બેગના ભાર નીચે દબાઈ જાય છે બાળ! Gujarat વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો કે શાળાના વિદ્યાર્થીઓના બેગનું કેટલું હોવું જોઈએ વજન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-26 16:34:21

ભણતર ભાર વિનાનું હોવું જોઈએ તેવી વાતો આપણે કરીએ છીએ. આપણા વડીલો જ્યારે શાળામાં ભણતા હશે ત્યારે બેગનું વજન ઓછું હતું પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું વજન બાળકના વજન કરતા વધારે હોય છે. ત્યારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ? તો જવાબમાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ.


બાળકોના બેગનું કેટલું હોવું જોઈએ વજન? 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન અનેક એવા આંકડા સામે આવ્યા છે જે ચોંકાવનારા હોય. વિદ્યાર્થીઓને લઈ વિધાનસભામાં અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોઈ વખત શિક્ષકની ઘટને લઈ મુદ્દો ઉઠે છે તો કોઈ વખત એક ઓરડામાં ચાલતી સરકારી શાળા અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે આજે વિધાનસભામાં બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઈએ તે અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ. ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો. 


સરકારે હોમવર્કને લઈ જવાબ આપ્યો કે... 

હોમવર્કને લઈને પણ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ ૧ અને ૨ માં કોઈ હોમવર્ક ન આપવું ઉપરાંત ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વિધાનસભામાં અનેક વખત શિક્ષણને લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.     

    



રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો