અમારા દર્શકોએ જે સ્થિતિ મોકલી એમાં છલકાયું દર્દ! કાદવને કારણે વિદ્યાર્થીઓ નથી જઈ શકતા શાળાએ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-13 09:48:41

રાજ્યમાં ઘણા સમયથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદની રાહ ખેડૂતો સૌથી વધારે જોતા હોય છે. વરસાદને કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલતી હોય છે. વરસાદની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. વરસાદની મજા લેતા બાળકોના દ્રશ્યો અનેક વખત આપણી સામે આવતા હોય છે. પરંતુ તે જ વરસાદ અનેક બાળકો માટે આફતરૂપ પૂરવાર થાય છે. વરસાદને કારણે રસ્તાઓ તૂટી જાય છે. વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર કાદવ જોવા મળતો હોય છે, જેને કારણે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એવા અનેક દ્રશ્યો તેમજ વીડિયો તમને બતાવવા છે જેમાં શાળા સુધી પહોંચવા માટે બાળકો કેટલો સંઘર્ષ કરી રહ્યા છે.

   

સમસ્યાને જોવાના હોય છે અલગ અલગ દ્રષ્ટિકોણ

એક સમસ્યાને જોવાના અનેક દ્રષ્ટિકોણ હોય છે. એક જ સમસ્યા અલગ અલગ વ્યક્તિને અલગ અલગ લાગતી હોય છે. જો અમીર વ્યક્તિના હજાર રૂપિયા ખોવાઈ ગયા હોય તો તે આ વાતને એકદમ સામાન્ય રીતે લેશે. એ એવું વિચારે છે કે આ માત્ર હજાર રૂપિયા જ છેને. પરંતુ જો હજાર રૂપિયા સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિના ખોવાઈ ગયા હોય તો? તે રકમ તેને મોટી લાગે છે. તેવી જ રીતે જ્યારે કોઈ ગામની સમસ્યા સરકાર સુધી પહોંચે તો સરકારને તે નાની લાગતી હોય છે. એવું વિચારે કે આટલી મોટી સિસ્ટમમાં આવી સમસ્યાઓ ચાલતી રહે. પરંતુ તે જ સમસ્યા તે ગામ માટે મોટી હોય છે.   

 આ સિવાય ગ્રામજનોને પણ કે જેમણે પોતાના કામથી જવું હોય અને વાહન ના હોય તો તેમણે કાદવમાં ઉતરવું પડે છે. ચંદલા ગામમાં મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં નજીકમાં આવેલી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

98 વિદ્યાર્થીઓ નથી પહોંચી શકતા શાળાએ 

આ વાત એટલા માટે કરવી છે કારણ કે એવા વીડિયો જમાવટને મળ્યા છે જે વિદ્યાર્થીઓની પરેશાનીને દર્શાવે છે. વરસાદની સિઝન દરમિયાન અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં બાળકો કાદવમાંથી પસાર થઈ શાળા પહોંચવા મજબૂર બન્યા છે. જે વીડિયો અમને મળ્યો છે તે અમને અમેરિકાના દર્શકે મોકલાવ્યો છે. પેટલાદ પાસેના ચાંગાનો એ વીડિયો છે. જેમાં રસ્તો બતાવ્યો છે અને સવાલ કર્યો છે કે જો વિદ્યાર્થીને શાળામાં જવું હોય તો કેવી રીતે જાય? ખરાબ રસ્તાને કારણે 98 જેટલા બાળકો શાળાએ નથી જઈ શકતા. વિદ્યાર્થીના જીવનને બદલવા માટે એક લેક્ચર પણ કાફી હોય છે. ખરાબ રસ્તાને કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે.          

 ગરબાડા તાલુકાના ચંદલા ગામમાં પાકા રસ્તાના અભાવે ચોમાસામાં કાદવ, કિચ્ચડનું સામ્રાજ્ય સર્જાતું હોય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થવું પડે છે. આવી સ્થિતિમાં શાળાએ જતા બાળકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પાણીનો યોગ્ય નિકાલ થતો ના હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોવાનું માનવામાં આવે છે. 

પાકો રસ્તો ન હોવાને કારણે ભરાઈ જાય છે વરસાદી પાણી 

આવા જ બીજા દ્રશ્યો દાહોદથી સામે આવ્યા છે જેમાં કાદવના સામ્રાજ્યને પાર કર્યા બાદ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શકે છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગરબાડા તાલુકાના ચંદલા ગામના આ દ્રશ્યો છે જ્યાં પાકા રસ્તા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી રસ્તા પર ભરાઈ જાય છે. 

 સૌરભ ગેલોત, દાહોદ: જિલ્લાના ગરબાડાના ચંદલામાં વરસાદી માહોલ પછી પરિસ્થિતિ વિકટ બની છે, કાદવનું સામ્રાજ્ય સર્જાતા બાળકોને વધારે મુશ્કેલી પડી રહી છે. બાળકોએ શાળાએ પહોંચવા માટે અને શાળાએથી ઘરે જવા માટે કાદવનું તળાવ ખૂંદીને જવું પડે છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ બાબતે તંત્રના બહેરા કાને અવાજ ના પડી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 

સરકાર સુધી નથી પહોંચતો ગ્રામજનોનો અવાજ 

અનેક એવા ગામો છે જ્યાં વરસાદી પાણી અનેક દિવસો સુધી ભરાયેલા રહે છે. જેને કારણે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા જઈ શકતા નથી. ઘણી વખત ગ્રામજનોની જાગૃતિનો અભાવ જોવા મળતો હોય છે, સરકાર સુધી લોકોનો અવાજ નથી પહોંચતો. અને જો અવાજ પહોંચે છે તો તેનો ઉકેલ નથી લાવવામાં આવતો. ત્યારે ગામમાં ઉભી થતી પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.