કોંગ્રેસમાંથી લડવા ઈચ્છુક ઉમેદવારોની સાથે કમિટી કરશે ચર્ચા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 11:34:25

ગુજરાત વિધાનસભા નજીક આવતા કોંગ્રેસ ફરી સક્રીય થયું છે. ત્યારે કોંગ્રેસમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા છે. ઈચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ કમિટી દ્વારા લેવામાં આવશે. તેમજ તેમનું વિઝન પણ જાણવામાં આવશે.

કમિટી દ્વારા ઉમેદવારોના લેવાશે ઈન્ટરવ્યુ

કોંગ્રેસમાં પ્રથમ વખત ટિકિટ આપત પહેલા ઉમેદવારો સાથે વાતચીત કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આ વાતચીત એક પ્રકારના ઈન્ટરવ્યું જેવું જ હશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો આજથી કોંગ્રેસમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચના કરાઈ છે. ત્રણ જિલ્લા વચ્ચે બનાવેલી આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પ્રમુખ સહિતના વિવિધ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો સાથે વાતચીત થયા બાદ કોંગ્રસ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.

Congress unit in Gujarat backs Rahul Gandhi for post of party president -  India News

પસંદગી કરાયેલા નામોની યાદી હાઈ કમાન્ડને મોકલાશે 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ અનેક દાવેદારો ટિકીટની માગીણી કરી રહ્યા છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ nsuiના અનેક નેતાઓએ ટિકિટના માગ કરી છે. ઉપરાંત અનેક નેતાઓ પણ ટિકીટ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માટે આ વખતે ઈન્ટરવ્યુથી પસંદગી કરવામાં આવશે. કમિટી દ્વારા પસંદ થયેલા નામો હાઈ કમાન્ડને મોકલવામાં આવશે.

Congress Working Committee Meeting: PM Narendra Modi Dividing People,  Playing With Their Emotions, Says Congress

હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ કરશે ફાઈનલ 

પસંદ કરાયેલા ઉમેદવારો અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત પોતાના મતવિસ્તારમાં તેમનો કેટલો પ્રભાવ છે તે જોવામાં આવશે. પોતાના પક્ષને ઉમેદવારો જીત અપાવી શકશે કે નહીં તે પણ કમિટી દ્વારા જોવામાં આવશે. હાઈ કમાન્ડ મોકલાયેલા નામોમાંથી પસંદગી કરી ઉમેદવારોનું લિસ્ટ મોકલાશે. જે બાદ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું નામ જાહેર કરશે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે