રાજકોટમાં વિવાદ શાંત થયો નથી ત્યાં Sabarkanthaમાં BJPના ઉમેદવારને લઈ શરૂ થઈ ગયો વિરોધ! જાણો ત્યાં ઉમેદવાર બદલવાની માગ કોણે કરી?


  • Published By :
  • Published Date : 2024-04-02 18:57:48

ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ છે જે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે છેડાયેલો વિવાદ શાંત થયો ત્યાં તો બીજા ઉમેદવારને લઈ વિરોધ છેડાઈ ગયો છે... ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ગઈ છે. બે બેઠકો માટે ભાજપે ઉમેદવાર બદલ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હતી. સાબરકાંઠાના ઉમેદવારને બદલવામાં આવતા ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. હિંમતનગર ભાજપ કાર્યાલયનો તેમણે ઘેરાવો કર્યો હતો. તેમની માગ છે કે સાબરકાંઠામાંથી જાહેર કરવામાં આવેલા આયાતી ઉમેદવારને બદલવામાં આવે... 

સાબરકાંઠામાં થઈ રહ્યો છે ઉમેદવારનો વિરોધ 

ગુજરાતમાં ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ વિરોધનો વંટોળ વધી ગયો છે. રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાને ભાજપે ટિકીટ આપી. ક્ષત્રિય સમાજને લઈ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. આ વિરોધ હજી શાંત નથી થયો ત્યાં સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. પરંતુ તે બાદ ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા અને શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી. શોભનાબેન બારૈયાનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. 


આ બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા અને સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરને. પરંતુ આ બેઠકોના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર એક બાદ એક આ બંને ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની વાત કરી. તે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને બદલવામાં આવ્યા. વડોદરા બેઠક પર હેમાંગ જોશીને જ્યારે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા. 


ઉમેદવાર બદલવાની કાર્યકર્તાઓ કરી રહ્યા છે માગ 

સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હિંમતનગર જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. આયાતી ઉમેદવારને બદલવાની માગ સાથે પોસ્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઉમેદવાર બદલવાની માગ કરી હતી. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોનો આવો વિરોધ કરશે તેવું કદાચ ભાજપે સપનામાં નહીં વિચાર્યું હોય...!   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે