પંજાબના મુખ્યમંત્રી ઘેરાયા વિવાદોમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:49:16

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે ભારત ફરતી વખતે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. લોકોનો દાવો છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ આ વાતને નકારી છે.

List of chief ministers of Punjab (India) - Wikipedia

રોકાણકારો પંજાબમાં રોકાણ કરે તે માટે પંજાબના મુખ્યમંત્રી જર્મનીના પ્રવાસે ગયા હતા. રોકાણકારોને આકર્ષવા પંજાબના મુખ્યમંત્રી 8 દિવસના જર્મનીના પ્રવાસે હતા. ત્યારે ભારત ફરતી વખતે તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.  જ્યારે રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે જર્મનીથી CM ખરાબ તબિયતને કારણે પરત ફ્લાઇટમાં બેસી શક્યા ન હતા.  પત્રકાર આદેશ રાવલે આ વાત અંગે ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો.

આપે આ ઘટનાને ગણાવ્યો વિપક્ષનો ખેલ

આ ચર્ચાએ જોર પકડતા આમ આદમી પાર્ટીએ પોતાની વાત રજૂ કરી હતી. આ ઘટનાને  આમ આદમી પાર્ટીએ નકારી છે. આપના પ્રવક્તાએ આ વાતને વિપક્ષનો ખેલ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓ આપણા મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આવી વાતો ફેલાવી રહ્યા છે. તેઓ પચાવી શક્તા નથી કે પંજાબને આગળ વધારવા સીએમ માન મહેનત કરી રહ્યા છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.