Coaching Center માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ, સરકારે 16 વર્ષથી નીચેના બાળકોના એડમિશન પર લગાવી રોક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-19 12:27:31

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી દીધું હોય. પ્રાઈવેટ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી સહિતના નિયમો જાહેર કર્યા છે. ગાઈડલાઈન અનુસાર કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીને એડમિશન ન આપવાનું જણાવવામાં આવ્યું છે. અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જો તેનું પાલન નહીં થાય તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ગાઈડલાઈન્સ!

NEET તેમજ JEE સહિતની પરીક્ષાની તૈયારી કરવા માટે અનેક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર જતા હોય છે. સારૂ કેરિયર બનાવવા માટે તે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે પરંતુ અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવના શિકાર થઈ જતા હોય છે. એટલું બધુ પ્રેસર વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે કે તે અંતે જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ આત્મહત્યા કરવાનું પસંદ કરે છે. આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓને જોતા કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને જો તે નિયમોનું પાલન નહીં થાય તો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.


શું છે નવા નિયમો? 

જે નોટિફિકેશન આપવામાં આવ્યા છે તે પ્રમાણે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન હવેથી નહીં આપવામાં આવે. તેમનું એડમિશન 12માંની પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમને એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે દરેક કોર્સના ટ્યુશન ફી નક્કી કરવા પડશે. કોઈ પણ કોર્સની ફી વચ્ચે નહીં વધારી શકાય., સાથે સાથે તેમને રસીદ પણ આપવી પડશે. ગાઈડલાઈન્સમાં એવો પણ ઉલ્લેખ છે કે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર ખોલવા માટે પરમિશન લેવી પડશે. હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત એનઓઈસી હોવી જરૂરી છે. જો પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 25000નો દંડ ફટકારવામાં આવશે અને જો બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 1 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.