આ તારીખે જાહેર થઈ શકે છે Loksabha Electionની તારીખ, ચૂંટણીને લઈ શરૂ કરાઈ આ તૈયારી..


  • Published By :
  • Published Date : 2024-02-23 16:52:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને દરેકની તે જાહેરાત પર ચર્ચા છે. ત્યારે ચૂંટણી પંચના સૂત્રોના માધ્યમથી સમાચાર સામે આવ્યા છે ચૂંટણીની તારીખો 13 માર્ચે જાહેર કરવામાં આવી શકે છે. 7થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે તેવી સંભાવના છે.  છેલ્લા અનેક મહિનાઓથી ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ એટલે કે CEO સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. 



ચૂંટણી પંચ લાગી ચૂંટણીને લઈ તૈયારીઓમાં!

એવી માહિતી સામે આવી છે કે ચૂંટણી આયોગ તમિલનાડુ રાજ્યની મુલાકાતે છે. તે પહેલા ઉત્તરપ્રદેશની મુલાકાત ચૂંટણી પંચ લેવાની છે.  જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી માહિતી સૂત્રોના આધાર પરથી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે રાજ્યોમાં હમણાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે રાજ્યોની મુલાકાત ચૂંટણી આયોગ નહીં લે. મિજોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢમાં હાલમાં જ ચૂંટણી યોજાઈ હતી. 


સંવેદનશીલ વિસ્તારમાં અપાશે વધારે ધ્યાન!

એવા અનેક રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સંવેદનશીલ રાજ્યોમાં વધારે સુરક્ષા બળો તૈનાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. એવી રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે. ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.