કેન્દ્ર સરકારે Loksabha Election પહેલા પેટ્રોલ ડિઝલના ભાવમાં કર્યો 2 રુપિયાનો ઘટાડો, આ જાહેરાત બાદ લાગે ચૂંટણી નજીક આવી ગઈ!


  • Published By :
  • Published Date : 2024-03-15 11:02:53

સામાન્ય રીતે અમે સમાચાર લખતા હોઈએ છીએ કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે પરંતુ હવે ચૂંટણીનો સમય છે એટલે સમાચાર લખીએ છીએ કે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે! કેન્દ્ર સરકારે બે રૂપિયાનો ભાવ ઘટાડો પ્રતિ લિટરે કર્યો છે. ગઈકાલે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આજ સવારે 6 વાગ્યાથી આ ભાવ ઘટાડનો અમલ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ 2 વર્ષ બાદ ભાવમાં ફેર બદલ કર્યો છે અને વધારવાની જગ્યાએ ઘટાડ્યા છે. 

ક્યાં કેટલા ભાવમાં મળશે પેટ્રોલ? 

સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ મંત્રીએ લખ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કરોડો ભારતીયોને પોતાના પરિવારના હિત અને સુવિધા સદૈવ તેમનો લક્ષ્ય છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા થયો છે. 

વિધાનસભા ચૂંટણી વખતે રાજકીય પાર્ટી દ્વારા આપવામાં આવે છે વચનો 

જ્યારે જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ત્યારે તે રાજ્યના લોકોને રાજકીય પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે જો અમારી સરકાર બનશે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયામાં અપાશે, આ સેવાનો લાભ આપવામાં આવશે વગેરે વગેરે... વિધાનસભા ચૂંટણી વખતે આ આપણે જોયું છે, મતાદાતાઓને આકર્ષવા માટે આવી ઓફરો લાવવામાં આવતી હોય છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે સમગ્ર દેશના લોકોને લાભ થાય, દેશના લોકો આકર્ષાય તેવી જાહેરાત કરવામાં આવી છે આ વખતે.



ભાવ ઘટાડો થતા લાગે છે કે ચૂંટણી નજીક આવી!    

લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ગમે ત્યારે તારીખોનું એલાન થઈ જશે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી હોય છે તેમ તેમ મતાદાતાઓને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના વાયદા કરવામાં આવતા હોય છે. જેમ જેમ ચૂંટણી પ્રચાર તેજ બનશે તેમ તેમ અલગ અલગ વચનો આપવામાં આવશે. પરંતુ તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવામાં આવી છે. જ્યારે આ ભાવ ઘટાડા અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે જ મનમાં વિચાર આવ્યો હશે કે લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી..!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.