રાજધાની ટ્રેન રોકવા મામલે જીગ્નેશ મેવાણી સહિત 31 લોકોને આરોપમાંથી કોર્ટે કર્યા મુક્ત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-17 11:22:29

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટે મોટી રાહત આપી છે. એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે 2017ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને 30 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો. 2017માં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જીગ્નેશ મેવાણી, તેના તત્કાલિન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 



શું હતો સમગ્ર મામલો? 

આ કેસની વાત કરીએ તો 11 જાન્યુઆરી, 2017ના દિવસે જીગ્નેશ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનને 20 મિનિટ માટે રોકી દીધી હતી.જેને લઈ વિરોધ કરવામાં આવતો હતો તે વાત દલિતોના જમીન બાબતની હતી. જમીન મુદ્દે જીગ્નેશ મેવાણી સહિત લોકોએ વિરોધ કર્યો હતો. IPC કલમ 143,147 149, 332 કલમ, તથા 120B તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટના નિર્ણય પછી શું કહ્યું જિજ્ઞેશ મેવાણીએ? 

આ કેસના નિર્ણય પછી, કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જમીનનો મુદ્દો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર જ્ઞાતિવાદી ગુંડાઓએ વર્ષોથી ગેરકાયદે કબજો જમાવ્યો છે!" આ સંઘર્ષ દરમિયાન ઘણા કેસ નોંધાયા હતા, પરંતુ આજે અમદાવાદની મેટ્રો કોર્ટે અમને અને સંઘર્ષના 31 સાથીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ! દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયોને જમીન અધિકારો આપવાનો સંઘર્ષ ચાલુ રહેશે!”



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.