ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે થશે જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 11:35:26

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું હતું ત્યારે આજે ઈલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કઈ તારીખોએ ચૂંટણી યોજાવાની છે તેવી જાહેરાત કરશે.

    

ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા     

વિધાનસભા ચૂંટણીને લઈ અનેક વખત ઈલેક્શન કમિશનના સભ્યો ગુજરાત આવ્યા હતા. અનેક દિવસો સુધી તેઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. અને ગુજરાતના માહોલને જાણ્યો હતો. જે બાદ આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે રાજકીય  પંડીતોના મત અનુસાર આજે માત્ર હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર થશે કારણે ગુજરાતમાં 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે જેમાં પીએમ મોદી ભાગ લેવાના છે. ત્યારે આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના ઓછી છે.   

Bypolls to three Lok Sabha, 30 assembly constituencies tomorrow: Voting  time, key candidates, result date, all you need to know | The Financial  Express


2017માં આ તારીખોએ યોજાઈ હતી ચૂંટણી 

2017માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે  25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. 2 તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં  89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી અને બીજા તબક્કામાં  93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં 14 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું 10 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો 2017માં જાહેર થઈ હતી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .