Loksabha 2024 પહેલા Rivaba Jadeja અને Poonamben Maadam વચ્ચેનો “મનમુટાવ” “મનમેળાપ”માં બદલાયો! બંને એક બીજાને ભેટી પડ્યા જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-06 13:11:24

ગુજરાતના વાતાવરણમાં ભલે ઠંડી પ્રસરી રહી હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. શનિવારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 15માંથી 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે તે ઉપરાંત બે પૂર્વ રાજ્યસભાના સાંસદને ટિકીટ આપવામાં આવી છે ત્રણ ચહેરા એવા છે જે નવા છે. જામનગરના સાંસદ પૂનમ માડમને ભાજપે રિપીટ કર્યા છે. પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા તે બાદ તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં પૂનમ માડમ સાથે રિવાબા જાડેજા જોવા મળ્યા હતા. રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા 

પૂનમ માડમના નામની કરાઈ જાહેરાત!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જામનગરની બેઠક પર પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નામ જાહેર કર્યા બાદ કાર્યકરોએ પૂનમબેનને શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધું હતું અને પૂનમ માડમને શુભેચ્છા આપવા માટે રીવાબા જાડેજા પહોંચ્યા હતા. 




પૂનમ માડમને મળવા પહોંચ્યા રીવાબા જાડેજા! 

સાંસદ પૂનમબેનને પણ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રીવાબાએ પૂનમ માડમને 5 લાખની લીડથી જીતવાના સી.આર પાટીલના ટાર્ગેટને પણ યાદ અપાવ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.       


બંને મહિલા નેતાઓની વચ્ચે થઈ ગયો મન મેળાપ!

વાત કરીએ ગયા વર્ષેની તો , મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પૂનમ માડમ અને રીવાબા જાડેજા વચ્ચે જાહેરમા ચકમક થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો. જોકે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા રહી ગયા હતા. હજી તો ઈલેકશન જાહેર થવા દો , જોઈએ કેટલાય મનમુટાવ , મનમેળાપમાં બદલાશે , અને અમે આવા બધાજ દેખીતા મનમેળાપો તમને બતાવતા રહીશું .



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.