દેશની વ્યાપાર ખાધ વધીને અધધધ 31.5 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-11-16 15:25:31

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે ખરેખર દેશની આર્થિક સ્થિતી કાંઈ અલગ જ છે. ઓક્ટોબર મહિનામાં દેશનની નિકાસની તુલનામાં આયાત વધી રહી હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. હાલ દેશની વ્યાપાર ખાધ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં દેશની નિકાસ માસિક આધાર પર 2.6 ટકા ઘટ્યો છે, પરંતું આયાત 20.8 ટકા વધી છે. આ જ કારણે દેશની વ્યાપાર ખાધ વધીને 31.5 બિલિયન ડોલરથી ગઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં વ્યાપાર ખાધ આ વ્યાપાર ખાધ 26.31 અબજ પર હતી.


દેશની વ્યાપાર ખાધ ટોચ પર

 

ઓક્ટોબરમાં આયાત 6.2 ટકાના વાર્ષિક વધારા સાથે $33.57 અબજ રહી

ઓક્ટોબરમાં નિકાસ 12.3% વાર્ષિક વધારા સાથે $65 અબજ રહી

માસિક આધાર પર આયાત 2.6% ઘટી, જ્યારે નિકાસ 20.8% ઘટી


સર્વિસ સેક્ટરમાં પણ  1.61% નો ઘટાડો


દેશમાં એપ્રિલથી ઓક્ટોબર 2023 માટે આયાત વાર્ષિક આધાર પર 7 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે નિકાસમાંમાં વાર્ષિક આધાર પર 8.95%નો ઘટાડો આવ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે ગુડ્સ અને સર્વિસ સેકટરનની આયાતમાં  1.61%નો અને નિકાસમાં 7.4%નો ઘટાડો આવ્યો છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.