ઇટાલી અને ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપની વચ્ચે થયો ખટરાગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 12:11:59

ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ કે જે સ્ટારલિંકનું સેટેલાઇટ બેઝ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે . તેને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે ,  ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને ઇટાલીની સરકાર વચ્ચે સેટેલાઇટ ઈન્ટરનેટ આપવાને લઇને જે વાર્તાલાપ ચાલુ હતો તે રોકાઈ ગયો છે . જોકે હાલમાં ઉદ્યોગપતિ ઇલોન મસ્ક ખુબ જ ભારે સમયનો સામનો કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે . ઇલોન મસ્ક કે જેઓ યુએસમાં ખુબ મોટા ઉદ્યોગપતિ છે . તેમની માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી .  સમાચાર સામે આવી રહ્યા છે કે , ઇટાલીની સરકાર અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકના સેટેલાઇટ ઈન્ટરનેટને  લઇને જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તે અટકી ગયો છે .  આ માહિતી ઈટાલીના સંરક્ષણ મંત્રી ગ્વિડો ક્રોસેટ્ટોએ આપી હતી . જોકે આ પાછળનું કારણ જીયોપોલિટિકલ એટલેકે , ભૌગોલિક રાજકીય છે. કેમ કે , ઇલોન મસ્કનો  યુક્રેનને લઇને જે તેમનો મત છે સાથે જ તેમની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે  જે નિકટતા છે . આ કારણો હોઈ શકે છે .

Elon Musk and Giorgia Meloni: a burgeoning friendship the world should keep  an eye on

વાત કરીએ હાલના ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની તો તે તેમનું સ્ટારલિંકના ફાઉન્ડર ઈલોન મસ્ક સાથે જોરદાર બોન્ડિંગ છે. જોકે હવે ઇટાલીની સરકાર પોતાના ત્યાં આંતરિક સુરક્ષાને લઇને જોરદાર પ્રશ્નોનો સામનો કરી રહી છે. ઇટાલીની સરકાર પોતાની મિલિટરીને સિક્યોર અને એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સિસ્ટમ આપવા ઈચ્છે છે જે વધારે સલામત હોય . આ માટે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ મુખ્ય દાવેદાર છે કારણ કે તેમની પાસે પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં ૭,૦૦૦ સેટેલાઇટ છે . જોકે હવે ઇટાલીની દક્ષિણપંથી સરકાર અને સ્પેસએક્સ વચ્ચે વાર્તાલાપ પડી ભાંગ્યો છે આ પાછળનું કારણ ટેક્નિકલ ઓછું પણ રાજકીય વધારે છે. આ ડીલની કિંમત ૧.૬ બિલિયન ડોલરની હતી . જે હવે અટકી ચુકી છે . તો બીજી તરફ ઇટાલીમાં જ્યોર્જિયા મેલોનીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ સર્જ્યું છે કે , આવી રીતે બહારના કોઈ વ્યક્તિ સાથે સેન્સિટિવ કોન્ટ્રાક્ટ સાઈન ના કરી શકાય. ઉપરાંત ઈલોન મસ્કની જે નિકટતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે તે જોખમી સાબિત થઇ શકે છે . 

How Elon Musk's endorsement of Trump may have backfired

તો આ તરફ , ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની બરાબર ફસાયા છે કેમ કે એકબાજુ , ઈલોન મસ્ક સાથે તેમની નિકટતા છે અને બીજી બાજુ ઇટાલીનું ઓપોઝિશન છે જે આ ડીલ નથી ઈચ્છી રહ્યું વાત કરીએ , ઈલોન મસ્કની તો , તેમની ટેસ્લા કંપનીની ગાડીઓના વેચાણમાં આ રાજકીય કારણોના લીધે ઘટાડો થયો છે .આટલુંજ નહિ ઈલોન મસ્ક તો વિશ્વભરમાં આજ રાજકીય કારણોસર જોરદાર વિરોધનો સામનો પણ કરી રહ્યા છે . વાત કરીએ ભારતની તો,  ભારતના ટેલિકોમ સેકટરની જાયન્ટ કંપનીઓ જીઓ અને એરટેલે સ્પેસએક્સ સાથે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવા માટે કરારો કરી નાખ્યા છે . જોકે આ કરારોને ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે .



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.