દેશની વ્યાપાર ખાધ વધીને અધધધ 31.5 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-11-16 15:25:31

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે ખરેખર દેશની આર્થિક સ્થિતી કાંઈ અલગ જ છે. ઓક્ટોબર મહિનામાં દેશનની નિકાસની તુલનામાં આયાત વધી રહી હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. હાલ દેશની વ્યાપાર ખાધ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં દેશની નિકાસ માસિક આધાર પર 2.6 ટકા ઘટ્યો છે, પરંતું આયાત 20.8 ટકા વધી છે. આ જ કારણે દેશની વ્યાપાર ખાધ વધીને 31.5 બિલિયન ડોલરથી ગઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં વ્યાપાર ખાધ આ વ્યાપાર ખાધ 26.31 અબજ પર હતી.


દેશની વ્યાપાર ખાધ ટોચ પર

 

ઓક્ટોબરમાં આયાત 6.2 ટકાના વાર્ષિક વધારા સાથે $33.57 અબજ રહી

ઓક્ટોબરમાં નિકાસ 12.3% વાર્ષિક વધારા સાથે $65 અબજ રહી

માસિક આધાર પર આયાત 2.6% ઘટી, જ્યારે નિકાસ 20.8% ઘટી


સર્વિસ સેક્ટરમાં પણ  1.61% નો ઘટાડો


દેશમાં એપ્રિલથી ઓક્ટોબર 2023 માટે આયાત વાર્ષિક આધાર પર 7 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે નિકાસમાંમાં વાર્ષિક આધાર પર 8.95%નો ઘટાડો આવ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે ગુડ્સ અને સર્વિસ સેકટરનની આયાતમાં  1.61%નો અને નિકાસમાં 7.4%નો ઘટાડો આવ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.