Parliamentમાં વિશેષ સત્રના ત્રીજા દિવસનો થયો પ્રારંભ, મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ શરૂ, સાંભળો શું થઈ ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-20 15:02:02

સંસદમાં યોજાયેલા વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ રહી છે. સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ સોનિયા ગાંધી સંસદમાં બોલ્યા હતા. કોંગ્રેસ વતી સોનિયા ગાંધીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા.પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું.

ગઈકાલે બિલ રજૂ કરાયું હતું આજે થઈ રહી છે ચર્ચા

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થઈ હતી ત્યારે ગઈકાલે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા. નવા સંસદમાં શિફ્ટ થતાં પહેલા જૂના સંસદ ભવન બહાર સાંસદોએ ફોટો સેશન કર્યું હતું. આ સત્રમાં અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સૌથી પહેલા સદનમાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બિલનું નામકરણ કરવામાં આવ્યું છે. આ બિલ નારી શક્તિ વંદન વિધેયક તરીકે ઓળખાશે. ગઈકાલે આ બિલ વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. ગઈકાલે પણ આ અંગે ચર્ચા થઈ હતી ત્યારે આજે આ ચર્ચાનો બીજો દિવસ છે. 


સોનિયા ગાંધીએ કહ્યું.... 

બીજા દિવસ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસ વતી સોનિયા ગાંધી બોલ્યા હતા. સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ પર વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા. તે સમયે લાગુ થયું ન હોતું. ભારતીય મહિલાઓ પાસે દરિયા જેટલી ધીરજ, સ્ત્રીઓએ હંમેશા ત્યાગ જ આપ્યો છે. આ બિલને લાગુ કરવામાં મોડું થવું જોઈએ નહી. હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું. આ પહેલા જાતિ ગણતરી કરાવીને ઓબીસી મહિલાઓને અનામત આપવી જોઈએ.


ભાજપ પર કર્યા આકરા પ્રહાર 

સોનિયા ગાંધી ઉપરાંત ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ પણ બિલના સમર્થનમાં આવ્યા છે. કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. પશ્ચિમ બંગાળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક મહિલા મુખ્યમંત્રી છે. જ્યારે 16 રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. ટીએમસી પાસે લોકસભામાં 40 મહિલા સાંસદ છે. મમતા બેનર્જી રાજ્યમાં મહિલાઓને આરોગ્ય , શિક્ષણ અને વહીવટી સેવાઓ વિશે સતત જાગૃત કરી રહ્યા છે. તે ઉપરાંત ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશે બોલતા મને આનંદ થાય છે. અમને લાગતું હતું કે અમે બધા એકબીજાને ટેકો આપીને અને સાથે ઉભા રહીને આ બિલ પસાર કરીશું. પરંતુ કમનસીબે, ભાજપે આને પણ રાજકીય તક તરીકે લીધી છે. મહિલા અનામત બિલ ભાજપનું ચૂંટણી વચન છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .