પંજાબના મુખ્યમંત્રી ઘેરાયા વિવાદોમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:49:16

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે ભારત ફરતી વખતે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. લોકોનો દાવો છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ આ વાતને નકારી છે.

List of chief ministers of Punjab (India) - Wikipedia

રોકાણકારો પંજાબમાં રોકાણ કરે તે માટે પંજાબના મુખ્યમંત્રી જર્મનીના પ્રવાસે ગયા હતા. રોકાણકારોને આકર્ષવા પંજાબના મુખ્યમંત્રી 8 દિવસના જર્મનીના પ્રવાસે હતા. ત્યારે ભારત ફરતી વખતે તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.  જ્યારે રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે જર્મનીથી CM ખરાબ તબિયતને કારણે પરત ફ્લાઇટમાં બેસી શક્યા ન હતા.  પત્રકાર આદેશ રાવલે આ વાત અંગે ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો.

આપે આ ઘટનાને ગણાવ્યો વિપક્ષનો ખેલ

આ ચર્ચાએ જોર પકડતા આમ આદમી પાર્ટીએ પોતાની વાત રજૂ કરી હતી. આ ઘટનાને  આમ આદમી પાર્ટીએ નકારી છે. આપના પ્રવક્તાએ આ વાતને વિપક્ષનો ખેલ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓ આપણા મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આવી વાતો ફેલાવી રહ્યા છે. તેઓ પચાવી શક્તા નથી કે પંજાબને આગળ વધારવા સીએમ માન મહેનત કરી રહ્યા છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે