Loksabha 2024 પહેલા Rivaba Jadeja અને Poonamben Maadam વચ્ચેનો “મનમુટાવ” “મનમેળાપ”માં બદલાયો! બંને એક બીજાને ભેટી પડ્યા જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-06 13:11:24

ગુજરાતના વાતાવરણમાં ભલે ઠંડી પ્રસરી રહી હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. શનિવારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 15માંથી 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે તે ઉપરાંત બે પૂર્વ રાજ્યસભાના સાંસદને ટિકીટ આપવામાં આવી છે ત્રણ ચહેરા એવા છે જે નવા છે. જામનગરના સાંસદ પૂનમ માડમને ભાજપે રિપીટ કર્યા છે. પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા તે બાદ તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં પૂનમ માડમ સાથે રિવાબા જાડેજા જોવા મળ્યા હતા. રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા 

પૂનમ માડમના નામની કરાઈ જાહેરાત!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જામનગરની બેઠક પર પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નામ જાહેર કર્યા બાદ કાર્યકરોએ પૂનમબેનને શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધું હતું અને પૂનમ માડમને શુભેચ્છા આપવા માટે રીવાબા જાડેજા પહોંચ્યા હતા. 




પૂનમ માડમને મળવા પહોંચ્યા રીવાબા જાડેજા! 

સાંસદ પૂનમબેનને પણ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રીવાબાએ પૂનમ માડમને 5 લાખની લીડથી જીતવાના સી.આર પાટીલના ટાર્ગેટને પણ યાદ અપાવ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.       


બંને મહિલા નેતાઓની વચ્ચે થઈ ગયો મન મેળાપ!

વાત કરીએ ગયા વર્ષેની તો , મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પૂનમ માડમ અને રીવાબા જાડેજા વચ્ચે જાહેરમા ચકમક થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો. જોકે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા રહી ગયા હતા. હજી તો ઈલેકશન જાહેર થવા દો , જોઈએ કેટલાય મનમુટાવ , મનમેળાપમાં બદલાશે , અને અમે આવા બધાજ દેખીતા મનમેળાપો તમને બતાવતા રહીશું .



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે