મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપ-મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ફટાકડા ન ફોડવાની લીધી શપથ


  • Published By :
  • Published Date : 2022-10-23 11:53:42

દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં અનેક લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે. પરંતુ આ ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. ફટાકડાને  કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, તેનો ખ્યાલ આપણને નથી આવતો. દિવાળીના સમયે ફોડાતા ફટાકડાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકોની સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી.

Image

ફટાકડા ન ફોડવાની લીધી શપથ 

દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ઝેરી બની રહી છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે Air quality indexમાં પણ વધારો થાય છે. દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ એકદમ વધી જતું હોય છે. જેને કારણે દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી લીધો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ વાયુ પ્રદૂષણ ન વધે તે માટે પ્રયાસ કર્યો છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકો સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી. મહારાષ્ટ્ર સરકારનો આ પ્રયાસ બીરદાવા લાયક છે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી પણ છે. ત્યારે આવા નાના પ્રયાસોથી પર્યાવરણની જાળવણીમાં ફરક પડી શકે છે. આપણને પણ આપણી જવાબદારી સમજીને પર્યાવરણ બચાવવામાં યોગદાન આપીએ.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.