ગુજરાતના મુખ્યમંત્રીએ લીધી અંતરિયાળ વિસ્તારની મુલાકાત, બાળકો સાથે કર્યું મધ્યાહન ભોજન તો સ્થાનિકો સાથે કર્યો સંવાદ!


  • Published By :
  • Published Date : 2023-07-07 10:26:28

આપણે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના શિક્ષણ એને આરોગ્યને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. શિક્ષણની તેમજ આરોગ્ય વિભાગની લથડતી પરિસ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છીએ. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. અનેક અધિકારીઓ શાળાની સરપ્રાઈઝ વિઝીટ લેતા હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની, આંગણવાડીની ગઈકાલે મુલાકાત લીધી હતી. ત્યાંની પરિસ્થિતિ તેમજ ત્યાં લોકોને પડતી મુશ્કેલી અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અંતરિયાળ વિસ્તારની શાળા,આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

કહેવાય છે કે સારું શિક્ષણ તેમજ સારી આરોગ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો હક હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંને વિભાગોમાં થતાં છબરડાને શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ચર્ચામાં રહે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર પાસેના ગામોની મુલાકાત લીધી હતી. પહેલા મુખ્યમંત્રીએ કુકરમુંડાના ડાબરીઆંબા ગામે પહોંચીને ગામમાં કાર્યરત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને દૂધ મંડળીની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ કરી ગ્રામજનો સાથે વાત!

ગામની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે SMC કમિટીના સભ્યો સાથે સીધી વાત કરી જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ગામના સરપંચને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી.​​​​​​​તેમજ ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધી વાત કરી અને અને સમસ્યાઓ કહી ત્યાર બાદ ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પહોંચીને આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો.


બાળકો સાથે સીએમે કર્યું મધ્યાહન ભોજન 

તે બાદ મુખ્યમંત્રી અમૃત સરોવર પાસે પહોંચ્યા અને ગ્રામજનો, અગ્રણીઓ સાથે વાત કરી. અને પછી કુકરમુંડા ખાતે નવનિર્મિત આઈ.ટી.આઈ બાંધકામનું નિરીક્ષણ કરીને નિઝરના રૂમકીતલાવ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન મધ્યાહન ભોજનની પંગતમાં બેઠા, બાળકો સાથે વાતચીત કરી અને ભોજન પણ કર્યું હતું. જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખુબ સુંદર છે.

બધુ સારૂં જ છે તેમ માનીશું તો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે!   

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોતાના ac વાળા રૂમથી બહાર ગ્રાઉન્ડ પર જશો તો ખરી વાસ્તવિક્તા શું છે તે ખ્યાલ આવશે. અનેક સ્થાનિક નેતાઓ આવું કરતાં હોય છે. સરપ્રાઇઝ વિઝીટ લઈ વાસ્તવિક પરિસ્થિતિને સમજાવાનો પ્રયત્ન કરતા હોય છે. દરેક નેતાએ અને અધિકારીએ આવું કરવું જોઈએ. જ્યાં સુધી બધુ સારું છે તેવું માનતા રહીશું ત્યાં સુધી સુધારો આવવાનો નથી પોતાની ઓફિસથી બહાર નિકળીને આંતરીયાળ વિસ્તારોમાં તેમજ ગામોની મુલાકાત લેવામાં આવશે,  ત્યાંના લોકોની પીડાને સમજાવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે કોઈ બદલાવ આવી શકશે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.