બેગના ભાર નીચે દબાઈ જાય છે બાળ! Gujarat વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો કે શાળાના વિદ્યાર્થીઓના બેગનું કેટલું હોવું જોઈએ વજન?


  • Published By :
  • Published Date : 2024-02-26 16:34:21

ભણતર ભાર વિનાનું હોવું જોઈએ તેવી વાતો આપણે કરીએ છીએ. આપણા વડીલો જ્યારે શાળામાં ભણતા હશે ત્યારે બેગનું વજન ઓછું હતું પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું વજન બાળકના વજન કરતા વધારે હોય છે. ત્યારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ? તો જવાબમાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ.


બાળકોના બેગનું કેટલું હોવું જોઈએ વજન? 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન અનેક એવા આંકડા સામે આવ્યા છે જે ચોંકાવનારા હોય. વિદ્યાર્થીઓને લઈ વિધાનસભામાં અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોઈ વખત શિક્ષકની ઘટને લઈ મુદ્દો ઉઠે છે તો કોઈ વખત એક ઓરડામાં ચાલતી સરકારી શાળા અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે આજે વિધાનસભામાં બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઈએ તે અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ. ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો. 


સરકારે હોમવર્કને લઈ જવાબ આપ્યો કે... 

હોમવર્કને લઈને પણ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ ૧ અને ૨ માં કોઈ હોમવર્ક ન આપવું ઉપરાંત ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વિધાનસભામાં અનેક વખત શિક્ષણને લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.     

    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.