વિરમગામના વર્તમાન કોર્પોરેટરે પતિના હત્યા મામલે હર્ષ સંઘવીને લખ્યો પત્ર, જાણો કોના પર પત્નીએ પતિની હત્યાના લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-04-24 14:45:51

ગુજરાતમાં પણ દિવસેને દિવસે હત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વીરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા થઈ હતી. આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. ત્યારે વિરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા ભાજપના જ કાર્યકરે કરી હોય તેવો દાવો મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો મૃતક કોર્પોરેટર હર્ષદ ગામોતના પત્ની સોનલબેને હર્ષ સંઘવીને પત્ર લખીને કર્યો છે.. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ? 

મહિલા કોરપોર્ટેરે જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના પતિની હત્યા કરવામાં આવી છે. પત્નીએ પત્રમાં લખ્યું કે મારા પતિ હર્ષદરાય વિનોદરાય ગામોટનું ધોળા દિવસે જાહેર માર્ગ પર 10 જાન્યુઆરીએ મર્ડર કરવામાં આવ્યું છે..આપ ડ્રગ્સ માફિયાથી ગુજરાતની પ્રજાને મુક્તિ આપો છો. લુખ્ખા તત્વો સામે પગલા ભરો છો અને ગુજરાતની પ્રજા સામે ઉભા રહો છો. તો એક બ્રાહ્મણની દિકરીને ન્યાય અપાવી જ શકો છો. મારો દિકરો નાનો છે અને આરોપી સામે લડવાની મારામાં શક્તિ નથી. સરકાર મારી મદદ કરે તેવી મારી વિનંતી. 


મહિલા કોર્પોરેટરે ન્યાય મળે તે માટે કરી અપીલ! 

કોર્પોરેટર સોનલબેન ગામોટે આરોપી વિશે પણ પત્રમાં ઉલ્લખે કર્યો છે. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે આ કેસનો મુખ્ય આરોપી ભરત મેરુભાઈ કાઠી 3 મહિનાથી નાસતો ફરે છે. મુખ્ય આરોપીના કુંટુંબીજનો પણ માથાભારે અને ક્રિમિનલ રેકોર્ડવાળા છે તો મારા પર હુમલો પણ થઈ શકે છે. મારા પતિની હત્યા થઈ ત્યારે પોલીસે મને ન્યાય માટે ખાતરી આપી હતી. પણ ભરત મેરુભાઈ કાઠી ઘણીવાર વીરમગામ વિસ્તારમાં દેખાયા છે છતાં પણ પોલીસ તેને પકડતી નથી. જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપીને પકડવાના બદલે તેના પુત્રનું નામ અજીત ભરતભાઈ કાઠી કલમ 169 મુજબ રજૂ કરીને છોડી દેવાની કામગીરી થઈ રહી છે. સરકારને નમ્ર વિનંતી છે કે બ્રાહ્મણ પરિવારને ન્યાય આપો તેવી પ્રાર્થના... 


શું ભાજપ પોતાના કાર્યકર વિરૂદ્ધ પગલા લેશે? 

આ મામલે કોર્પોરેટર સોનલબેન ગામોતે કારણ આપતા કહ્યું કે તેના પતિ હર્ષદ ગામોત અને ભરત કાઠી વચ્ચે નગરપાલિકાની ચૂંટણી સમયે મતભેદ થયો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે... તો હવે ભાજપના કાર્યકર સામે ભાજપ ક્યારે પગલા ભરશે અને વિધવા કોર્પોરેટરને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહેશે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે