમાં લવ જેહાદના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટથી પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકે કોલેજમાં જતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની પર બળાત્કાર આચર્યો. આ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે તેમની દીકરી 26 જુનથી ગુમ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી. પરિવાર દ્વારા કોલેજનો સંપર્ક કર્યો છે પરંતુ થોડા દિવસ બાદ તે યુવતી ઘરે પાછી આવી ગઈ. સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો તે આ પ્રમાણે છે...      


કોચિંગ ક્લાસના કોચે યુવતીને પ્રેમજાળમાં ફસાવી  

રાજકોટથી એક એવો કિસ્સો સામે આવ્યો છે ભલ ભલા માણસને વિચારવા મજબૂર કરી દે મહેબૂબ બુખારી નામના આ ક્રિકેટ કોચે 4 વર્ષ પહેલા 17 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને હવે તે યુવતીને ભગાડી ગયો, તેવી ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો યુવતી હાલ કોલેજમાં ભણે છે તેને નાનપણથી ક્રિકેટનો શોખ હતો તો તેના માતા પિતાએ તેને 17 વર્ષની ઉંમરે એક ક્રિકેટ કોચિંગ ક્લાસમાં મોકલી હતી. ત્યાં મહેબૂબ બુખારીએ તેને ક્રિકેટ શીખવાડવાના બદલે તેને પ્રેમ જાળમાં ફસાવી એટલું જ નહીં તે યુવતીના પિતાનું કહવું છે કે તેમની દીકરી 21 વર્ષની થઈ ગઈ છે અને તે નમાજ પડે છે હું જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયો ત્યારે તેણે મને હાથ પગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, 'તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લે જે'. 


માતા-પિતાના આક્ષેપોને છોકરીએ ગણાવ્યા પાયા-વિહોણા

એટલું જ નહીં અત્યાર સુધીમાં તેમની પુત્રીને છ વખત મહેબૂબ ભગાડી ચૂક્યો છે. પાંચમી વખત પુત્રી ભાગ્યા બાદ પરત આવી ત્યારે તેનું વર્તન બદલાયેલું લાગ્યું. તે નમાજ પઢતી થઈ ગઈ 26 જૂનના રોજ પરિવારે તે ગુમ થઈ છે તેવી ફરિયાદ નોંધાવી પછી તે યુવતીને શોધીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. આ સાંભળીને એક સમયે ગુસ્સો આવે અને સવાલ થાય કે કઈ રીતે માસૂમ છોકરીઓનું બ્રેઇન વોશ કરી તેમને પ્રેમ જાળમાં ફસાવામાં આવે છે. પણ પછી એક બીજી હકીકત બહાર આવી જે જેમાં છોકરી કહી રહી છે કે જે આક્ષેપો તેની પર માતા પિતા દ્વારા લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. તો બીજી તરફ માતા પિતાએ આક્ષેપ કર્યો કે અમારી દીકરી સાથે લવ જિહાદ થયો છે તે ઘરથી દાગીના અને પૈસા ચોરીને મહબૂબ સાથે ગઈ છે. દીકરીએ એક વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો કે હું મારા માતા પિતાના ત્રાસથી ઘર છોડીને ગઈ છું મારા લગ્ન પણ નથી થયા. 


પોલીસ લવ જેદાહના એન્ગલથી કરી રહી છે તપાસ!

પરિવાર કહે છે અમારી દીકરીને ફસાવામાં આવી છે જ્યારે દીકરી કહે છે મને પરિવાર ત્રાસ આપે છે જ્યારે પોલીસે આ મુદ્દે આગળ કાર્યવાહી હાથ ધરી છે તે યુવતીને અત્યારે મહિલા પોલીસ સાથે રાખવામાં આવી છે અને તે યુવક મહેબૂબ પોલીસની પકડમાં છે. યુવતીએ જે નિવેદન કોર્ટ સમક્ષ આપ્યું છે તે નિવેદન પરથી આગળ કાર્યવાહી થશે. આ કેસ ઘણા બધા સવાલો ઊભા કરે છે પણ જ્યાં સુધી પોલીસની કાર્યવાહીમાં શું નવા ખુલાસા થાય છે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.