દેશની વ્યાપાર ખાધ વધીને અધધધ 31.5 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-11-16 15:25:31

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે ખરેખર દેશની આર્થિક સ્થિતી કાંઈ અલગ જ છે. ઓક્ટોબર મહિનામાં દેશનની નિકાસની તુલનામાં આયાત વધી રહી હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. હાલ દેશની વ્યાપાર ખાધ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં દેશની નિકાસ માસિક આધાર પર 2.6 ટકા ઘટ્યો છે, પરંતું આયાત 20.8 ટકા વધી છે. આ જ કારણે દેશની વ્યાપાર ખાધ વધીને 31.5 બિલિયન ડોલરથી ગઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં વ્યાપાર ખાધ આ વ્યાપાર ખાધ 26.31 અબજ પર હતી.


દેશની વ્યાપાર ખાધ ટોચ પર

 

ઓક્ટોબરમાં આયાત 6.2 ટકાના વાર્ષિક વધારા સાથે $33.57 અબજ રહી

ઓક્ટોબરમાં નિકાસ 12.3% વાર્ષિક વધારા સાથે $65 અબજ રહી

માસિક આધાર પર આયાત 2.6% ઘટી, જ્યારે નિકાસ 20.8% ઘટી


સર્વિસ સેક્ટરમાં પણ  1.61% નો ઘટાડો


દેશમાં એપ્રિલથી ઓક્ટોબર 2023 માટે આયાત વાર્ષિક આધાર પર 7 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે નિકાસમાંમાં વાર્ષિક આધાર પર 8.95%નો ઘટાડો આવ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે ગુડ્સ અને સર્વિસ સેકટરનની આયાતમાં  1.61%નો અને નિકાસમાં 7.4%નો ઘટાડો આવ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે