મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપ-મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ફટાકડા ન ફોડવાની લીધી શપથ


  • Published By :
  • Published Date : 2022-10-23 11:53:42

દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં અનેક લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે. પરંતુ આ ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. ફટાકડાને  કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, તેનો ખ્યાલ આપણને નથી આવતો. દિવાળીના સમયે ફોડાતા ફટાકડાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકોની સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી.

Image

ફટાકડા ન ફોડવાની લીધી શપથ 

દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ઝેરી બની રહી છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે Air quality indexમાં પણ વધારો થાય છે. દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ એકદમ વધી જતું હોય છે. જેને કારણે દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી લીધો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ વાયુ પ્રદૂષણ ન વધે તે માટે પ્રયાસ કર્યો છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકો સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી. મહારાષ્ટ્ર સરકારનો આ પ્રયાસ બીરદાવા લાયક છે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી પણ છે. ત્યારે આવા નાના પ્રયાસોથી પર્યાવરણની જાળવણીમાં ફરક પડી શકે છે. આપણને પણ આપણી જવાબદારી સમજીને પર્યાવરણ બચાવવામાં યોગદાન આપીએ.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે