રાજધાની ટ્રેન રોકવા મામલે જીગ્નેશ મેવાણી સહિત 31 લોકોને આરોપમાંથી કોર્ટે કર્યા મુક્ત, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 11:22:29

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે મોટી રાહત આપી છે. એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે 2017ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો. 2017માં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જીગ્નેશ મેવાણી, તેના તત્કાલિન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



શું હતો સમગ્ર મામલો? 

આ કેસની વાત કરીએ તો 11 જાન્યુઆરી, 2017ના દિવસે જીગ્નેશ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનને 20 મિનિટ માટે રોકી દીધી હતી.જેને લઈ વિરોધ કરવામાં આવતો હતો તે વાત દલિતોના જમીન બાબતની હતી. જમીન મુદ્દે જીગ્નેશ મેવાણી સહિત લોકોએ વિરોધ કર્યો હતો. IPC કલમ 143,147 149, 332 કલમ, તથા 120B તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટના નિર્ણય પછી શું કહ્યું જિજ્ઞેશ મેવાણીએ? 

આ કેસના નિર્ણય પછી, કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જમીનનો મુદ્દો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર જ્ઞાતિવાદી ગુંડાઓએ વર્ષોથી ગેરકાયદે કબજો જમાવ્યો છે!" આ સંઘર્ષ દરમિયાન ઘણા કેસ નોંધાયા હતા, પરંતુ આજે અમદાવાદની મેટ્રો કોર્ટે અમને અને સંઘર્ષના 31 સાથીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ! દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોને જમીન અધિકારો આપવાનો સંઘર્ષ ચાલુ રહેશે!”



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.