ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદ પર બોલ્યા અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-16 09:26:24

થોડા દિવસોથી ભારત અને ચીન વચ્ચે એલએસી પર વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘમાસાણ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા હતા. આ બધા વચ્ચે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારત 1962 પછી ભારત પોતાની જમીન ચીનથી નથી બચાવી શક્યું. પરંતુ વડાપ્રધાન મોદીના આવ્યા પછી ન્યુ ઈન્ડિયામાં આવી ઘટના નહીં બને. પીએમ મોદીના આવ્યા પછી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યું છે. 



પોતાના સંબોધનમાં 1962નો ઉલ્લેખ કર્યો 

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ માય હોમ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું યાંગ્શી સેક્ટરનો વિધાયક છું, જ્યાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઘમાસાણના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 1962માં યાંગ્શી સેક્ટરમાં એક મેજરની સાથે માત્ર 60-70 સૈનિકોની ટુકડી હોતી હતી. જેને કારણે ચીનને હુમલો કરવાનો મોકો મળ્તો હતો. અફસોસ કરતા સીએમ ખાંડુએ કહ્યું કે 1962માં આપણે ચીન સામે થયેલા યુદ્ધમાં પરાજય મળી. 1986માં ચીને ભારત પાસેથી 10થી 20 કિલોમીટરનું ક્ષેત્ર છીનવી લીધું હતું. 


આ કારણથી અરૂણાચલ ભારતનો હિસ્સો બન્યો 

ઈતિહાસને પણ પોતાના સંબોધનમાં તેમણે યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે 1914માં જવાહરલાલે શિમલા સમજોતો કર્યો જેમાં તવાંગ સહિત સમગ્ર અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનવામાં આવ્યો હતો. આઝાદી બાદ સરદાર પટેલે મેજર બાબ કટિંગને સીમા પર ધ્વજ ફરકાવા મોક્લ્યા હતા. પરંતુ તે ધ્વજ ફરકાવે તે સમય દરમિયાન સરદાર પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે અરૂણાચલ પ્રદેશના ગવર્નરે આ અંગે પુષ્ટિ કરવા જવાહરલાલ નહેરૂએ આ સ્થાન પર ધ્વજ ફરકાવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ જગ્યા લઈ અમારે શું કરવાનું છે. નહેરૂની આ ટિપ્પણી બાદ પણ મેજરે ત્યાં ધ્વજ ફરકાવ્યો જેને કારણે અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો બન્યો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.