રાજકોટથી સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો! લવ જેહાદની ચર્ચા વચ્ચે યુવતીએ માતા પિતા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-12 11:27:54

દેશમાં લવ જેહાદના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટથી પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકે કોલેજમાં જતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની પર બળાત્કાર આચર્યો. આ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે તેમની દીકરી 26 જુનથી ગુમ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી. પરિવાર દ્વારા કોલેજનો સંપર્ક કર્યો છે પરંતુ થોડા દિવસ બાદ તે યુવતી ઘરે પાછી આવી ગઈ. સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો તે આ પ્રમાણે છે...      


કોચિંગ ક્લાસના કોચે યુવતીને પ્રેમજાળમાં ફસાવી  

રાજકોટથી એક એવો કિસ્સો સામે આવ્યો છે ભલ ભલા માણસને વિચારવા મજબૂર કરી દે મહેબૂબ બુખારી નામના આ ક્રિકેટ કોચે 4 વર્ષ પહેલા 17 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને હવે તે યુવતીને ભગાડી ગયો, તેવી ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો યુવતી હાલ કોલેજમાં ભણે છે તેને નાનપણથી ક્રિકેટનો શોખ હતો તો તેના માતા પિતાએ તેને 17 વર્ષની ઉંમરે એક ક્રિકેટ કોચિંગ ક્લાસમાં મોકલી હતી. ત્યાં મહેબૂબ બુખારીએ તેને ક્રિકેટ શીખવાડવાના બદલે તેને પ્રેમ જાળમાં ફસાવી એટલું જ નહીં તે યુવતીના પિતાનું કહવું છે કે તેમની દીકરી 21 વર્ષની થઈ ગઈ છે અને તે નમાજ પડે છે હું જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયો ત્યારે તેણે મને હાથ પગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, 'તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લે જે'. 


માતા-પિતાના આક્ષેપોને છોકરીએ ગણાવ્યા પાયા-વિહોણા

એટલું જ નહીં અત્યાર સુધીમાં તેમની પુત્રીને છ વખત મહેબૂબ ભગાડી ચૂક્યો છે. પાંચમી વખત પુત્રી ભાગ્યા બાદ પરત આવી ત્યારે તેનું વર્તન બદલાયેલું લાગ્યું. તે નમાજ પઢતી થઈ ગઈ 26 જૂનના રોજ પરિવારે તે ગુમ થઈ છે તેવી ફરિયાદ નોંધાવી પછી તે યુવતીને શોધીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. આ સાંભળીને એક સમયે ગુસ્સો આવે અને સવાલ થાય કે કઈ રીતે માસૂમ છોકરીઓનું બ્રેઇન વોશ કરી તેમને પ્રેમ જાળમાં ફસાવામાં આવે છે. પણ પછી એક બીજી હકીકત બહાર આવી જે જેમાં છોકરી કહી રહી છે કે જે આક્ષેપો તેની પર માતા પિતા દ્વારા લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. તો બીજી તરફ માતા પિતાએ આક્ષેપ કર્યો કે અમારી દીકરી સાથે લવ જિહાદ થયો છે તે ઘરથી દાગીના અને પૈસા ચોરીને મહબૂબ સાથે ગઈ છે. દીકરીએ એક વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો કે હું મારા માતા પિતાના ત્રાસથી ઘર છોડીને ગઈ છું મારા લગ્ન પણ નથી થયા. 


પોલીસ લવ જેદાહના એન્ગલથી કરી રહી છે તપાસ!

પરિવાર કહે છે અમારી દીકરીને ફસાવામાં આવી છે જ્યારે દીકરી કહે છે મને પરિવાર ત્રાસ આપે છે જ્યારે પોલીસે આ મુદ્દે આગળ કાર્યવાહી હાથ ધરી છે તે યુવતીને અત્યારે મહિલા પોલીસ સાથે રાખવામાં આવી છે અને તે યુવક મહેબૂબ પોલીસની પકડમાં છે. યુવતીએ જે નિવેદન કોર્ટ સમક્ષ આપ્યું છે તે નિવેદન પરથી આગળ કાર્યવાહી થશે. આ કેસ ઘણા બધા સવાલો ઊભા કરે છે પણ જ્યાં સુધી પોલીસની કાર્યવાહીમાં શું નવા ખુલાસા થાય છે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.