બેગના ભાર નીચે દબાઈ જાય છે બાળ! Gujarat વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો કે શાળાના વિદ્યાર્થીઓના બેગનું કેટલું હોવું જોઈએ વજન?


  • Published By :
  • Published Date : 2024-02-26 16:34:21

ભણતર ભાર વિનાનું હોવું જોઈએ તેવી વાતો આપણે કરીએ છીએ. આપણા વડીલો જ્યારે શાળામાં ભણતા હશે ત્યારે બેગનું વજન ઓછું હતું પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું વજન બાળકના વજન કરતા વધારે હોય છે. ત્યારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ? તો જવાબમાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ.


બાળકોના બેગનું કેટલું હોવું જોઈએ વજન? 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન અનેક એવા આંકડા સામે આવ્યા છે જે ચોંકાવનારા હોય. વિદ્યાર્થીઓને લઈ વિધાનસભામાં અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોઈ વખત શિક્ષકની ઘટને લઈ મુદ્દો ઉઠે છે તો કોઈ વખત એક ઓરડામાં ચાલતી સરકારી શાળા અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે આજે વિધાનસભામાં બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઈએ તે અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ. ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો. 


સરકારે હોમવર્કને લઈ જવાબ આપ્યો કે... 

હોમવર્કને લઈને પણ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ ૧ અને ૨ માં કોઈ હોમવર્ક ન આપવું ઉપરાંત ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વિધાનસભામાં અનેક વખત શિક્ષણને લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.     

    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.