ઉપરી અધિકારીઓના ત્રાસથી આ મામલતદાર કચેરીના ક્લાર્કે કરી આત્મહત્યા! મરતા પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી હતી અરજી


  • Published By :
  • Published Date : 2023-03-18 18:41:01

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક કારણોસર લોકો આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લેતા હોય છે. આર્થિક કારણોસર, પ્રેમ પ્રકરણ, માતા-પિતાના ઠપકાને કારણે આત્મહત્યા લોકો કરી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉપરી અને સાથી કર્મચારીઓના ત્રાસથી ક્લાર્કની ફરજ બજાવતા અલ્પેશ માળીએ આત્મહત્યા કરી લીધી હતી. 29 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ ઉપરી અધિકારીના ત્રાસને લઈ અલ્પેશ માળીએ પોતાને પડતી મુશ્કેલીને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે.


જાતિને લઈ ઉપરી અધિકારી કરતા હતા હેરાન

આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આપણને માનથી બોલાવામાં આવે તેવી દરેકને ઈચ્છા હોય છે. પરંતુ આપણી સમક્ષ એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. જાતિને લઈ કમેન્ટ કરવામાં આવતી હોય છે અથવા તો જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. ત્યારે અનુસૂચિત જાતિના હોવાને કારણે કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા કર્મીને હેરાન કરાતા હતા.   


કામ વગર અનેક વખત આપવામાં આવી હતી નોટીસ  

આપઘાત કરનારે મુખ્યમંત્રી કાર્યાલયને પણ આ અંગે જાણ કરી હતી. અરજીમાં લખવામાં આવ્યું હતું કે કડાણા મામલતદાર કચેરી ખાતે અમારા ઉપરી અધિકારી નાયબ મામલદાર દ્વારા તેમને કારણો વગર નોટીસ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમજ જાતિના આધારે તેમને સંબોધિત કરવામાં આવતા હતા. ઉપરાંત સંતરામપુરના પ્રાંત અધિકારી પણ તેમને કારણ વગર હેરાન કરે છે અને કામ વગરની નોટીસ આપવામાં આવે છે. કચેરી ખાતે બોલાવી તેમની પાસે અંગત કામો કરાવતા હતા અને જો કામ નહીં કરવામાં આવે તો કરિયર ખતમ કરવાની ધમકી પણ આપતા હતા. તે સિવાય બીજા અનેક કર્મચારીઓને પણ હેરાન કરવામાં આવે છે. ગ્રાન્ટ હોવા છતાંય અનેક મહિનાઓ સુધી પગાર આપવામાં આવતો નથી. કચેરીમાં ઉઘતાઈ ભર્યું વર્તન પણ કરવામાં આવે છે. ત્યારે આવા કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 


જનસંપર્ક કાર્યાલયમાં આ અંગે કરી હતી રજૂઆત 

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં આ અરજી કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ જ તેમણે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું હતું. અરજીમાં લખવામાં આવ્યું હતું કે જો હું કંઈ પણ પગલું ભરું તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીની રહેશે. અલ્પેશ માળીએ આત્મહત્યા કરી તેના ઘણા સમય બાદ આ અરજી સામે આવી હતી. પરંતુ આટલો સમય વિતી ગયો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.         




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.