Visnagarની સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળતા ખેડૂત મહિલાનું મોત !


  • Published By :
  • Published Date : 2023-10-11 18:42:29

વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સર્પદંશના ઝેરથી બચવા માટેના ઇન્જેક્શનના સ્ટોકના અભાવે કામલપુર ગામના ખેડૂત મહિલાનું કરુણ મોત થયું હતું. મહિલાના મોત બાદ પરિવારજનો આઘાતમાં છે. અને હોસ્પિટલ પર આક્ષેપો કરી રહ્યા છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત નંબર વન હોવાના દાવાઓ તો કરવામાં આવતા હોય છે. પરંતુ આ જ ગુજરાતમાં ગરીબ મહિલા ખેડૂતનું દવાના અભાવે કરુણ મોત થતાં વિસનગરમાં ઘેર પ્રત્યાઘાત પડયા છે.

વિસનગર તાલુકાના ખેડૂત ડઈબેન ચૌધરી સવારે પોતાના ખેતરમાં ઘાસના પૂળા સરખા કરતા હતા તે દરમ્યાન અચાનક તેમના હાથ ઉપર ઝેરી સાંપે ડંખ માર્યો હતો. હાથની નસ પર ડંખ મારતા ડઈ બેન ચીસ પાડી ઉઠ્યા હતા અને તરત જ દોડી પરિવારને જાણ કરી હતી. પરિવારમાંથી તેમનો પુત્ર તેમને તરત જ ખાનગી વાહનમાં બેસાડી વિસનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો જોકે, ત્યાં હાજર તબીબે તેમની સારવાર ન કરતા તેઓનું મૃત્યુ થઈ ગયું હતું તેવા આરોપ મૃતક ડઈ બેનના પરિવારના લોકો લગાવી રહ્યા છે સાથે જ પરિવારજનોનું કહેવું છે કે ત્યાં હાજર તબીબે સર્પદંશના ઝેરની અસર ઓછી કરતા એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શન આપ્યું નહિ અને ડોક્ટરોએ કહ્યું કે અમારી પાસે ઇન્જેક્શનનો જથ્થો નથી. ત્યારબાદ આ આ મહિલાને વિસનગર હોસ્પિટલથી વડનગર ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી ડઈ બેનના શરીરમાં ઝેર ફેલાઇ ગયું હતું. જેથી વડનગર હોસ્પિટલમાં તબીબો સારવાર કરે તે પહેલાં જ ખેડૂત મહિલાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.


આ બાબતે સિવિલ સર્જને શું કહ્યું ?

આ બાબતે અમે હોસ્પિટલના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમનું કહેવું છે કે હોસ્પટલમાં એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શનનો સ્ટોક પૂરતો હતો. હોસ્પિટલના સિવિલ સર્જન પારુલ બેનનું કહેવું છે કે પેશન્ટની હાલત ખુબ જ ગંભીર હતી. અમારી પાસે ઇન્જેક્શન હતા પંરતુ દર્દીની હાલત ગંભીર હોવાના કારણે અમે તાત્કાલિક વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વડનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન સ્ટોકમાં હતા જ પરંતુ દર્દીના રિપોર્ટ કર્યા બાદ અને થોડા સમય પછી જ એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે એટલા માટે દર્દીને વડનગર હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં આ તમામ ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા પંરતુ તેઓ બચી શકયા નહિ.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી