Parliamentમાં વિશેષ સત્રના ત્રીજા દિવસનો થયો પ્રારંભ, મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ શરૂ, સાંભળો શું થઈ ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-20 15:02:02

સંસદમાં યોજાયેલા વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ રહી છે. સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ સોનિયા ગાંધી સંસદમાં બોલ્યા હતા. કોંગ્રેસ વતી સોનિયા ગાંધીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા.પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું.

ગઈકાલે બિલ રજૂ કરાયું હતું આજે થઈ રહી છે ચર્ચા

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થઈ હતી ત્યારે ગઈકાલે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા. નવા સંસદમાં શિફ્ટ થતાં પહેલા જૂના સંસદ ભવન બહાર સાંસદોએ ફોટો સેશન કર્યું હતું. આ સત્રમાં અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સૌથી પહેલા સદનમાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બિલનું નામકરણ કરવામાં આવ્યું છે. આ બિલ નારી શક્તિ વંદન વિધેયક તરીકે ઓળખાશે. ગઈકાલે આ બિલ વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. ગઈકાલે પણ આ અંગે ચર્ચા થઈ હતી ત્યારે આજે આ ચર્ચાનો બીજો દિવસ છે. 


સોનિયા ગાંધીએ કહ્યું.... 

બીજા દિવસ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસ વતી સોનિયા ગાંધી બોલ્યા હતા. સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ પર વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા. તે સમયે લાગુ થયું ન હોતું. ભારતીય મહિલાઓ પાસે દરિયા જેટલી ધીરજ, સ્ત્રીઓએ હંમેશા ત્યાગ જ આપ્યો છે. આ બિલને લાગુ કરવામાં મોડું થવું જોઈએ નહી. હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું. આ પહેલા જાતિ ગણતરી કરાવીને ઓબીસી મહિલાઓને અનામત આપવી જોઈએ.


ભાજપ પર કર્યા આકરા પ્રહાર 

સોનિયા ગાંધી ઉપરાંત ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ પણ બિલના સમર્થનમાં આવ્યા છે. કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. પશ્ચિમ બંગાળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક મહિલા મુખ્યમંત્રી છે. જ્યારે 16 રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. ટીએમસી પાસે લોકસભામાં 40 મહિલા સાંસદ છે. મમતા બેનર્જી રાજ્યમાં મહિલાઓને આરોગ્ય , શિક્ષણ અને વહીવટી સેવાઓ વિશે સતત જાગૃત કરી રહ્યા છે. તે ઉપરાંત ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશે બોલતા મને આનંદ થાય છે. અમને લાગતું હતું કે અમે બધા એકબીજાને ટેકો આપીને અને સાથે ઉભા રહીને આ બિલ પસાર કરીશું. પરંતુ કમનસીબે, ભાજપે આને પણ રાજકીય તક તરીકે લીધી છે. મહિલા અનામત બિલ ભાજપનું ચૂંટણી વચન છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.