પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ કહી રહી છે, ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર


  • Published By :
  • Published Date : 2022-11-04 14:19:36

ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાનો પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે જેમ ગુજરાત ગૌરવ યાત્રા કરી હતી તેમ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી જન-જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. 1 નવેમ્બરથી કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન 5 જગ્યાએથી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.

5 રૂટ પર ચાલી રહી છે કોંગ્રેસની પરિવર્તન યાત્રા 

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા તમામ પાર્ટીએ પ્રચાર માટે કમરકસી લીધી છે. કોંગ્રેસે મોટા પાયે પ્રચાર ન કરી નાના ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે પોતાના પ્રચાર માટે રેલી કાઢવાનું આયોજન કર્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં યાત્રા ફરવાની છે.

કોંગ્રેસે લખ્યું - આવ્યો પરિવર્તનનો તહેવાર

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 30 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસે કેન્ડલ માર્ચ કરી મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. 1 નવેમ્બરના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સતત ટ્વિટર પર યાત્રાના ફોટો અને વીડિયો મૂકી રહી છે. શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાયા હતા. લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.      




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?