પંજાબના મુખ્યમંત્રી ઘેરાયા વિવાદોમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:49:16

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે ભારત ફરતી વખતે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. લોકોનો દાવો છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ આ વાતને નકારી છે.

List of chief ministers of Punjab (India) - Wikipedia

રોકાણકારો પંજાબમાં રોકાણ કરે તે માટે પંજાબના મુખ્યમંત્રી જર્મનીના પ્રવાસે ગયા હતા. રોકાણકારોને આકર્ષવા પંજાબના મુખ્યમંત્રી 8 દિવસના જર્મનીના પ્રવાસે હતા. ત્યારે ભારત ફરતી વખતે તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.  જ્યારે રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે જર્મનીથી CM ખરાબ તબિયતને કારણે પરત ફ્લાઇટમાં બેસી શક્યા ન હતા.  પત્રકાર આદેશ રાવલે આ વાત અંગે ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો.

આપે આ ઘટનાને ગણાવ્યો વિપક્ષનો ખેલ

આ ચર્ચાએ જોર પકડતા આમ આદમી પાર્ટીએ પોતાની વાત રજૂ કરી હતી. આ ઘટનાને  આમ આદમી પાર્ટીએ નકારી છે. આપના પ્રવક્તાએ આ વાતને વિપક્ષનો ખેલ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓ આપણા મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આવી વાતો ફેલાવી રહ્યા છે. તેઓ પચાવી શક્તા નથી કે પંજાબને આગળ વધારવા સીએમ માન મહેનત કરી રહ્યા છે.  



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .