Ahmedabadની સ્થિતિ પણ અંતરિયાળ વિસ્તાર જેવી! તહેવારો પર ગામડે જવા શ્રમિકો કરતા જોખમી મુસાફરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-31 09:28:34

જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે ગામડાથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ઘેંટા બકરાની જેમ લોકોને ગાડીમાં બેસાડવામાં આવે છે. વધારે વાહનોની સુવિધા ન હોવાને કારણે અનેક વખત લોકો મોતની મુસાફરી કરવા માટે મજબૂર બનતા હોય છે. રોજગાર મેળવવા ગામડાથી લોકો શહેરમાં આવતા હોય છે, મજૂરી કરી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તહેવારો દરમિયાન શ્રમિકો પોતાના ગામડે જતા હોય છે. ત્યારે એક વીડિયો અમદાવાદના કાલુપુરથી સામે આવ્યા છે જેમાં એક જ ગાડીમાં અસંખ્ય લોકો મુસાફરી કરી રહ્યા છે. કોઈ ગાડીની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યું છે તો કોઈ ગાડીના છાપરા પર બેસી જીવને જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યું છે.

અમદાવાદમાં મજૂરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા  

અનેક વખત અમે અંતરિયાળ વિસ્તારની સ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છે. કેવી રીતે ત્યાંના લોકો પીડામાં પોતાનું જીવન વિતાવતા હોય છે. સંઘર્ષો ભરેલું તેમનું જીવન હોય છે. વિકાસના નામે ગામડામાં રહેતા લોકોને સારો રસ્તો નથી મળતો, હોસ્પિટલો નથી મળતા, વીજળી નથી મળતી. પરંતુ અમદાવાદને તો વિકસીત શહેર માનવામાં આવે છે. અમદાવાદમાં અનેક સુખ સુવિધાઓ છે. પરંતુ અમદાવાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને વિચારવા મજબૂર કરી દેશે કે શું સાચે આને વિકાસ કહેવાય, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાં અનેક લોકો મુસાફરી કરી રહ્યા છે. એક જાગૃત નાગરીક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે અને ડ્રાઈવરને આ અંગે પ્રશ્ન કરી રહ્યા છે.   

શું પોલીસને આટલી મોટી ગાડી નહીં દેખાઈ હોય?  

પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ ઉભા થાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય છે અથવા તો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા લોકો દેખાય છે ત્યારે શું પોલીસને આ મોટી ગાડી નહીં દેખાઈ હોય? ગાડી પર લટકતા, બેઠેલા લોકો નહીં દેખાયા હોય? કાલુપુરની આજુબાજુના આ દ્રશ્યો છે તેવું સામે આવ્યું છે. કાલુપુર એવી જગ્યા છે જ્યાં પોલીસનો કાફલો મોટા પાયે તૈનાત હોય છે. અનેક વખત કાલુપુરની આજુબાજુ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે શું આટલી મોટી ગાડી અને તેની પર જોખમી સવારી કરી રહેલા લોકો પોલીસને નહીં દેખાતા હોય? જો જાગૃત નાગરિકને દેખાય છે તો શું કામ પોલીસને નથી દેખાતી? જે કામ પોલીસવાળાને કરવાનું હોય તે કામ નાગરિકો કરી રહ્યા છે. 


તહેવારોની સિઝનમાં અમદાવાદમાં પણ જોવા મળે છે આવા દ્રશ્યો!   

રક્ષાબંધનના તહેવારમાં રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જે લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમને સુરક્ષાની જરૂર નથી? ગામડાઓની પરિસ્થિતિ તો નથી બદલાઈ પરંતુ અમદાવાદની પરિસ્થિતિ જરૂર બદલાઈ છે. આવા કિસ્સાઓ અવાર નવાર બનતા હશે પરંતુ ધ્યાનમાં કદાચ નહીં આવતા હોય. હોળી વખતે તો આવા દ્રશ્યો સામે આવતા હોય છે, તહેવારની ઉજવણી કરવા મજૂરો પોતાના ગામડે જાય છે. 


જે વાહન મળે તેમાં મુસાફરી કરવા મજૂરો મજબૂર બનતા હોય છે 

બસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જે વાહન મળે તેમાં બેસી તે પોતાના ગામડે જવા માગે છે. એવી રીતે તે ગામડે જાય છે જાણે તેમના જીવનની કોઈ કિંમત નથી. માણસના જીવની કિંમત એ કયા વિસ્તારમાંથી આવે છે, તેની પાસે કેટલા પૈસા છે તેની ઉપરથી નથી થતી. પરંતુ જ્યારે દરેક વ્યક્તિને ગરિમા પૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે છે ત્યારે તેને આપણે માનવ અધિકાર કહીએ છીએ. 



આ લોકોના જીવન પણ એટલા જ કિંમતી છે...  

ગાડીના ડ્રાઈવરને તો રોકીને પૂછી લઈશું કે શા માટે આટલા લોકોને બેસાડી મુસાફરી કરાવી રહ્યો છે પરંતુ એ પોલીસવાળાને ક્યારે પૂછીશું જેમની નજરોની સામેથી આટલા માણસો ભરેલી ગાડીઓ પસાર થઈ રહી છે. આ પ્રશ્ન બહુ ગંભીર છે કારણ કે જે લોકો આવી જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમના જીવનની એટલી જ કિંમત છે જેટલી કિંમત કોઈ મોટા માણસની હોય છે. જીવનનું મૂલ્ય દરેક માણસ માટે સરખું હોય છે, પોતાનું જીવન દરેક માનવીને વ્હાલું હોય છે. જો આવી રીતે મુસાફરી કરી રહેલા લોકોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ?   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી