બેગના ભાર નીચે દબાઈ જાય છે બાળ! Gujarat વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો કે શાળાના વિદ્યાર્થીઓના બેગનું કેટલું હોવું જોઈએ વજન?


  • Published By :
  • Published Date : 2024-02-26 16:34:21

ભણતર ભાર વિનાનું હોવું જોઈએ તેવી વાતો આપણે કરીએ છીએ. આપણા વડીલો જ્યારે શાળામાં ભણતા હશે ત્યારે બેગનું વજન ઓછું હતું પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું વજન બાળકના વજન કરતા વધારે હોય છે. ત્યારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ? તો જવાબમાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ.


બાળકોના બેગનું કેટલું હોવું જોઈએ વજન? 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન અનેક એવા આંકડા સામે આવ્યા છે જે ચોંકાવનારા હોય. વિદ્યાર્થીઓને લઈ વિધાનસભામાં અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોઈ વખત શિક્ષકની ઘટને લઈ મુદ્દો ઉઠે છે તો કોઈ વખત એક ઓરડામાં ચાલતી સરકારી શાળા અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે આજે વિધાનસભામાં બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઈએ તે અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ. ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો. 


સરકારે હોમવર્કને લઈ જવાબ આપ્યો કે... 

હોમવર્કને લઈને પણ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ ૧ અને ૨ માં કોઈ હોમવર્ક ન આપવું ઉપરાંત ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વિધાનસભામાં અનેક વખત શિક્ષણને લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.     

    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.