પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ કહી રહી છે, ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર


  • Published By :
  • Published Date : 2022-11-04 14:19:36

ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાનો પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે જેમ ગુજરાત ગૌરવ યાત્રા કરી હતી તેમ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી જન-જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. 1 નવેમ્બરથી કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન 5 જગ્યાએથી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.

5 રૂટ પર ચાલી રહી છે કોંગ્રેસની પરિવર્તન યાત્રા 

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા તમામ પાર્ટીએ પ્રચાર માટે કમરકસી લીધી છે. કોંગ્રેસે મોટા પાયે પ્રચાર ન કરી નાના ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે પોતાના પ્રચાર માટે રેલી કાઢવાનું આયોજન કર્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં યાત્રા ફરવાની છે.

કોંગ્રેસે લખ્યું - આવ્યો પરિવર્તનનો તહેવાર

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 30 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસે કેન્ડલ માર્ચ કરી મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. 1 નવેમ્બરના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સતત ટ્વિટર પર યાત્રાના ફોટો અને વીડિયો મૂકી રહી છે. શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાયા હતા. લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.