ગુજરાતના મુખ્યમંત્રીએ લીધી અંતરિયાળ વિસ્તારની મુલાકાત, બાળકો સાથે કર્યું મધ્યાહન ભોજન તો સ્થાનિકો સાથે કર્યો સંવાદ!


  • Published By :
  • Published Date : 2023-07-07 10:26:28

આપણે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના શિક્ષણ એને આરોગ્યને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. શિક્ષણની તેમજ આરોગ્ય વિભાગની લથડતી પરિસ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છીએ. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. અનેક અધિકારીઓ શાળાની સરપ્રાઈઝ વિઝીટ લેતા હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની, આંગણવાડીની ગઈકાલે મુલાકાત લીધી હતી. ત્યાંની પરિસ્થિતિ તેમજ ત્યાં લોકોને પડતી મુશ્કેલી અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અંતરિયાળ વિસ્તારની શાળા,આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

કહેવાય છે કે સારું શિક્ષણ તેમજ સારી આરોગ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો હક હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંને વિભાગોમાં થતાં છબરડાને શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ચર્ચામાં રહે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર પાસેના ગામોની મુલાકાત લીધી હતી. પહેલા મુખ્યમંત્રીએ કુકરમુંડાના ડાબરીઆંબા ગામે પહોંચીને ગામમાં કાર્યરત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને દૂધ મંડળીની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ કરી ગ્રામજનો સાથે વાત!

ગામની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે SMC કમિટીના સભ્યો સાથે સીધી વાત કરી જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ગામના સરપંચને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી.​​​​​​​તેમજ ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધી વાત કરી અને અને સમસ્યાઓ કહી ત્યાર બાદ ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પહોંચીને આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો.


બાળકો સાથે સીએમે કર્યું મધ્યાહન ભોજન 

તે બાદ મુખ્યમંત્રી અમૃત સરોવર પાસે પહોંચ્યા અને ગ્રામજનો, અગ્રણીઓ સાથે વાત કરી. અને પછી કુકરમુંડા ખાતે નવનિર્મિત આઈ.ટી.આઈ બાંધકામનું નિરીક્ષણ કરીને નિઝરના રૂમકીતલાવ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન મધ્યાહન ભોજનની પંગતમાં બેઠા, બાળકો સાથે વાતચીત કરી અને ભોજન પણ કર્યું હતું. જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખુબ સુંદર છે.

બધુ સારૂં જ છે તેમ માનીશું તો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે!   

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોતાના ac વાળા રૂમથી બહાર ગ્રાઉન્ડ પર જશો તો ખરી વાસ્તવિક્તા શું છે તે ખ્યાલ આવશે. અનેક સ્થાનિક નેતાઓ આવું કરતાં હોય છે. સરપ્રાઇઝ વિઝીટ લઈ વાસ્તવિક પરિસ્થિતિને સમજાવાનો પ્રયત્ન કરતા હોય છે. દરેક નેતાએ અને અધિકારીએ આવું કરવું જોઈએ. જ્યાં સુધી બધુ સારું છે તેવું માનતા રહીશું ત્યાં સુધી સુધારો આવવાનો નથી પોતાની ઓફિસથી બહાર નિકળીને આંતરીયાળ વિસ્તારોમાં તેમજ ગામોની મુલાકાત લેવામાં આવશે,  ત્યાંના લોકોની પીડાને સમજાવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે કોઈ બદલાવ આવી શકશે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.