થોડા સમય પહેલા બનેલા વાડજ મેટ્રો સ્ટેશનના પડ્યા પોપડા! નવનિર્મિત સ્ટેશનના પોપડા ઉખડતા એક જ દિવસમાં કરાયું રિપેરિંગ! જૂઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-05-06 17:43:51

અમદાવાદીઓની સુવિધામાં વધારો થાય તે માટે થોડા સમય પહેલા મેટ્રો ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી હતી. એક જગ્યાથી બીજા જગ્યા પર પહોંચવા માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે એએમટીએસ બાદ બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે બાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી સમયે આ સેવા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે મેટ્રો ચર્ચામાં આવી છે. વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. નવ નિર્મિત મેટ્રો સ્ટેશનના પોપડા ઉખડી જતા સમારકામ કરવામાં આવ્યું છે.


વાડજ મેટ્રો સ્ટેશનમાં ઉખડ્યા પોપડા!

થોડા સમયથી અનેક બ્રિજો ચર્ચામાં રહ્યા છે. એ પછી હાટકેશ્વર બ્રિજ હોય કે પછી થોડા સમય પહેલા બનેલો અટલ બ્રિજ હોય. કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજની શોભા કાચ વધારતા હતા. પરંતુ કાચમાં તિરાડ પડતાં કાચને રેલિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ કાચ પર કોઈ ચાલી શકશે નહી. ત્યારે ચૂંટણી સમય શરૂ થયેલી મેટ્રોની સેવા ચર્ચામાં આવી છે. મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનમાં પોપડા પડ્યા છે. પોપડા પડતા કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. એક જ દિવસમાં સ્લેબને ફરીથી તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીએ જણાવ્યું કે ભેજ ઉતરવાને કારણે આ પોપડા પડ્યા હતા અને તેનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું છે.


સદનસીબે આ વખતે દુર્ઘટના ટળી પરંતુ જો જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત? 

હજી હમણાં જ તો મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ થઈ છે. સેવાનો પ્રારંભ થવાને એક વર્ષ પણ નહીં થયું હોય અને મેટ્રો સ્ટેશનમાં આવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ત્યારે મેટ્રોના બાંધકામને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેટ્રો સ્ટેશનનું નિર્માણ થયે હજૂ મહિનાઓ જ થયા છે ત્યાં આ પ્રકારની ઘટનાને ગંભીર ગણી શકાય. આ ઘટના અંગે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ નથી થઈ પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો?ગંભીર બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.