પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ કહી રહી છે, ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-04 14:19:36

ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાનો પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે જેમ ગુજરાત ગૌરવ યાત્રા કરી હતી તેમ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી જન-જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. 1 નવેમ્બરથી કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન 5 જગ્યાએથી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.

5 રૂટ પર ચાલી રહી છે કોંગ્રેસની પરિવર્તન યાત્રા 

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા તમામ પાર્ટીએ પ્રચાર માટે કમરકસી લીધી છે. કોંગ્રેસે મોટા પાયે પ્રચાર ન કરી નાના ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે પોતાના પ્રચાર માટે રેલી કાઢવાનું આયોજન કર્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં યાત્રા ફરવાની છે.

કોંગ્રેસે લખ્યું - આવ્યો પરિવર્તનનો તહેવાર

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 30 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસે કેન્ડલ માર્ચ કરી મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. 1 નવેમ્બરના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સતત ટ્વિટર પર યાત્રાના ફોટો અને વીડિયો મૂકી રહી છે. શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાયા હતા. લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.      




એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.