કેન્દ્ર સરકારે Loksabha Election પહેલા પેટ્રોલ ડિઝલના ભાવમાં કર્યો 2 રુપિયાનો ઘટાડો, આ જાહેરાત બાદ લાગે ચૂંટણી નજીક આવી ગઈ!


  • Published By :
  • Published Date : 2024-03-15 11:02:53

સામાન્ય રીતે અમે સમાચાર લખતા હોઈએ છીએ કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે પરંતુ હવે ચૂંટણીનો સમય છે એટલે સમાચાર લખીએ છીએ કે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે! કેન્દ્ર સરકારે બે રૂપિયાનો ભાવ ઘટાડો પ્રતિ લિટરે કર્યો છે. ગઈકાલે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આજ સવારે 6 વાગ્યાથી આ ભાવ ઘટાડનો અમલ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ 2 વર્ષ બાદ ભાવમાં ફેર બદલ કર્યો છે અને વધારવાની જગ્યાએ ઘટાડ્યા છે. 

ક્યાં કેટલા ભાવમાં મળશે પેટ્રોલ? 

સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ મંત્રીએ લખ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કરોડો ભારતીયોને પોતાના પરિવારના હિત અને સુવિધા સદૈવ તેમનો લક્ષ્ય છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા થયો છે. 

વિધાનસભા ચૂંટણી વખતે રાજકીય પાર્ટી દ્વારા આપવામાં આવે છે વચનો 

જ્યારે જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ત્યારે તે રાજ્યના લોકોને રાજકીય પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે જો અમારી સરકાર બનશે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયામાં અપાશે, આ સેવાનો લાભ આપવામાં આવશે વગેરે વગેરે... વિધાનસભા ચૂંટણી વખતે આ આપણે જોયું છે, મતાદાતાઓને આકર્ષવા માટે આવી ઓફરો લાવવામાં આવતી હોય છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે સમગ્ર દેશના લોકોને લાભ થાય, દેશના લોકો આકર્ષાય તેવી જાહેરાત કરવામાં આવી છે આ વખતે.



ભાવ ઘટાડો થતા લાગે છે કે ચૂંટણી નજીક આવી!    

લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ગમે ત્યારે તારીખોનું એલાન થઈ જશે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી હોય છે તેમ તેમ મતાદાતાઓને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના વાયદા કરવામાં આવતા હોય છે. જેમ જેમ ચૂંટણી પ્રચાર તેજ બનશે તેમ તેમ અલગ અલગ વચનો આપવામાં આવશે. પરંતુ તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવામાં આવી છે. જ્યારે આ ભાવ ઘટાડા અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે જ મનમાં વિચાર આવ્યો હશે કે લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી..!



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.