Parliamentમાં વિશેષ સત્રના ત્રીજા દિવસનો થયો પ્રારંભ, મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ શરૂ, સાંભળો શું થઈ ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-20 15:02:02

સંસદમાં યોજાયેલા વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ રહી છે. સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ સોનિયા ગાંધી સંસદમાં બોલ્યા હતા. કોંગ્રેસ વતી સોનિયા ગાંધીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા.પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું.

ગઈકાલે બિલ રજૂ કરાયું હતું આજે થઈ રહી છે ચર્ચા

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થઈ હતી ત્યારે ગઈકાલે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા. નવા સંસદમાં શિફ્ટ થતાં પહેલા જૂના સંસદ ભવન બહાર સાંસદોએ ફોટો સેશન કર્યું હતું. આ સત્રમાં અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સૌથી પહેલા સદનમાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બિલનું નામકરણ કરવામાં આવ્યું છે. આ બિલ નારી શક્તિ વંદન વિધેયક તરીકે ઓળખાશે. ગઈકાલે આ બિલ વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. ગઈકાલે પણ આ અંગે ચર્ચા થઈ હતી ત્યારે આજે આ ચર્ચાનો બીજો દિવસ છે. 


સોનિયા ગાંધીએ કહ્યું.... 

બીજા દિવસ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસ વતી સોનિયા ગાંધી બોલ્યા હતા. સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ પર વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા. તે સમયે લાગુ થયું ન હોતું. ભારતીય મહિલાઓ પાસે દરિયા જેટલી ધીરજ, સ્ત્રીઓએ હંમેશા ત્યાગ જ આપ્યો છે. આ બિલને લાગુ કરવામાં મોડું થવું જોઈએ નહી. હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું. આ પહેલા જાતિ ગણતરી કરાવીને ઓબીસી મહિલાઓને અનામત આપવી જોઈએ.


ભાજપ પર કર્યા આકરા પ્રહાર 

સોનિયા ગાંધી ઉપરાંત ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ પણ બિલના સમર્થનમાં આવ્યા છે. કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. પશ્ચિમ બંગાળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક મહિલા મુખ્યમંત્રી છે. જ્યારે 16 રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. ટીએમસી પાસે લોકસભામાં 40 મહિલા સાંસદ છે. મમતા બેનર્જી રાજ્યમાં મહિલાઓને આરોગ્ય , શિક્ષણ અને વહીવટી સેવાઓ વિશે સતત જાગૃત કરી રહ્યા છે. તે ઉપરાંત ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશે બોલતા મને આનંદ થાય છે. અમને લાગતું હતું કે અમે બધા એકબીજાને ટેકો આપીને અને સાથે ઉભા રહીને આ બિલ પસાર કરીશું. પરંતુ કમનસીબે, ભાજપે આને પણ રાજકીય તક તરીકે લીધી છે. મહિલા અનામત બિલ ભાજપનું ચૂંટણી વચન છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.