ઉપરી અધિકારીઓના ત્રાસથી આ મામલતદાર કચેરીના ક્લાર્કે કરી આત્મહત્યા! મરતા પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી હતી અરજી


  • Published By :
  • Published Date : 2023-03-18 18:41:01

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક કારણોસર લોકો આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લેતા હોય છે. આર્થિક કારણોસર, પ્રેમ પ્રકરણ, માતા-પિતાના ઠપકાને કારણે આત્મહત્યા લોકો કરી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉપરી અને સાથી કર્મચારીઓના ત્રાસથી ક્લાર્કની ફરજ બજાવતા અલ્પેશ માળીએ આત્મહત્યા કરી લીધી હતી. 29 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ ઉપરી અધિકારીના ત્રાસને લઈ અલ્પેશ માળીએ પોતાને પડતી મુશ્કેલીને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે.


જાતિને લઈ ઉપરી અધિકારી કરતા હતા હેરાન

આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આપણને માનથી બોલાવામાં આવે તેવી દરેકને ઈચ્છા હોય છે. પરંતુ આપણી સમક્ષ એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. જાતિને લઈ કમેન્ટ કરવામાં આવતી હોય છે અથવા તો જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. ત્યારે અનુસૂચિત જાતિના હોવાને કારણે કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા કર્મીને હેરાન કરાતા હતા.   


કામ વગર અનેક વખત આપવામાં આવી હતી નોટીસ  

આપઘાત કરનારે મુખ્યમંત્રી કાર્યાલયને પણ આ અંગે જાણ કરી હતી. અરજીમાં લખવામાં આવ્યું હતું કે કડાણા મામલતદાર કચેરી ખાતે અમારા ઉપરી અધિકારી નાયબ મામલદાર દ્વારા તેમને કારણો વગર નોટીસ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમજ જાતિના આધારે તેમને સંબોધિત કરવામાં આવતા હતા. ઉપરાંત સંતરામપુરના પ્રાંત અધિકારી પણ તેમને કારણ વગર હેરાન કરે છે અને કામ વગરની નોટીસ આપવામાં આવે છે. કચેરી ખાતે બોલાવી તેમની પાસે અંગત કામો કરાવતા હતા અને જો કામ નહીં કરવામાં આવે તો કરિયર ખતમ કરવાની ધમકી પણ આપતા હતા. તે સિવાય બીજા અનેક કર્મચારીઓને પણ હેરાન કરવામાં આવે છે. ગ્રાન્ટ હોવા છતાંય અનેક મહિનાઓ સુધી પગાર આપવામાં આવતો નથી. કચેરીમાં ઉઘતાઈ ભર્યું વર્તન પણ કરવામાં આવે છે. ત્યારે આવા કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 


જનસંપર્ક કાર્યાલયમાં આ અંગે કરી હતી રજૂઆત 

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં આ અરજી કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ જ તેમણે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું હતું. અરજીમાં લખવામાં આવ્યું હતું કે જો હું કંઈ પણ પગલું ભરું તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીની રહેશે. અલ્પેશ માળીએ આત્મહત્યા કરી તેના ઘણા સમય બાદ આ અરજી સામે આવી હતી. પરંતુ આટલો સમય વિતી ગયો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.         




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.