વધતા કોરોના કેસને દબાવવા ચીન સરકારે લીધો આ નિર્ણય, નહીં જાહેર કરવામાં આવે દૈનિક કેસની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-25 17:21:53

ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. હાલત એકદમ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે એક નિર્ણય કર્યો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. ચીનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હવેથી દૈનિક કેસોની સંખ્યા જાહેર કરવામાં નહીં આવે. 


દૈનિક આંકડા જાહેર કરવામાં નહીં આવે 

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન, જાપાન, થાઈલેન્ડ જેવા દેશોમાં કોરોનાને લઈ હાહાકાર મચ્યો છે. વિશ્વના દેશોમાં કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે. ચીનમાં એચલા બધા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે બેડ ખૂટી રહ્યા છે. દવાઓની કમી પડી રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા ચીન સરકારે એક નિર્ણય કર્યો છે. વધતા કોરોના સંક્રમણને છૂપાવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય હવેથી કોરોનાના આંકડા જાહેર નહીં કરે. 


આવનાર સમયમાં વણસી શકે છે ચીનમાં પરિસ્થિતિ

ચીનમાં જે રીતના કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે અંદાજથી આગામી સમયમાં કરોડો લોકો કોરોના સંક્રમિત થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે લાખો લોકો મોતને ભેટી જશે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં થાય. ચીનમાં વધતા કોરોનાને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી રહી છે. અનેક દેશોએ પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી હતી.                     




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.