મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપ-મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ફટાકડા ન ફોડવાની લીધી શપથ


  • Published By :
  • Published Date : 2022-10-23 11:53:42

દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં અનેક લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે. પરંતુ આ ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. ફટાકડાને  કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, તેનો ખ્યાલ આપણને નથી આવતો. દિવાળીના સમયે ફોડાતા ફટાકડાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકોની સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી.

Image

ફટાકડા ન ફોડવાની લીધી શપથ 

દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ઝેરી બની રહી છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે Air quality indexમાં પણ વધારો થાય છે. દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ એકદમ વધી જતું હોય છે. જેને કારણે દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી લીધો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ વાયુ પ્રદૂષણ ન વધે તે માટે પ્રયાસ કર્યો છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકો સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી. મહારાષ્ટ્ર સરકારનો આ પ્રયાસ બીરદાવા લાયક છે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી પણ છે. ત્યારે આવા નાના પ્રયાસોથી પર્યાવરણની જાળવણીમાં ફરક પડી શકે છે. આપણને પણ આપણી જવાબદારી સમજીને પર્યાવરણ બચાવવામાં યોગદાન આપીએ.     




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.