અમદાવાદ અકસ્માત બાદ શરૂ થયેલું ચેકિંગ માત્ર ચાર દિવસ ચાલ્યું! જો કડકાઈથી ચેકિંગ કરવામાં આવે તો વાંધો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-24 11:58:45

આપણે ત્યાં જૂની કહેવત છે કે લોઢું ગરમ ત્યારે હથોડો મારવામાં આવે તો તે તેની અસર થતી હોય છે. જે પ્રમાણે આકાર આપવો હોય તે પ્રમાણે તે આકાર આપણે આપી શકીએ છીએ. આ વાત આપણા પર ઘણી રીતે સાચી રીતે ફીટ બેસે છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ એકદમ એક્શન મોડમાં દેખાતી હતી, ગાડીઓને રોકી લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું પરંતુ તે માત્ર બે દિવસની ચાંદની જેવું હતું! 


નબીરાઓ બીજાના જીવને જોખમમાં નાખે છે!

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઈસ્કોન ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ પોલીસ કર્મીઓ કાળનો કોળિયો બન્યા હતા. રસ્તા પર નબીરાઓ નશાની હાલતમાં ડ્રાઈવ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવન સાથે પણ ચેડા કરે છે. 


અકસ્માત સર્જાયા બાદ SOGએ હાથ ધર્યું સઘન ચેકિંગ  

આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. તે સમયે પોલીસ પણ એકદમ એક્ટિવ મૂડમાં દેખાતી હતી. એસઓજીએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અનેક કેફેમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉપરાંત અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ,થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ ઓપરેશન કરાયું હતું. ડ્રગ્સ તેમજ દારૂના સેવન જેવી પ્રવૃત્તિઓ અટકી જાય તે માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 


મણિનગરમાં નશાની હાલતમાં વ્યક્તિએ સર્જ્યો અકસ્માત  

નબીરાઓ નશાની હાલતમાં ધૂત થઈ અકસ્માત ન સર્જે તેમજ આવી પ્રવૃત્તઓ અટકી જાય તેવા સારા હેતુથી આવું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ જો આવું ચેકિંગ હંમેશા ચાલતું રહે તો કેટલું સારૂ? આવું ચેકિંગ સતત રાખવામાં કોઈ વાંધો ખરો? એવું લાગતું હતું કે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનાથી આવી પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘટાડો જોવા મળશે પરંતુ આજે જ્યારે મણિનગરની ઘટના સામે આવી તેણે આશાઓ પર પાણી ફેરવી દીધું. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં હતો.


થોડા દિવસ સુધી સઘન રીતે ચેકિંગ કરાયું પરંતુ પછી? 

જ્યાં સુધી ચેકિંગ ચાલતું હતું ત્યાં સુધી લોકો સીધા રહ્યા હશે પરંતુ જેમ ચેકિંગની કાર્યવાહી ધીમી પડી તેમ જ નબીરાઓની કરતૂત સામે આવી રહી છે. જો આવી રીતે ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવે તો કોઈ વાંધો ખરો? ઘટનાના ૪ દિવસ સુધી નિયમો તેમજ ચેકિંગ કડકાઈથી થાય છે, પરંતુ થોડા દિવસો વિત્યા પછી પરિસ્થિતિ ઠેરની ઠેર આવીને ઉભી રહી જતી હોય છે. જ્યાં સુધી તમારું ચેકીંગ હોય ત્યાં સુધી લોકો સુધરેલા દેખાય છે પછી બધા એમના એમ.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.