વધતા કોરોના કેસને દબાવવા ચીન સરકારે લીધો આ નિર્ણય, નહીં જાહેર કરવામાં આવે દૈનિક કેસની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-25 17:21:53

ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. હાલત એકદમ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે એક નિર્ણય કર્યો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. ચીનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હવેથી દૈનિક કેસોની સંખ્યા જાહેર કરવામાં નહીં આવે. 


દૈનિક આંકડા જાહેર કરવામાં નહીં આવે 

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા દેશોમાં કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે. વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે. ચીનમાં એચલા બધા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે બેડ ખૂટી રહ્યા છે. દવાઓની કમી પડી રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે એક નિર્ણય કર્યો છે. વધતા કોરોના સંક્રમણને છૂપાવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય હવેથી કોરોનાના આંકડા જાહેર નહીં કરે. 


આવનાર સમયમાં વણસી શકે છે ચીનમાં પરિસ્થિતિ

ચીનમાં જે રીતના કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે અંદાજથી આગામી સમયમાં કરોડો લોકો કોરોના સંક્રમિત થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે લાખો લોકો મોતને ભેટી જશે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં થાય. ચીનમાં વધતા કોરોનાને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી રહી છે. અનેક દેશોએ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી હતી.                     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.