Defamation case : Rahul Gandhiને કોર્ટે આપી મોટી રાહત, Amit Shahને લઈ આટલા વર્ષો પહેલા આપ્યું હતું નિવેદન, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-02-20 12:48:57

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાની કેસમાં મોટી રાહત મળી છે. માનહાની કેસ સાંભળતા જ મનમાં રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈ કરવામાં આવેલી ટિપ્પણી યાદ આવી ગઈ હશે. પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. તે બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. 2018માં કથિત રીતે ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક હુમલો કર્યો હતો. કથિત રીતે તેમને હત્યારા કહ્યા હતા. આ બાદ રાહુલ ગાંધી પર વિજય મિશ્રા નામના નેતાએ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી આજે થઈ હતી. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. તેમને કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. 

શું હતી ઘટના? 

રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ કેસ અંતર્ગત રાહુલ ગાંધીને કોર્ટમાં પેશ થવું પડ્યું હતું. જે માનહાનિ કેસની વાત થઈ રહી છે તે કેસ છે 2018નો.. અમિત શાહ માટે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી જેમાં કથિત રીતે રાહુલ ગાંધીએ તેમને હત્યારા કહ્યા હતા. આ નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો ભાજપના નેતા વિજય મિશ્રા દ્વારા. આ કેસને લઈ આજે સુનાવણી કોર્ટમાં થઈ હતી. રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થનમાં આવ્યા હતા. 



કોર્ટે આ શરતો પર રાહુલ ગાંધીને આપ્યા જામીન

કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને 25,000 રૂપિયાની સિક્યોરિટી અને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જે કેસને લઈ આજે સુનાવણી થઈ હતી તે કેસ લગભગ 6 વર્ષ જૂનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.       

 



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .