અમદાવાદ અકસ્માત બાદ શરૂ થયેલું ચેકિંગ માત્ર ચાર દિવસ ચાલ્યું! જો કડકાઈથી ચેકિંગ કરવામાં આવે તો વાંધો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-24 11:58:45

આપણે ત્યાં જૂની કહેવત છે કે લોઢું ગરમ ત્યારે હથોડો મારવામાં આવે તો તે તેની અસર થતી હોય છે. જે પ્રમાણે આકાર આપવો હોય તે પ્રમાણે તે આકાર આપણે આપી શકીએ છીએ. આ વાત આપણા પર ઘણી રીતે સાચી રીતે ફીટ બેસે છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ એકદમ એક્શન મોડમાં દેખાતી હતી, ગાડીઓને રોકી લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું પરંતુ તે માત્ર બે દિવસની ચાંદની જેવું હતું! 


નબીરાઓ બીજાના જીવને જોખમમાં નાખે છે!

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઈસ્કોન ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ પોલીસ કર્મીઓ કાળનો કોળિયો બન્યા હતા. રસ્તા પર નબીરાઓ નશાની હાલતમાં ડ્રાઈવ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવન સાથે પણ ચેડા કરે છે. 


અકસ્માત સર્જાયા બાદ SOGએ હાથ ધર્યું સઘન ચેકિંગ  

આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. તે સમયે પોલીસ પણ એકદમ એક્ટિવ મૂડમાં દેખાતી હતી. એસઓજીએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અનેક કેફેમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉપરાંત અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ,થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ ઓપરેશન કરાયું હતું. ડ્રગ્સ તેમજ દારૂના સેવન જેવી પ્રવૃત્તિઓ અટકી જાય તે માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 


મણિનગરમાં નશાની હાલતમાં વ્યક્તિએ સર્જ્યો અકસ્માત  

નબીરાઓ નશાની હાલતમાં ધૂત થઈ અકસ્માત ન સર્જે તેમજ આવી પ્રવૃત્તઓ અટકી જાય તેવા સારા હેતુથી આવું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ જો આવું ચેકિંગ હંમેશા ચાલતું રહે તો કેટલું સારૂ? આવું ચેકિંગ સતત રાખવામાં કોઈ વાંધો ખરો? એવું લાગતું હતું કે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનાથી આવી પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘટાડો જોવા મળશે પરંતુ આજે જ્યારે મણિનગરની ઘટના સામે આવી તેણે આશાઓ પર પાણી ફેરવી દીધું. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં હતો.


થોડા દિવસ સુધી સઘન રીતે ચેકિંગ કરાયું પરંતુ પછી? 

જ્યાં સુધી ચેકિંગ ચાલતું હતું ત્યાં સુધી લોકો સીધા રહ્યા હશે પરંતુ જેમ ચેકિંગની કાર્યવાહી ધીમી પડી તેમ જ નબીરાઓની કરતૂત સામે આવી રહી છે. જો આવી રીતે ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવે તો કોઈ વાંધો ખરો? ઘટનાના ૪ દિવસ સુધી નિયમો તેમજ ચેકિંગ કડકાઈથી થાય છે, પરંતુ થોડા દિવસો વિત્યા પછી પરિસ્થિતિ ઠેરની ઠેર આવીને ઉભી રહી જતી હોય છે. જ્યાં સુધી તમારું ચેકીંગ હોય ત્યાં સુધી લોકો સુધરેલા દેખાય છે પછી બધા એમના એમ.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.