આ તારીખે જાહેર થઈ શકે છે Loksabha Electionની તારીખ, ચૂંટણીને લઈ શરૂ કરાઈ આ તૈયારી..


  • Published By :
  • Published Date : 2024-02-23 16:52:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને દરેકની તે જાહેરાત પર ચર્ચા છે. ત્યારે ચૂંટણી પંચના સૂત્રોના માધ્યમથી સમાચાર સામે આવ્યા છે ચૂંટણીની તારીખો 13 માર્ચે જાહેર કરવામાં આવી શકે છે. 7થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે તેવી સંભાવના છે.  છેલ્લા અનેક મહિનાઓથી ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ એટલે કે CEO સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. 



ચૂંટણી પંચ લાગી ચૂંટણીને લઈ તૈયારીઓમાં!

એવી માહિતી સામે આવી છે કે ચૂંટણી આયોગ તમિલનાડુ રાજ્યની મુલાકાતે છે. તે પહેલા ઉત્તરપ્રદેશની મુલાકાત ચૂંટણી પંચ લેવાની છે.  જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી માહિતી સૂત્રોના આધાર પરથી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે રાજ્યોમાં હમણાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે રાજ્યોની મુલાકાત ચૂંટણી આયોગ નહીં લે. મિજોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢમાં હાલમાં જ ચૂંટણી યોજાઈ હતી. 


સંવેદનશીલ વિસ્તારમાં અપાશે વધારે ધ્યાન!

એવા અનેક રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સંવેદનશીલ રાજ્યોમાં વધારે સુરક્ષા બળો તૈનાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. એવી રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે. ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .