થોડા સમય પહેલા બનેલા વાડજ મેટ્રો સ્ટેશનના પડ્યા પોપડા! નવનિર્મિત સ્ટેશનના પોપડા ઉખડતા એક જ દિવસમાં કરાયું રિપેરિંગ! જૂઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-05-06 17:43:51

અમદાવાદીઓની સુવિધામાં વધારો થાય તે માટે થોડા સમય પહેલા મેટ્રો ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી હતી. એક જગ્યાથી બીજા જગ્યા પર પહોંચવા માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે એએમટીએસ બાદ બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે બાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી સમયે આ સેવા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે મેટ્રો ચર્ચામાં આવી છે. વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. નવ નિર્મિત મેટ્રો સ્ટેશનના પોપડા ઉખડી જતા સમારકામ કરવામાં આવ્યું છે.


વાડજ મેટ્રો સ્ટેશનમાં ઉખડ્યા પોપડા!

થોડા સમયથી અનેક બ્રિજો ચર્ચામાં રહ્યા છે. એ પછી હાટકેશ્વર બ્રિજ હોય કે પછી થોડા સમય પહેલા બનેલો અટલ બ્રિજ હોય. કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજની શોભા કાચ વધારતા હતા. પરંતુ કાચમાં તિરાડ પડતાં કાચને રેલિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ કાચ પર કોઈ ચાલી શકશે નહી. ત્યારે ચૂંટણી સમય શરૂ થયેલી મેટ્રોની સેવા ચર્ચામાં આવી છે. મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનમાં પોપડા પડ્યા છે. પોપડા પડતા કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. એક જ દિવસમાં સ્લેબને ફરીથી તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીએ જણાવ્યું કે ભેજ ઉતરવાને કારણે આ પોપડા પડ્યા હતા અને તેનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું છે.


સદનસીબે આ વખતે દુર્ઘટના ટળી પરંતુ જો જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત? 

હજી હમણાં જ તો મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ થઈ છે. સેવાનો પ્રારંભ થવાને એક વર્ષ પણ નહીં થયું હોય અને મેટ્રો સ્ટેશનમાં આવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ત્યારે મેટ્રોના બાંધકામને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેટ્રો સ્ટેશનનું નિર્માણ થયે હજૂ મહિનાઓ જ થયા છે ત્યાં આ પ્રકારની ઘટનાને ગંભીર ગણી શકાય. આ ઘટના અંગે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ નથી થઈ પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો?ગંભીર બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત?   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે