ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદ પર બોલ્યા અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-16 09:26:24

થોડા દિવસોથી ભારત અને ચીન વચ્ચે એલએસી પર વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘમાસાણ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા હતા. આ બધા વચ્ચે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારત 1962 પછી ભારત પોતાની જમીન ચીનથી નથી બચાવી શક્યું. પરંતુ વડાપ્રધાન મોદીના આવ્યા પછી ન્યુ ઈન્ડિયામાં આવી ઘટના નહીં બને. પીએમ મોદીના આવ્યા પછી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યું છે. 



પોતાના સંબોધનમાં 1962નો ઉલ્લેખ કર્યો 

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ માય હોમ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું યાંગ્શી સેક્ટરનો વિધાયક છું, જ્યાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઘમાસાણના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 1962માં યાંગ્શી સેક્ટરમાં એક મેજરની સાથે માત્ર 60-70 સૈનિકોની ટુકડી હોતી હતી. જેને કારણે ચીનને હુમલો કરવાનો મોકો મળ્તો હતો. અફસોસ કરતા સીએમ ખાંડુએ કહ્યું કે 1962માં આપણે ચીન સામે થયેલા યુદ્ધમાં પરાજય મળી. 1986માં ચીને ભારત પાસેથી 10થી 20 કિલોમીટરનું ક્ષેત્ર છીનવી લીધું હતું. 


આ કારણથી અરૂણાચલ ભારતનો હિસ્સો બન્યો 

ઈતિહાસને પણ પોતાના સંબોધનમાં તેમણે યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે 1914માં જવાહરલાલે શિમલા સમજોતો કર્યો જેમાં તવાંગ સહિત સમગ્ર અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનવામાં આવ્યો હતો. આઝાદી બાદ સરદાર પટેલે મેજર બાબ કટિંગને સીમા પર ધ્વજ ફરકાવા મોક્લ્યા હતા. પરંતુ તે ધ્વજ ફરકાવે તે સમય દરમિયાન સરદાર પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે અરૂણાચલ પ્રદેશના ગવર્નરે આ અંગે પુષ્ટિ કરવા જવાહરલાલ નહેરૂએ આ સ્થાન પર ધ્વજ ફરકાવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ જગ્યા લઈ અમારે શું કરવાનું છે. નહેરૂની આ ટિપ્પણી બાદ પણ મેજરે ત્યાં ધ્વજ ફરકાવ્યો જેને કારણે અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો બન્યો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે