Coaching Center માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ, સરકારે 16 વર્ષથી નીચેના બાળકોના એડમિશન પર લગાવી રોક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-19 12:27:31

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી દીધું હોય. પ્રાઈવેટ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી સહિતના નિયમો જાહેર કર્યા છે. ગાઈડલાઈન અનુસાર કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીને એડમિશન ન આપવાનું જણાવવામાં આવ્યું છે. અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જો તેનું પાલન નહીં થાય તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ગાઈડલાઈન્સ!

NEET તેમજ JEE સહિતની પરીક્ષાની તૈયારી કરવા માટે અનેક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર જતા હોય છે. સારૂ કેરિયર બનાવવા માટે તે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે પરંતુ અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવના શિકાર થઈ જતા હોય છે. એટલું બધુ પ્રેસર વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે કે તે અંતે જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ આત્મહત્યા કરવાનું પસંદ કરે છે. આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓને જોતા કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને જો તે નિયમોનું પાલન નહીં થાય તો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.


શું છે નવા નિયમો? 

જે નોટિફિકેશન આપવામાં આવ્યા છે તે પ્રમાણે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન હવેથી નહીં આપવામાં આવે. તેમનું એડમિશન 12માંની પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમને એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે દરેક કોર્સના ટ્યુશન ફી નક્કી કરવા પડશે. કોઈ પણ કોર્સની ફી વચ્ચે નહીં વધારી શકાય., સાથે સાથે તેમને રસીદ પણ આપવી પડશે. ગાઈડલાઈન્સમાં એવો પણ ઉલ્લેખ છે કે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર ખોલવા માટે પરમિશન લેવી પડશે. હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત એનઓઈસી હોવી જરૂરી છે. જો પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 25000નો દંડ ફટકારવામાં આવશે અને જો બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 1 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.