વિરમગામના વર્તમાન કોર્પોરેટરે પતિના હત્યા મામલે હર્ષ સંઘવીને લખ્યો પત્ર, જાણો કોના પર પત્નીએ પતિની હત્યાના લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-04-24 14:45:51

ગુજરાતમાં પણ દિવસેને દિવસે હત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વીરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા થઈ હતી. આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. ત્યારે વિરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા ભાજપના જ કાર્યકરે કરી હોય તેવો દાવો મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો મૃતક કોર્પોરેટર હર્ષદ ગામોતના પત્ની સોનલબેને હર્ષ સંઘવીને પત્ર લખીને કર્યો છે.. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ? 

મહિલા કોરપોર્ટેરે જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના પતિની હત્યા કરવામાં આવી છે. પત્નીએ પત્રમાં લખ્યું કે મારા પતિ હર્ષદરાય વિનોદરાય ગામોટનું ધોળા દિવસે જાહેર માર્ગ પર 10 જાન્યુઆરીએ મર્ડર કરવામાં આવ્યું છે..આપ ડ્રગ્સ માફિયાથી ગુજરાતની પ્રજાને મુક્તિ આપો છો. લુખ્ખા તત્વો સામે પગલા ભરો છો અને ગુજરાતની પ્રજા સામે ઉભા રહો છો. તો એક બ્રાહ્મણની દિકરીને ન્યાય અપાવી જ શકો છો. મારો દિકરો નાનો છે અને આરોપી સામે લડવાની મારામાં શક્તિ નથી. સરકાર મારી મદદ કરે તેવી મારી વિનંતી. 


મહિલા કોર્પોરેટરે ન્યાય મળે તે માટે કરી અપીલ! 

કોર્પોરેટર સોનલબેન ગામોટે આરોપી વિશે પણ પત્રમાં ઉલ્લખે કર્યો છે. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે આ કેસનો મુખ્ય આરોપી ભરત મેરુભાઈ કાઠી 3 મહિનાથી નાસતો ફરે છે. મુખ્ય આરોપીના કુંટુંબીજનો પણ માથાભારે અને ક્રિમિનલ રેકોર્ડવાળા છે તો મારા પર હુમલો પણ થઈ શકે છે. મારા પતિની હત્યા થઈ ત્યારે પોલીસે મને ન્યાય માટે ખાતરી આપી હતી. પણ ભરત મેરુભાઈ કાઠી ઘણીવાર વીરમગામ વિસ્તારમાં દેખાયા છે છતાં પણ પોલીસ તેને પકડતી નથી. જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપીને પકડવાના બદલે તેના પુત્રનું નામ અજીત ભરતભાઈ કાઠી કલમ 169 મુજબ રજૂ કરીને છોડી દેવાની કામગીરી થઈ રહી છે. સરકારને નમ્ર વિનંતી છે કે બ્રાહ્મણ પરિવારને ન્યાય આપો તેવી પ્રાર્થના... 


શું ભાજપ પોતાના કાર્યકર વિરૂદ્ધ પગલા લેશે? 

આ મામલે કોર્પોરેટર સોનલબેન ગામોતે કારણ આપતા કહ્યું કે તેના પતિ હર્ષદ ગામોત અને ભરત કાઠી વચ્ચે નગરપાલિકાની ચૂંટણી સમયે મતભેદ થયો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે... તો હવે ભાજપના કાર્યકર સામે ભાજપ ક્યારે પગલા ભરશે અને વિધવા કોર્પોરેટરને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહેશે... 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?