રાજધાની ટ્રેન રોકવા મામલે જીગ્નેશ મેવાણી સહિત 31 લોકોને આરોપમાંથી કોર્ટે કર્યા મુક્ત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-17 11:22:29

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે મોટી રાહત આપી છે. એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે 2017ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો. 2017માં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જીગ્નેશ મેવાણી, તેના તત્કાલિન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



શું હતો સમગ્ર મામલો? 

આ કેસની વાત કરીએ તો 11 જાન્યુઆરી, 2017ના દિવસે જીગ્નેશ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનને 20 મિનિટ માટે રોકી દીધી હતી.જેને લઈ વિરોધ કરવામાં આવતો હતો તે વાત દલિતોના જમીન બાબતની હતી. જમીન મુદ્દે જીગ્નેશ મેવાણી સહિત લોકોએ વિરોધ કર્યો હતો. IPC કલમ 143,147 149, 332 કલમ, તથા 120B તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટના નિર્ણય પછી શું કહ્યું જિજ્ઞેશ મેવાણીએ? 

આ કેસના નિર્ણય પછી, કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જમીનનો મુદ્દો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર જ્ઞાતિવાદી ગુંડાઓએ વર્ષોથી ગેરકાયદે કબજો જમાવ્યો છે!" આ સંઘર્ષ દરમિયાન ઘણા કેસ નોંધાયા હતા, પરંતુ આજે અમદાવાદની મેટ્રો કોર્ટે અમને અને સંઘર્ષના 31 સાથીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ! દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોને જમીન અધિકારો આપવાનો સંઘર્ષ ચાલુ રહેશે!”



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .