ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદ પર બોલ્યા અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-16 09:26:24

થોડા દિવસોથી ભારત અને ચીન વચ્ચે એલએસી પર વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘમાસાણ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા હતા. આ બધા વચ્ચે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારત 1962 પછી ભારત પોતાની જમીન ચીનથી નથી બચાવી શક્યું. પરંતુ વડાપ્રધાન મોદીના આવ્યા પછી ન્યુ ઈન્ડિયામાં આવી ઘટના નહીં બને. પીએમ મોદીના આવ્યા પછી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યું છે. 



પોતાના સંબોધનમાં 1962નો ઉલ્લેખ કર્યો 

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ માય હોમ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું યાંગ્શી સેક્ટરનો વિધાયક છું, જ્યાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઘમાસાણના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 1962માં યાંગ્શી સેક્ટરમાં એક મેજરની સાથે માત્ર 60-70 સૈનિકોની ટુકડી હોતી હતી. જેને કારણે ચીનને હુમલો કરવાનો મોકો મળ્તો હતો. અફસોસ કરતા સીએમ ખાંડુએ કહ્યું કે 1962માં આપણે ચીન સામે થયેલા યુદ્ધમાં પરાજય મળી. 1986માં ચીને ભારત પાસેથી 10થી 20 કિલોમીટરનું ક્ષેત્ર છીનવી લીધું હતું. 


આ કારણથી અરૂણાચલ ભારતનો હિસ્સો બન્યો 

ઈતિહાસને પણ પોતાના સંબોધનમાં તેમણે યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે 1914માં જવાહરલાલે શિમલા સમજોતો કર્યો જેમાં તવાંગ સહિત સમગ્ર અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનવામાં આવ્યો હતો. આઝાદી બાદ સરદાર પટેલે મેજર બાબ કટિંગને સીમા પર ધ્વજ ફરકાવા મોક્લ્યા હતા. પરંતુ તે ધ્વજ ફરકાવે તે સમય દરમિયાન સરદાર પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે અરૂણાચલ પ્રદેશના ગવર્નરે આ અંગે પુષ્ટિ કરવા જવાહરલાલ નહેરૂએ આ સ્થાન પર ધ્વજ ફરકાવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ જગ્યા લઈ અમારે શું કરવાનું છે. નહેરૂની આ ટિપ્પણી બાદ પણ મેજરે ત્યાં ધ્વજ ફરકાવ્યો જેને કારણે અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો બન્યો. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.