કોંગ્રેસમાંથી લડવા ઈચ્છુક ઉમેદવારોની સાથે કમિટી કરશે ચર્ચા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 11:34:25

ગુજરાત વિધાનસભા નજીક આવતા કોંગ્રેસ ફરી સક્રીય થયું છે. ત્યારે કોંગ્રેસમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા છે. ઈચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ કમિટી દ્વારા લેવામાં આવશે. તેમજ તેમનું વિઝન પણ જાણવામાં આવશે.

કમિટી દ્વારા ઉમેદવારોના લેવાશે ઈન્ટરવ્યુ

કોંગ્રેસમાં પ્રથમ વખત ટિકિટ આપત પહેલા ઉમેદવારો સાથે વાતચીત કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આ વાતચીત એક પ્રકારના ઈન્ટરવ્યું જેવું જ હશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો આજથી કોંગ્રેસમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચના કરાઈ છે. ત્રણ જિલ્લા વચ્ચે બનાવેલી આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પ્રમુખ સહિતના વિવિધ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો સાથે વાતચીત થયા બાદ કોંગ્રસ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.

Congress unit in Gujarat backs Rahul Gandhi for post of party president -  India News

પસંદગી કરાયેલા નામોની યાદી હાઈ કમાન્ડને મોકલાશે 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ અનેક દાવેદારો ટિકીટની માગીણી કરી રહ્યા છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ nsuiના અનેક નેતાઓએ ટિકિટના માગ કરી છે. ઉપરાંત અનેક નેતાઓ પણ ટિકીટ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માટે આ વખતે ઈન્ટરવ્યુથી પસંદગી કરવામાં આવશે. કમિટી દ્વારા પસંદ થયેલા નામો હાઈ કમાન્ડને મોકલવામાં આવશે.

Congress Working Committee Meeting: PM Narendra Modi Dividing People,  Playing With Their Emotions, Says Congress

હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ કરશે ફાઈનલ 

પસંદ કરાયેલા ઉમેદવારો અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત પોતાના મતવિસ્તારમાં તેમનો કેટલો પ્રભાવ છે તે જોવામાં આવશે. પોતાના પક્ષને ઉમેદવારો જીત અપાવી શકશે કે નહીં તે પણ કમિટી દ્વારા જોવામાં આવશે. હાઈ કમાન્ડ મોકલાયેલા નામોમાંથી પસંદગી કરી ઉમેદવારોનું લિસ્ટ મોકલાશે. જે બાદ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું નામ જાહેર કરશે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.