રાજસ્થાનનો કિસ્સો: ઓનલાઈન ગેમિંગની લાગી એવી લત કે ઊંઘમાં બાળક બબડતો હતો, જાણો બાળકને સુધારવા માતા પિતાએ શું કર્યું?


  • Published By :
  • Published Date : 2023-07-12 16:09:06

મોબાઈલની લત અનેક બાળકોમાં જોવા મળી રહી છે. કોરોનાના સમયથી બાળકો મોબાઈલને આધીન થઈ ગયા હોય તેવું લાગે છે. અનેક બાળકો એવા છે જે મોબાઈલ વગર જમતા નથી. ન માત્ર બાળકો પરંતુ મોબાઈલની લત યુવાનોમાં પણ જોવા મળે છે. થોડા સમય પહેલા PUBG જેવી અનેક ઓનલાઈન ગેમો હતી જેણે બાળકો તેમજ યુવાનોના માનસિક આરોગ્ય પર ગંભીર અસર કરી છે. ત્યારે એક કિસ્સો રાજસ્થાનના અલવરથી કથિત રીતે સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકે મોબાઈલ ગેમિંગથી અસરગ્રસ્ત થઈ માનસિક સંતુલન બગડી ગયું છે. પરિવારનું કહેવું છે કે અનેક કલાકો સુધી તે ફ્રી ફાયર ગેમ તેમજ પબ્જી જેવી ગેમો રમતો હતો. ઓનલાઈન રમતોની એવી ખરાબ અસર થઈ ગઈ કે તે ગેમ ન રમે તે માટે તેના હાથ પગ બાંધવા પડતા હતા. સારવાર માટે તેને ડોક્ટર પાસે લઈ જવાયો અને મીડિયા રિપોર્ટ અનુસાર તેની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ઓનલાઈન ક્લાસીસને કારણે બાળકોમાં વધ્યો મોબાઈલનો ક્રેઝ

દરેક વ્યક્તિ પાસે આજે સ્માર્ટ ફોન છે. સ્માર્ટ ફોનમાં કોઈ ગેમ રમતા હોય છે, કોઈ સોશિયલ મીડિયાને વાપરતા હોય છે. કોઈને કોઈ રીતે મોબાઈલમાં લોકો ઘૂસેલા આપણને જોવા મળતા હોય છે. કોરોનાના સમય બાદ બાળકોમાં પણ મોબાઈલની લત વધતી જોવા મળી રહી છે. ઓનલાઈન ક્લાસીસ માટે આપવામાં આવેલો ફોન ક્યારે તેમની આદત બની જાય છે તે ખબર નથી પડતી. ઓનલાઈન ક્લાસીસ દરમિયાન ભણતા વિદ્યાર્થીઓ ક્યારે ઓનલાઈન ગેમ્સ રમતા થઈ જાય છે તેનો ખ્યાલ પણ આવતો નથી. ત્યારે આવો જ એક કિસ્સો રાજસ્થાનના અલવરથી સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન ગેમની લત એટલી બધી વધી ગઈ કે તે રાત્રે પણ ફાયર ફાયર બોલતો હતો. મળતી માહિતી અનુસાર આ કિસ્સો અલવરના મુંગાસ્કા કોલોનીનો છે. માતા સાફ સફાઈનું કામ કરે છે, જ્યારે પિતા રિક્શા ચલાવી ઘરનો ખર્ચો પૂરો પાડે છે. સાત મહિના પહેલા જ સ્માર્ટ ફોન લાવવામાં આવ્યો હતો એ વિચારીને કે ભણવામાં બાળકને તકલીફ ન પડે. ઓનલાઈન ક્લાસ માટે મદદરૂપ થશે. 


બાળકમાં સુધારો આવે તે માટે પરિવારના સભ્યોએ કર્યા અનેક પ્રયત્નો

પિતા ફોન ઘરે જ મૂકીને કામ પર જતા હતા. પરંતુ બાળક ઓનલાઈન ક્લાસની બદલીમાં ઓનલાઈન ગેમ્સ રમવા લાગ્યો. ધીમે ધીમે મોબાઈલ ફોનની અને ઓનલાઈન ગેમની લત લાગી ગઈ. મળતી માહિતી અનુસાર 14થી 15 કલાક તે ફોન પર વિતાવવા લાગ્યો. જેને લઈ તેના મગજ પર ખરાબ અસર પડવા લાગી. બાળકના વર્તનમાં પરિવારજનોએ ફેરફાર કર્યો હતો. શરૂઆતમાં પરિવારજનોએ તેને લડીને સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તો પણ તેનામાં સુધારો આવ્યો ન હતો. પરિવારજનો દ્વારા ખખડાવવામાં આવતા બે વખત તેણે ઘર છોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ન થયો. છેવટે પરિવારના સભ્યોએ એને બાંધીને રાખવો પડ્યો હતો. એવું માનવામાં આવતું કે બાળક સુધરી જશે. પરંતુ કોઈ ફેર પડ્યો નહીં. 


બાળક મોબાઈલમાં શું કરે છે તેની પર રાખવી જોઈએ નજર  

ઘરવાળાઓએ જણાવ્યું કે મોડી રાત સુધી તે ચાદર નીચે ગેમ રમતો હતો. તેણે ખાવાનું પીવાનું પણ છોડી દીધું હતું. ઉંઘમાં પણ તે ફાયર ફાયર બબડતો રહેતો. તેના હાથ પણ ગેમ રમતા હોય તેવી રીતે રાત્રે ચાલતા રહેતા હતા. બાળકની બગડતી હાલતને ધ્યાનમાં રાખી અનેક ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ પણ ફરક ન પડ્યો હતો. જે બાદ સારવાર માટે તેને આવાસ ગૃહ મોકલવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેની હાલતમાં સુધારો આવી રહ્યો છે.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.