Coaching Center માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ, સરકારે 16 વર્ષથી નીચેના બાળકોના એડમિશન પર લગાવી રોક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-19 12:27:31

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી દીધું હોય. પ્રાઈવેટ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી સહિતના નિયમો જાહેર કર્યા છે. ગાઈડલાઈન અનુસાર કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીને એડમિશન ન આપવાનું જણાવવામાં આવ્યું છે. અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જો તેનું પાલન નહીં થાય તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ગાઈડલાઈન્સ!

NEET તેમજ JEE સહિતની પરીક્ષાની તૈયારી કરવા માટે અનેક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર જતા હોય છે. સારૂ કેરિયર બનાવવા માટે તે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે પરંતુ અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવના શિકાર થઈ જતા હોય છે. એટલું બધુ પ્રેસર વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે કે તે અંતે જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ આત્મહત્યા કરવાનું પસંદ કરે છે. આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓને જોતા કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને જો તે નિયમોનું પાલન નહીં થાય તો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.


શું છે નવા નિયમો? 

જે નોટિફિકેશન આપવામાં આવ્યા છે તે પ્રમાણે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન હવેથી નહીં આપવામાં આવે. તેમનું એડમિશન 12માંની પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમને એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે દરેક કોર્સના ટ્યુશન ફી નક્કી કરવા પડશે. કોઈ પણ કોર્સની ફી વચ્ચે નહીં વધારી શકાય., સાથે સાથે તેમને રસીદ પણ આપવી પડશે. ગાઈડલાઈન્સમાં એવો પણ ઉલ્લેખ છે કે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર ખોલવા માટે પરમિશન લેવી પડશે. હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત એનઓઈસી હોવી જરૂરી છે. જો પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 25000નો દંડ ફટકારવામાં આવશે અને જો બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 1 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.