Visnagarની સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળતા ખેડૂત મહિલાનું મોત !


  • Published By :
  • Published Date : 2023-10-11 18:42:29

વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સર્પદંશના ઝેરથી બચવા માટેના ઇન્જેક્શનના સ્ટોકના અભાવે કામલપુર ગામના ખેડૂત મહિલાનું કરુણ મોત થયું હતું. મહિલાના મોત બાદ પરિવારજનો આઘાતમાં છે. અને હોસ્પિટલ પર આક્ષેપો કરી રહ્યા છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત નંબર વન હોવાના દાવાઓ તો કરવામાં આવતા હોય છે. પરંતુ આ જ ગુજરાતમાં ગરીબ મહિલા ખેડૂતનું દવાના અભાવે કરુણ મોત થતાં વિસનગરમાં ઘેર પ્રત્યાઘાત પડયા છે.

વિસનગર તાલુકાના ખેડૂત ડઈબેન ચૌધરી સવારે પોતાના ખેતરમાં ઘાસના પૂળા સરખા કરતા હતા તે દરમ્યાન અચાનક તેમના હાથ ઉપર ઝેરી સાંપે ડંખ માર્યો હતો. હાથની નસ પર ડંખ મારતા ડઈ બેન ચીસ પાડી ઉઠ્યા હતા અને તરત જ દોડી પરિવારને જાણ કરી હતી. પરિવારમાંથી તેમનો પુત્ર તેમને તરત જ ખાનગી વાહનમાં બેસાડી વિસનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો જોકે, ત્યાં હાજર તબીબે તેમની સારવાર ન કરતા તેઓનું મૃત્યુ થઈ ગયું હતું તેવા આરોપ મૃતક ડઈ બેનના પરિવારના લોકો લગાવી રહ્યા છે સાથે જ પરિવારજનોનું કહેવું છે કે ત્યાં હાજર તબીબે સર્પદંશના ઝેરની અસર ઓછી કરતા એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શન આપ્યું નહિ અને ડોક્ટરોએ કહ્યું કે અમારી પાસે ઇન્જેક્શનનો જથ્થો નથી. ત્યારબાદ આ આ મહિલાને વિસનગર હોસ્પિટલથી વડનગર ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી ડઈ બેનના શરીરમાં ઝેર ફેલાઇ ગયું હતું. જેથી વડનગર હોસ્પિટલમાં તબીબો સારવાર કરે તે પહેલાં જ ખેડૂત મહિલાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.


આ બાબતે સિવિલ સર્જને શું કહ્યું ?

આ બાબતે અમે હોસ્પિટલના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમનું કહેવું છે કે હોસ્પટલમાં એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શનનો સ્ટોક પૂરતો હતો. હોસ્પિટલના સિવિલ સર્જન પારુલ બેનનું કહેવું છે કે પેશન્ટની હાલત ખુબ જ ગંભીર હતી. અમારી પાસે ઇન્જેક્શન હતા પંરતુ દર્દીની હાલત ગંભીર હોવાના કારણે અમે તાત્કાલિક વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વડનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન સ્ટોકમાં હતા જ પરંતુ દર્દીના રિપોર્ટ કર્યા બાદ અને થોડા સમય પછી જ એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે એટલા માટે દર્દીને વડનગર હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં આ તમામ ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા પંરતુ તેઓ બચી શકયા નહિ.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.