ગુજરાતના રાજકારણની બદલાતી તસવીર, કોંગ્રેસ યુક્ત બનતું ભાજપ, પહેલી આગલી હરોળમાં બેઠેલા પાંચેય નેતા કોંગ્રેસી.. ભાજપના નેતાને...


  • Published By :
  • Published Date : 2024-06-12 14:21:07

એક સમય એવો હતો જ્યારે એવું કહેવાતું હતું કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવું છે, પરંતુ હમણાંની પરિસ્થિતિ જોતા લાગે છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે..! ગઈકાલે પાંચ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા.. ત્યારે એક તસવીર સામે આવી છે જે ઘણું બધું કહી જાય છે. તે શપથવિધિમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડા બેઠા છે.. પ્રથમ હરોળમાં બેઠેલા નેતાઓ મૂળ કોંગ્રેસના છે, જ્યારે ભાજપના મંત્રીઓને પાછલી હરોળમાં બેસવું પડ્યું છે.


ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ નડ્યો ભાજપને.

ભાજપમાં કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે તે આપણે જાણીએ છીએ.. જ્યારે કોઈ નેતા પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય માણસો પણ કહેતા હોય છે કે થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે.. અને મુખ્યત્વે કેસોમાં બને છે પણ એવું.. ભાજપમાં થતા કોંગ્રેસીકરણને કારણે ભાજપના જ નેતાઓ નાખુશ હોય તેવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખો નડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..શપથવિધિમાં જ્યારે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો પહોંચ્યા હતા ત્યારે તેમને પોતાની વેદના મોવડી મંડળને કરી હતી તેવી વાત સામે આવી છે..


પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા નેતાઓ રહી જાય અને.. 

મહત્વનું છે કે જ્યારે જ્યારે બીજા પક્ષમાંથી કોઈ નેતા આવે છે ત્યારે તે સામાન્ય રીતે પદની અપેક્ષા રાખી આવતો હોય છે.. બીજી પાર્ટીમાંથી પદની સારી ઓફર મળી હોય તો જ તે પોતાનો પક્ષ છોડે તેવું આપણે માનીએ છીએ.. પદ માટે પાર્ટીને છોડતા નેતાઓ કઈ પાર્ટીમાં ક્યારે હોય તે નક્કી ના હોય... ગમે ત્યારે નેતાઓ પક્ષ પલટો કરી લેતા હોય છે.. મહત્વનું છે કે જે નેતાઓ, કાર્યકર્તાઓ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હોય છે તે પદથી દૂર રહે છે જ્યારે બીજા પક્ષમાંથી આવેલા, પક્ષપલટુંઓ મંત્રીપદ, સત્તા મેળવી જલસા કરે છે.. ત્યારે સામે આવેલી તસવીર વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.