ઇટાલી અને ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપની વચ્ચે થયો ખટરાગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 12:11:59

ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ કે જે સ્ટારલિંકનું સેટેલાઇટ બેઝ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે . તેને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે ,  ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને ઇટાલીની સરકાર વચ્ચે સેટેલાઇટ ઈન્ટરનેટ આપવાને લઇને જે વાર્તાલાપ ચાલુ હતો તે રોકાઈ ગયો છે . જોકે હાલમાં ઉદ્યોગપતિ ઇલોન મસ્ક ખુબ જ ભારે સમયનો સામનો કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે . ઇલોન મસ્ક કે જેઓ યુએસમાં ખુબ મોટા ઉદ્યોગપતિ છે . તેમની માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી .  સમાચાર સામે આવી રહ્યા છે કે , ઇટાલીની સરકાર અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકના સેટેલાઇટ ઈન્ટરનેટને  લઇને જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તે અટકી ગયો છે .  આ માહિતી ઈટાલીના સંરક્ષણ મંત્રી ગ્વિડો ક્રોસેટ્ટોએ આપી હતી . જોકે આ પાછળનું કારણ જીયોપોલિટિકલ એટલેકે , ભૌગોલિક રાજકીય છે. કેમ કે , ઇલોન મસ્કનો  યુક્રેનને લઇને જે તેમનો મત છે સાથે જ તેમની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે  જે નિકટતા છે . આ કારણો હોઈ શકે છે .

Elon Musk and Giorgia Meloni: a burgeoning friendship the world should keep  an eye on

વાત કરીએ હાલના ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની તો તે તેમનું સ્ટારલિંકના ફાઉન્ડર ઈલોન મસ્ક સાથે જોરદાર બોન્ડિંગ છે. જોકે હવે ઇટાલીની સરકાર પોતાના ત્યાં આંતરિક સુરક્ષાને લઇને જોરદાર પ્રશ્નોનો સામનો કરી રહી છે. ઇટાલીની સરકાર પોતાની મિલિટરીને સિક્યોર અને એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સિસ્ટમ આપવા ઈચ્છે છે જે વધારે સલામત હોય . આ માટે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ મુખ્ય દાવેદાર છે કારણ કે તેમની પાસે પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં ૭,૦૦૦ સેટેલાઇટ છે . જોકે હવે ઇટાલીની દક્ષિણપંથી સરકાર અને સ્પેસએક્સ વચ્ચે વાર્તાલાપ પડી ભાંગ્યો છે આ પાછળનું કારણ ટેક્નિકલ ઓછું પણ રાજકીય વધારે છે. આ ડીલની કિંમત ૧.૬ બિલિયન ડોલરની હતી . જે હવે અટકી ચુકી છે . તો બીજી તરફ ઇટાલીમાં જ્યોર્જિયા મેલોનીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ સર્જ્યું છે કે , આવી રીતે બહારના કોઈ વ્યક્તિ સાથે સેન્સિટિવ કોન્ટ્રાક્ટ સાઈન ના કરી શકાય. ઉપરાંત ઈલોન મસ્કની જે નિકટતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે તે જોખમી સાબિત થઇ શકે છે . 

How Elon Musk's endorsement of Trump may have backfired

તો આ તરફ , ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની બરાબર ફસાયા છે કેમ કે એકબાજુ , ઈલોન મસ્ક સાથે તેમની નિકટતા છે અને બીજી બાજુ ઇટાલીનું ઓપોઝિશન છે જે આ ડીલ નથી ઈચ્છી રહ્યું વાત કરીએ , ઈલોન મસ્કની તો , તેમની ટેસ્લા કંપનીની ગાડીઓના વેચાણમાં આ રાજકીય કારણોના લીધે ઘટાડો થયો છે .આટલુંજ નહિ ઈલોન મસ્ક તો વિશ્વભરમાં આજ રાજકીય કારણોસર જોરદાર વિરોધનો સામનો પણ કરી રહ્યા છે . વાત કરીએ ભારતની તો,  ભારતના ટેલિકોમ સેકટરની જાયન્ટ કંપનીઓ જીઓ અને એરટેલે સ્પેસએક્સ સાથે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવા માટે કરારો કરી નાખ્યા છે . જોકે આ કરારોને ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે .



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.