Loksabha 2024 પહેલા Rivaba Jadeja અને Poonamben Maadam વચ્ચેનો “મનમુટાવ” “મનમેળાપ”માં બદલાયો! બંને એક બીજાને ભેટી પડ્યા જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-06 13:11:24

ગુજરાતના વાતાવરણમાં ભલે ઠંડી પ્રસરી રહી હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. શનિવારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 15માંથી 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે તે ઉપરાંત બે પૂર્વ રાજ્યસભાના સાંસદને ટિકીટ આપવામાં આવી છે ત્રણ ચહેરા એવા છે જે નવા છે. જામનગરના સાંસદ પૂનમ માડમને ભાજપે રિપીટ કર્યા છે. પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા તે બાદ તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં પૂનમ માડમ સાથે રિવાબા જાડેજા જોવા મળ્યા હતા. રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા 

પૂનમ માડમના નામની કરાઈ જાહેરાત!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જામનગરની બેઠક પર પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નામ જાહેર કર્યા બાદ કાર્યકરોએ પૂનમબેનને શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધું હતું અને પૂનમ માડમને શુભેચ્છા આપવા માટે રીવાબા જાડેજા પહોંચ્યા હતા. 




પૂનમ માડમને મળવા પહોંચ્યા રીવાબા જાડેજા! 

સાંસદ પૂનમબેનને પણ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રીવાબાએ પૂનમ માડમને 5 લાખની લીડથી જીતવાના સી.આર પાટીલના ટાર્ગેટને પણ યાદ અપાવ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.       


બંને મહિલા નેતાઓની વચ્ચે થઈ ગયો મન મેળાપ!

વાત કરીએ ગયા વર્ષેની તો , મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પૂનમ માડમ અને રીવાબા જાડેજા વચ્ચે જાહેરમા ચકમક થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો. જોકે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા રહી ગયા હતા. હજી તો ઈલેકશન જાહેર થવા દો , જોઈએ કેટલાય મનમુટાવ , મનમેળાપમાં બદલાશે , અને અમે આવા બધાજ દેખીતા મનમેળાપો તમને બતાવતા રહીશું .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.