રાજકોટમાં વિવાદ શાંત થયો નથી ત્યાં Sabarkanthaમાં BJPના ઉમેદવારને લઈ શરૂ થઈ ગયો વિરોધ! જાણો ત્યાં ઉમેદવાર બદલવાની માગ કોણે કરી?


  • Published By :
  • Published Date : 2024-04-02 18:57:48

ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ છે જે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે છેડાયેલો વિવાદ શાંત થયો ત્યાં તો બીજા ઉમેદવારને લઈ વિરોધ છેડાઈ ગયો છે... ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ગઈ છે. બે બેઠકો માટે ભાજપે ઉમેદવાર બદલ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હતી. સાબરકાંઠાના ઉમેદવારને બદલવામાં આવતા ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. હિંમતનગર ભાજપ કાર્યાલયનો તેમણે ઘેરાવો કર્યો હતો. તેમની માગ છે કે સાબરકાંઠામાંથી જાહેર કરવામાં આવેલા આયાતી ઉમેદવારને બદલવામાં આવે... 

સાબરકાંઠામાં થઈ રહ્યો છે ઉમેદવારનો વિરોધ 

ગુજરાતમાં ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ વિરોધનો વંટોળ વધી ગયો છે. રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાને ભાજપે ટિકીટ આપી. ક્ષત્રિય સમાજને લઈ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. આ વિરોધ હજી શાંત નથી થયો ત્યાં સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. પરંતુ તે બાદ ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા અને શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી. શોભનાબેન બારૈયાનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. 


આ બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા અને સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરને. પરંતુ આ બેઠકોના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર એક બાદ એક આ બંને ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની વાત કરી. તે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને બદલવામાં આવ્યા. વડોદરા બેઠક પર હેમાંગ જોશીને જ્યારે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા. 


ઉમેદવાર બદલવાની કાર્યકર્તાઓ કરી રહ્યા છે માગ 

સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હિંમતનગર જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. આયાતી ઉમેદવારને બદલવાની માગ સાથે પોસ્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઉમેદવાર બદલવાની માગ કરી હતી. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોનો આવો વિરોધ કરશે તેવું કદાચ ભાજપે સપનામાં નહીં વિચાર્યું હોય...!   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.