વિરમગામના વર્તમાન કોર્પોરેટરે પતિના હત્યા મામલે હર્ષ સંઘવીને લખ્યો પત્ર, જાણો કોના પર પત્નીએ પતિની હત્યાના લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2023-04-24 14:45:51

ગુજરાતમાં પણ દિવસેને દિવસે હત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વીરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા થઈ હતી. આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. ત્યારે વિરમગામના ભાજપના કોર્પોરેટરના પતિની હત્યા ભાજપના જ કાર્યકરે કરી હોય તેવો દાવો મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો મૃતક કોર્પોરેટર હર્ષદ ગામોતના પત્ની સોનલબેને હર્ષ સંઘવીને પત્ર લખીને કર્યો છે.. 


પત્રમાં શેનો કરાયો છે ઉલ્લેખ? 

મહિલા કોરપોર્ટેરે જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના પતિની હત્યા કરવામાં આવી છે. પત્નીએ પત્રમાં લખ્યું કે મારા પતિ હર્ષદરાય વિનોદરાય ગામોટનું ધોળા દિવસે જાહેર માર્ગ પર 10 જાન્યુઆરીએ મર્ડર કરવામાં આવ્યું છે..આપ ડ્રગ્સ માફિયાથી ગુજરાતની પ્રજાને મુક્તિ આપો છો. લુખ્ખા તત્વો સામે પગલા ભરો છો અને ગુજરાતની પ્રજા સામે ઉભા રહો છો. તો એક બ્રાહ્મણની દિકરીને ન્યાય અપાવી જ શકો છો. મારો દિકરો નાનો છે અને આરોપી સામે લડવાની મારામાં શક્તિ નથી. સરકાર મારી મદદ કરે તેવી મારી વિનંતી. 


મહિલા કોર્પોરેટરે ન્યાય મળે તે માટે કરી અપીલ! 

કોર્પોરેટર સોનલબેન ગામોટે આરોપી વિશે પણ પત્રમાં ઉલ્લખે કર્યો છે. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે આ કેસનો મુખ્ય આરોપી ભરત મેરુભાઈ કાઠી 3 મહિનાથી નાસતો ફરે છે. મુખ્ય આરોપીના કુંટુંબીજનો પણ માથાભારે અને ક્રિમિનલ રેકોર્ડવાળા છે તો મારા પર હુમલો પણ થઈ શકે છે. મારા પતિની હત્યા થઈ ત્યારે પોલીસે મને ન્યાય માટે ખાતરી આપી હતી. પણ ભરત મેરુભાઈ કાઠી ઘણીવાર વીરમગામ વિસ્તારમાં દેખાયા છે છતાં પણ પોલીસ તેને પકડતી નથી. જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપીને પકડવાના બદલે તેના પુત્રનું નામ અજીત ભરતભાઈ કાઠી કલમ 169 મુજબ રજૂ કરીને છોડી દેવાની કામગીરી થઈ રહી છે. સરકારને નમ્ર વિનંતી છે કે બ્રાહ્મણ પરિવારને ન્યાય આપો તેવી પ્રાર્થના... 


શું ભાજપ પોતાના કાર્યકર વિરૂદ્ધ પગલા લેશે? 

આ મામલે કોર્પોરેટર સોનલબેન ગામોતે કારણ આપતા કહ્યું કે તેના પતિ હર્ષદ ગામોત અને ભરત કાઠી વચ્ચે નગરપાલિકાની ચૂંટણી સમયે મતભેદ થયો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે... તો હવે ભાજપના કાર્યકર સામે ભાજપ ક્યારે પગલા ભરશે અને વિધવા કોર્પોરેટરને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહેશે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.