Defamation case : Rahul Gandhiને કોર્ટે આપી મોટી રાહત, Amit Shahને લઈ આટલા વર્ષો પહેલા આપ્યું હતું નિવેદન, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-02-20 12:48:57

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાની કેસમાં મોટી રાહત મળી છે. માનહાની કેસ સાંભળતા જ મનમાં રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈ કરવામાં આવેલી ટિપ્પણી યાદ આવી ગઈ હશે. પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો. તે બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. 2018માં કથિત રીતે ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક હુમલો કર્યો હતો. કથિત રીતે તેમને હત્યારા કહ્યા હતા. આ બાદ રાહુલ ગાંધી પર વિજય મિશ્રા નામના નેતાએ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી આજે થઈ હતી. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. તેમને કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. 

શું હતી ઘટના? 

રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ કેસ અંતર્ગત રાહુલ ગાંધીને કોર્ટમાં પેશ થવું પડ્યું હતું. જે માનહાનિ કેસની વાત થઈ રહી છે તે કેસ છે 2018નો.. અમિત શાહ માટે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી જેમાં કથિત રીતે રાહુલ ગાંધીએ તેમને હત્યારા કહ્યા હતા. આ નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો ભાજપના નેતા વિજય મિશ્રા દ્વારા. આ કેસને લઈ આજે સુનાવણી કોર્ટમાં થઈ હતી. રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થનમાં આવ્યા હતા. 



કોર્ટે આ શરતો પર રાહુલ ગાંધીને આપ્યા જામીન

કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને 25,000 રૂપિયાની સિક્યોરિટી અને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જે કેસને લઈ આજે સુનાવણી થઈ હતી તે કેસ લગભગ 6 વર્ષ જૂનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.       

 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .