જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાને લઈ તંત્ર સજ્જ, કલેક્ટરે યોજી બેઠક


  • Published By :
  • Published Date : 2023-11-17 17:30:41

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થતી લીલી પરિક્રમાની શ્રધ્ધાળુંઓ કાગડોળે રાહ જોતા હોય છે. દિવાળી બાદ જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. કારતક સુદ અગિયારસથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અને પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ઉચ્ચ અધિકારીો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્‍ય, પરિવહન સહિત મુખ્‍ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


13 જેટલી સમિતિની રચના 


જૂનાગઢમાં આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનાર લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પરિક્રમા અનુંસંધાને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે, લીલી પરિક્રમાના અનુસંધાનમાં 13 જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ કાયદો અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખશે. આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ રૂટનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તૈનાત સ્ટાફને CPRની તાલીમ અપાશે, જેથી વધતાં હાર્ટ એટેકના કિસ્સામાં સરળતા રહે. તો બીજી તરફ, લોકોના આરોગ્યની સુવિધા માટે 108 ઈમરજન્સીની ટીમ પણ તૈનાત કરાશે. લીલી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે. લીલી પરિક્રમામાં રૂટ ઉપર ગંદકી ન થાય તેનું સર્વે લોકો ધ્યાન રાખે તેવી પણ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અપીલ કરી હતી.


દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા


ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાંભાવિકો  એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.


લીલી પરિક્રમાનું શું છે ધાર્મિક મહત્વ?


લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે, કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મળવ્યાનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ લીલી પરિક્રમા કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.