Ahmedabadની સ્થિતિ પણ અંતરિયાળ વિસ્તાર જેવી! તહેવારો પર ગામડે જવા શ્રમિકો કરતા જોખમી મુસાફરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-31 09:28:34

જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે ગામડાથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ઘેંટા બકરાની જેમ લોકોને ગાડીમાં બેસાડવામાં આવે છે. વધારે વાહનોની સુવિધા ન હોવાને કારણે અનેક વખત લોકો મોતની મુસાફરી કરવા માટે મજબૂર બનતા હોય છે. રોજગાર મેળવવા ગામડાથી લોકો શહેરમાં આવતા હોય છે, મજૂરી કરી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તહેવારો દરમિયાન શ્રમિકો પોતાના ગામડે જતા હોય છે. ત્યારે એક વીડિયો અમદાવાદના કાલુપુરથી સામે આવ્યા છે જેમાં એક જ ગાડીમાં અસંખ્ય લોકો મુસાફરી કરી રહ્યા છે. કોઈ ગાડીની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યું છે તો કોઈ ગાડીના છાપરા પર બેસી જીવને જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યું છે.

અમદાવાદમાં મજૂરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા  

અનેક વખત અમે અંતરિયાળ વિસ્તારની સ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છે. કેવી રીતે ત્યાંના લોકો પીડામાં પોતાનું જીવન વિતાવતા હોય છે. સંઘર્ષો ભરેલું તેમનું જીવન હોય છે. વિકાસના નામે ગામડામાં રહેતા લોકોને સારો રસ્તો નથી મળતો, હોસ્પિટલો નથી મળતા, વીજળી નથી મળતી. પરંતુ અમદાવાદને તો વિકસીત શહેર માનવામાં આવે છે. અમદાવાદમાં અનેક સુખ સુવિધાઓ છે. પરંતુ અમદાવાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને વિચારવા મજબૂર કરી દેશે કે શું સાચે આને વિકાસ કહેવાય, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાં અનેક લોકો મુસાફરી કરી રહ્યા છે. એક જાગૃત નાગરીક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે અને ડ્રાઈવરને આ અંગે પ્રશ્ન કરી રહ્યા છે.   

શું પોલીસને આટલી મોટી ગાડી નહીં દેખાઈ હોય?  

પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ ઉભા થાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય છે અથવા તો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા લોકો દેખાય છે ત્યારે શું પોલીસને આ મોટી ગાડી નહીં દેખાઈ હોય? ગાડી પર લટકતા, બેઠેલા લોકો નહીં દેખાયા હોય? કાલુપુરની આજુબાજુના આ દ્રશ્યો છે તેવું સામે આવ્યું છે. કાલુપુર એવી જગ્યા છે જ્યાં પોલીસનો કાફલો મોટા પાયે તૈનાત હોય છે. અનેક વખત કાલુપુરની આજુબાજુ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે શું આટલી મોટી ગાડી અને તેની પર જોખમી સવારી કરી રહેલા લોકો પોલીસને નહીં દેખાતા હોય? જો જાગૃત નાગરિકને દેખાય છે તો શું કામ પોલીસને નથી દેખાતી? જે કામ પોલીસવાળાને કરવાનું હોય તે કામ નાગરિકો કરી રહ્યા છે. 


તહેવારોની સિઝનમાં અમદાવાદમાં પણ જોવા મળે છે આવા દ્રશ્યો!   

રક્ષાબંધનના તહેવારમાં રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જે લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમને સુરક્ષાની જરૂર નથી? ગામડાઓની પરિસ્થિતિ તો નથી બદલાઈ પરંતુ અમદાવાદની પરિસ્થિતિ જરૂર બદલાઈ છે. આવા કિસ્સાઓ અવાર નવાર બનતા હશે પરંતુ ધ્યાનમાં કદાચ નહીં આવતા હોય. હોળી વખતે તો આવા દ્રશ્યો સામે આવતા હોય છે, તહેવારની ઉજવણી કરવા મજૂરો પોતાના ગામડે જાય છે. 


જે વાહન મળે તેમાં મુસાફરી કરવા મજૂરો મજબૂર બનતા હોય છે 

બસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જે વાહન મળે તેમાં બેસી તે પોતાના ગામડે જવા માગે છે. એવી રીતે તે ગામડે જાય છે જાણે તેમના જીવનની કોઈ કિંમત નથી. માણસના જીવની કિંમત એ કયા વિસ્તારમાંથી આવે છે, તેની પાસે કેટલા પૈસા છે તેની ઉપરથી નથી થતી. પરંતુ જ્યારે દરેક વ્યક્તિને ગરિમા પૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે છે ત્યારે તેને આપણે માનવ અધિકાર કહીએ છીએ. 



આ લોકોના જીવન પણ એટલા જ કિંમતી છે...  

ગાડીના ડ્રાઈવરને તો રોકીને પૂછી લઈશું કે શા માટે આટલા લોકોને બેસાડી મુસાફરી કરાવી રહ્યો છે પરંતુ એ પોલીસવાળાને ક્યારે પૂછીશું જેમની નજરોની સામેથી આટલા માણસો ભરેલી ગાડીઓ પસાર થઈ રહી છે. આ પ્રશ્ન બહુ ગંભીર છે કારણ કે જે લોકો આવી જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમના જીવનની એટલી જ કિંમત છે જેટલી કિંમત કોઈ મોટા માણસની હોય છે. જીવનનું મૂલ્ય દરેક માણસ માટે સરખું હોય છે, પોતાનું જીવન દરેક માનવીને વ્હાલું હોય છે. જો આવી રીતે મુસાફરી કરી રહેલા લોકોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ?   




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.