ગુજરાતના મુખ્યમંત્રીએ લીધી અંતરિયાળ વિસ્તારની મુલાકાત, બાળકો સાથે કર્યું મધ્યાહન ભોજન તો સ્થાનિકો સાથે કર્યો સંવાદ!


  • Published By :
  • Published Date : 2023-07-07 10:26:28

આપણે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના શિક્ષણ એને આરોગ્યને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. શિક્ષણની તેમજ આરોગ્ય વિભાગની લથડતી પરિસ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છીએ. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. અનેક અધિકારીઓ શાળાની સરપ્રાઈઝ વિઝીટ લેતા હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની, આંગણવાડીની ગઈકાલે મુલાકાત લીધી હતી. ત્યાંની પરિસ્થિતિ તેમજ ત્યાં લોકોને પડતી મુશ્કેલી અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અંતરિયાળ વિસ્તારની શાળા,આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

કહેવાય છે કે સારું શિક્ષણ તેમજ સારી આરોગ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો હક હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંને વિભાગોમાં થતાં છબરડાને શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ચર્ચામાં રહે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર પાસેના ગામોની મુલાકાત લીધી હતી. પહેલા મુખ્યમંત્રીએ કુકરમુંડાના ડાબરીઆંબા ગામે પહોંચીને ગામમાં કાર્યરત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને દૂધ મંડળીની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ કરી ગ્રામજનો સાથે વાત!

ગામની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે SMC કમિટીના સભ્યો સાથે સીધી વાત કરી જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ગામના સરપંચને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી.​​​​​​​તેમજ ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધી વાત કરી અને અને સમસ્યાઓ કહી ત્યાર બાદ ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પહોંચીને આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો.


બાળકો સાથે સીએમે કર્યું મધ્યાહન ભોજન 

તે બાદ મુખ્યમંત્રી અમૃત સરોવર પાસે પહોંચ્યા અને ગ્રામજનો, અગ્રણીઓ સાથે વાત કરી. અને પછી કુકરમુંડા ખાતે નવનિર્મિત આઈ.ટી.આઈ બાંધકામનું નિરીક્ષણ કરીને નિઝરના રૂમકીતલાવ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન મધ્યાહન ભોજનની પંગતમાં બેઠા, બાળકો સાથે વાતચીત કરી અને ભોજન પણ કર્યું હતું. જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખુબ સુંદર છે.

બધુ સારૂં જ છે તેમ માનીશું તો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે!   

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોતાના ac વાળા રૂમથી બહાર ગ્રાઉન્ડ પર જશો તો ખરી વાસ્તવિક્તા શું છે તે ખ્યાલ આવશે. અનેક સ્થાનિક નેતાઓ આવું કરતાં હોય છે. સરપ્રાઇઝ વિઝીટ લઈ વાસ્તવિક પરિસ્થિતિને સમજાવાનો પ્રયત્ન કરતા હોય છે. દરેક નેતાએ અને અધિકારીએ આવું કરવું જોઈએ. જ્યાં સુધી બધુ સારું છે તેવું માનતા રહીશું ત્યાં સુધી સુધારો આવવાનો નથી પોતાની ઓફિસથી બહાર નિકળીને આંતરીયાળ વિસ્તારોમાં તેમજ ગામોની મુલાકાત લેવામાં આવશે,  ત્યાંના લોકોની પીડાને સમજાવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે કોઈ બદલાવ આવી શકશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.